SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦. 98252 છે એ પ્રમાણે સમુદ્ર વિજ્યરાજ, કટાક્ષયુકત ભાષણ કરી છાના રહ્યા છતાં કોપે કરી જેના જે SS મુખમાંથી વાણીરૂપ વિષ નિકળે છે એવો તે દૂત, ભાષણ કરવા લાગ્યો. - દૂત—હે રાજન, આજ દિન પર્યંત જરાસંધ રાજાની આજ્ઞા તમે પોતાના મસ્તકને વિષે પુષ્પ ધારણ કરચા સરખી સ્વિકારીજ અને આજેજ, મૃત્યુતળ પાસે આવ્યો છતાં પિપીલિકા -(કિડિ) પાંખ ધારણ કરે છે તેમ તમને અહંકારરૂપ નવિન અંકુર ક્યાંથી પ્રાપ્ત થયે? આ ગેપછે. બાળકોના સામર્થે કરી તમે ગર્વયુક્ત થશે નહીં. કારણ, અંધકારના બળને આશ્રય કરી, છે ધૂઅડપલી સૂર્યોદય થયે છતાં કેટલાકળ સુખ પામે છે? કાળકુમારના ભયે કરીને પોતાની મથુ ) રાનગરીને ત્યાગ કરી ગુસપણે પલાયન કરનારા તમને તે સમયે એ બે પપુ રક્ષણ કરે છે. નારા હતા શું? એ માટે દેવ જરાસંધને, તમે શી ગણતીમાં છો? તેમ તે પપુ પણ શી ગણતીમાં છે? અને ગોત્ર, પુત્ર બાંધવો સહિત સર્વ યાદવો પણ શી ગણતીમાં છે. અરણ્યને વિષે વડવાગ્નિ, સર્વ વૃક્ષોને બાળી નાખે છે, પરંતુ જે કંટક વૃક્ષો છે તેનો દાહ કરવા માટે તે તે અગ્નિ અત્યંત પ્રદીપ્ત થાય છે. અર્થાત જરાસંધરૂપી વડવાગ્નિ, યુદ્ધભૌમિરૂપ અરણ્યવિષે તમે છે દશારૂપી મોટા વક્ષોને બાળી નાખશે, પરંતુ કૃષ્ણ બળરામરૂપી કંટક વૃક્ષોને બાળવા માટે તો 7. અત્યંત પ્રદીપ્ત થશે. સાંપ્રતકાળે તે જરાસંધને દુર્યોધન પણ પોતાના શત્રુઓને નાશ કરવાની છે ( ઈચ્છાએ અગીઆર અક્ષોહિણું સૈન્ય સહિત આવી ગયો છે. એ માટે હમણાં તો એ જરાસંધ, a દે છતાવાને પણ અશક્ય છે. કારણ, સમુદ છે તે સર્વ કાળ દુસ્તરજ છે, તે પછી ગ્રીષ્મ- 6 જાતુનો સંગમ થયાં છતાં તોફાનયુક્ત તે સમુદ અત્યંત દુસ્તર હોય એમાં શું કહેવું. તેમાં વળી તમે, મારે પ્રભુ જે જરાસંધ, તેને મિત્ર જે દુર્યોધન-તેના શત્રુ જે પાંડવો-તેઓનો પક્ષ સ્વિકાર કર; એ તમે બીજો અપરાધ કરે છે. એ માટે જ્યાં સુધી એ જરાસંધ, તમારા આ બીજા અપરાધને મનમાં નથી આણતો ત્યાંસુધી બે ગોપપુત્રોના સમર્પણે કરી તમને તેની પ્રસછે) સતા સંપાદન કરવા સારૂં યોગ્ય છે. હે રાજન, હજી પણ તમે જાગ્રત થઈ આ તમારા હિત ૯ (1) વિચાર કરો. યાદવોના મોટા કુળને અતિશેષતા પમાડશે નહીં. હે રાજન, તમે, રાજદેષ કર- નારા એ બે પુત્રોને ત્વરાથી ત્યાગ કરે; અને ઘણાકાળ પર્યત યાદવરૂપ મે જે છે તે, કોમળ અને સુગંધકારક એવી હર્ષવૃષ્ટિ કરો. એ પ્રમાણે વાચાળપુરૂષોમાં શ્રેટ એવા તે દૂતની વાણી સાંભળી કોપના આવેશે કરી, કૃષ્ણ વર્ણ છતાં જેની કાંતિ અરૂણુવર્ણ થઈ છે એવા શ્રીકૃષ્ણ બોલ્યા કે, “રે દૂત, શું તાજું આ અપૂર્વ ભાષણ છે. આવી રીતનું પથ્યકારક બોલવાને તારા વિના કોણ સમર્થ થશે? તારે પ્રભુ તો છે. નેગેપ ગેપ કહે છે તે સત્યજ છે. કારણ, ખળ પુરૂષોની પાસેથી તેઓની “ગો એટલે પૃથ્વી છે (હવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy