SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ સારૂં આવ્યાં હોયના! એવાં શોભવા લાગ્યાં. તે સમુદ્રતીરનેવિષે પ્રાપ્ત થર્મેલા સૈનીકોએ, ફૂટનારા સમુદ્રના તરંગોએ એક સ્થળે જમાવ કરેલા ફેણ તુલ્ય જે મોતીઓ તેઓની પંક્તિઓને જોઇઓ, તે સમયે સમુદ્રના તરંગોનેવિષે પ્રતિબિંબિત થખલા સેનામાંના હસ્તિઓને સેનામાંના હસ્તિઓએ જોઇને “તે અમારા શત્રુઓ છે” એવી બુદ્ધિએ સમુદ્રના તરંગોં પ્રત્યે દોડનારા હસ્તિઓને મહાવતોએ મહા સંકટ કરી રોધન કરવા. સમુદ્રે પણ પોતાની પાસે પ્રાપ્ત થએલા તે લોકોને, કેટલાકને નાગરવેલના પાને કરી, કેટલાકને નાળીઍરીનાં શ્રીફળ સમર્પણ કરી, કેટલાકને કંકોળના સમર્પણું કરી અને કેટલાકને એલાયચીના સમર્પણું કરી આતિથ્ય કરવું. ત્યાં સમુદ્રના ઉપવનમાં ઉત્પન્ન થન્મેલા લવંગ, આંમળાં અને વંશાંકુરાદિક પદાર્થો, કેટલાક લોકોએ આણીને શ્રીકૃષ્ણને પ્રીતિપૂર્વક સમર્પણ કરચા. અને તેમજ નાનાપ્રકારના દેશોમાં ઉત્પન્ન થનારા નાનાપ્રકારના ધણા પદાર્થોનો વહાણવટીઓએ શ્રીકૃષ્ણને નજરાણો કરો. તે સર્વ પદાર્થ શ્રીકૃષ્ણ, ધર્મરાજાને નજરાણો કરતા હવા. તે સમયે કેતકીના સુગંધેકરી સુગંધ યુક્ત અને સમુદ્રના તરંગો ઉપરના સંચાર કરી શીતળ થએલો એવો સમુદ્રસંબંધીવાયુ, મધ્યાન્હ કાળના સૂર્યકિરણના તાપને નાશ કરતો હતો. વળી તે સમયે ચંચળપણે દોડનારા તરંગોએ કરી, જળમાં સંચાર કરનારા મચ્છ કુર્મીકિ જળજંતુઓ શોભવા લાગ્યા. એ જળજંતુઓ તેજ પોતાનું સર્વે સૈન્ય-તે સૈન્ય સહવર્તમાન જાણે તે સમુદ્રપણ કૃષ્ણની સહાયતા કરવા માટે નિકળ્યો હોયના! એવો દેખાવા લાગ્યો.. એમ જતા થકા અનુક્રમે તે સમયે સમુદ્રકાંઠા ઊપરના ઉપવનનું જે સૌંદર્ય તેને વિષે લંપટ, અને યુદ્ધને માટે આગળ ન નારા એવા વીરોને જાણે આકષઁણજ કરતો હોયના! એવો, અને શરપુરૂષના શ્રમને દૂર કરનાર, શ્યામ મિશ્રિત લીલાવર્ણનાં તણોએ યુક્ત અને યુદ્ધ કરવા સારૂં જાણે સેનાની સાથે આવવા માટે સિદ્ધ થએલો આ મેધજ હોયના! એવા રૈવતક (ગિરનાર) નામક પર્વત સેનાએ આગળ જોયો. હેનારા પાણીના પ્રવાહના ખળખળાટ શબ્દે કરી જેનો અંતભાગ શબ્દ યુક્ત છે; એવી ગુફાઓ જેને વિષેછે; અને પ્રકુલ્લિત થએલાં મક્ષિકા, અશોક, ચંપક અને આય પ્રમુખ વૃક્ષોએ મિશ્રિત, તથા ભ્રમર સમુદાયના ઉત્તમ પ્રકારના ગાયનની સંગતિ કરનારૂં એવું તે પર્વતની તળેટીનું ઉપવન-તેણે સૈન્યને સમુદ્ર કાંઠાના વનની શોભાને વિસ્મર્ણ કરાવી, તે જોઈ તત્ક્ષણ જેના વિષે સૈન્યના લોકોની કામના અંકુરિત થન્મેલીછે, એવા તે રૈવતકપર્વત ઉપર નિ:શંકપણે ક્રીડા કરવા માટે શ્રીનેમિનું મન ઈચ્છા કરતું હતું. પછી ગંડૌલનું અતિક્રમણ કરનારા એવા હસ્તિઓમ્મ,તથા વન કરતાંપણ અતિ ઊંચ હોવાથી વનનું અતિક્રમણ કરનારી જેની ૬જાઓછે એવા રથોમ્બે, તથા હરણના સમુદાયનું અતિક્રમણ કરનારા અર્થાત હરણના જેવી Jain Educationa International For Personal and Private Use Only ૩૫ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy