SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ તે ગાના જળમાં આવી સ્નાન કર્યું તેઓ જેમ પવિત્ર થાયછે, તેમ કુંતી અને સાદિનું પણ જે કોઈ દર્શન કરે તેપણ પવિત્ર થાયછે, તેણે કરી ગંગાને પવિત્ર કરવાના કાર્યને તી અનેમાદ્રિનાથી પુષ્ટતા મળેછે; એવું ગંગાનદી માનેછે, પરંતુ મારે તમને કાંઈક કહેવું છે, પણ તે કહેવા માટે અને લજ્ઞ અટકાવે છે; તથાપિ તમે જે ખિન્ન ન થાઓ તો હું કાંઈ બોલું તો તે મારૂં ભાષણ, સ્વજનના પ્રેમે કરી શ્રવણ કરવાને તમે યોગ્ય છો. પૂર્વ તમે યુદ્ધનેવિષે આમંત્રણ કરવા સારૂં મારી પાસે દ્યૂત મોકલ્યો હતો, પરંતુ તે દૂતના આવ્યા પહેલાં પૃથ્વીનેવિષે ચંદ્ર એવો સુયોધન, નાનાપ્રકારના ભક્તિયુક્ત વચનોએ કરી, તમારી સહાયતા કરવા માટે આવવાનો મને અટકાલ કરવા લાગ્યો; અને તે સમયે “યુદ્ધનેવિષે તને સહાય કરવા આવીશ” એવું એ દુર્યોધનન મેં કહેલું છે; તે મારા વચનને અન્યથા કરવા માટે સાંપ્રતકાળે હું સમર્થ નથી. જે પુરૂષની વાણી, ઊચ્ચાર થયા પ્રમાણે નિર્વાહ કરીને શોભનારી નથી તે કેવો માણસ? અર્થાત તે નિંદ્યછે. જેની ક્રાંતિ નિરંતર રહેતી નથી; તે મણી શાનો? અર્થાત્ તે પાષાણ તુલ્ય સમજવો. ઝ્મ માટે હે રાજન, પાસેની સેના છોડીને કેવળ આ પ્રમાણેનું મારું વૃતાંત તમને કહેવા માટેજ હું - હિંયાં આવ્યો છું. આવું શલ્યરાજનું ભાષણ શ્રવણ કરી ધર્મરાજ બોલ્યા. ધર્મરાજા—હે મામા, એ તમારૂં બોલવું અયોગ્ય શું છે? દુર્યોધન પણ તમારો ભાણેજ નથી શું? તો તમોને જેવો હું છું તેવોજ તે પણ છે. એ ભાઅે તમે કાંઈ લજ્જા પાÜો નહીં; અને સત્વર દુર્યોધનની ભણી ાઓ; અને તમે આપેલા ઉત્કર્ષને તે દુર્યોધન પામો, એવું ભાષણ કરી અજાતરપુ ધર્મરાજા, જેની મહા ઔદાર્ય કરી સ્વાગતા કરીછે એવા શલ્યાને પ્રયાણ કરવા માટે અનુમોદન દેતા હો. પછી તે શલ્યાન, કુંતીને પગે લાગી ત્યાંથી નિકળી ચાલ્યો. તેની પછવાડે ગમન કરનારા એવા જે તકુળ અને સહદેવ, તે બંને સ્વછંદ્રપૂણે તે શય્યરાજ પ્રત્યે એવું બોલવા લાગ્યા કે “હું મામા, તમે અત્યંત યોગ્યપણા રહિત આ વાત કરી. કોઇએક પ્રસંગે જ્ઞાતાપુરૂષોની પણ બુદ્દિ ધણું કરી મોહ પામેછે. આવી તમારી પ્રતિજ્ઞાએ અમારી માઢિમાતા, લાના ભારે કરી નમ્ર થએલા મસ્તકને લોકોમાં કૈવી રીતે ઊંચુ કરશે? અને ભીમસેને કૌરવોને મારતાં છતાં તેમનો આશ્રય કરનારા જે તમે–તે તમારા દુર્યો કરી મલિન થએલા અમારા મુખને અમે પણ ધર્મરાજાને કેવી રીતે ઢેખાડશું?” તે સાંભલી શલ્યાન ઓલ્યા કે “હે વત્સ, નકુળ સહદેવ, આ સમયે જે તમને ઈષ્ટ હોય તે ખોલો, એટલે હું મારી ખોલેલી વાણીનો નિર્વાહ કરતાં છતાં તે તમારા ભાષણને પણ સિદ્ધ કરીશ.” તે સમયે નકુળ સહુદેવ બોલ્યા કે હું મામા, વારંવાર યુદ્ધનવિષે કર્ણના ઊત્સાહનો ભંગ કરવા માટે તમે યોગ્ય છો” આવી તે નકુળ સહદેવની વાણી માન્ય કરી, જેતે મોટી લજા સ્ફુરણ પામીછે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only ૩૬૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy