SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કામાં જઈ એકાંત સ્થળે તે કૃષ્ણ, હસ્તિનાપુરમાં થએલી સર્વ ક્યા બંધુ સહિત ધર્મરાજને કથન કરવા લાગ્યા. તે સાંભળીને સર્વ પાંડવો મહા આનંદને ધારણ કરતા હતા. કારણ, જેઓના બા- છે , પરાક્રમયુક્ત છે એવા પુરૂષોને નજીક પ્રાપ્ત થનારું યુદ્ધ, એ મહા ઉત્સાહ છે. પછી જે. કણુની આજ્ઞાએ, જેઓનું બાહુપરાક્રમ અતિ વિકસિત છે એવા સૈનીકલોકોએ સેના સજજ કરવાનો આરંભ કર્યો. દંતપ્રહાર, હૃઢપ્રહાર અને દેહપ્રહારએ જેમાં મુખ્ય છે એવું યુદ્ધને યોગ્ય જે કર્મ તે, મહાવોએ હસ્તિઓને અધ્યાપન કરાવ્યું. અર્થાત એવી યુદ્ધની કવાયત મહા વએ હાથીઓને શિખવી. તેમજ અને યુદ્ધાંગણવિષે સંચારાદિક જે કર્મ તે કર્મને શિછે. ખવાડવામાં જે ઉત્તમ પુરૂષ,અર્થાત ચાબુકસ્વાર-તેઓ યુદ્ધને માટે યોગ્ય એવા માર્ગમાં અશ્વોના જ I ગમન પ્રકારને રચતા હવા. તેમજ કેટલાક સૂતારો, રથોના રક્ષણ સારું તે રથમાં લોહ અથવા કા- ૪નાં આવરણ, અક્ષ, ધૂસરાં, ચક્ર અને પ્રજમુખ સારી રીતિએ સ્થાપન કરવા લાગ્યા. અને કેટલા*નવાજ રથ બનાવવા લાગ્યા. તેમજ કેટલીએક પદચારી સેનાને માટે સૂવર્ણના અક્ષરોએ શુ ચિન્હિત કરી આપેલાં શસ્ત્રાવ્ય-તે અમુક સ્થળે ઉત્પન્ન થએલાં, એ અમુક જાતનું છે, એ આવું છે છે પાણીદાર છે અને અમુક સમયે એનો પ્રયોગ કરવો વિગેરે તે શાસ્ત્રાસ્ત્રમાં લખેલું, એવાં શસ્ત્રાસ્ત્ર ) આપ્યાં. તેમજ સંપૂર્ણ મંડળીક રાજાએ ત્વરાએ આવે એટલા માટે રાજાના આસદારા- 2 જોએ રાજાના આદેશ નિકળવા લાગ્યા. અર્થાત, દારપાળ, ધર્મરાજાની આજ્ઞા સર્વ મંડળીક રાજાઓને સંભળાવવા લાગ્યા. તે સમયે પર્વત, નદીઓ અને વન એણે કરી યુક્ત એવા જંગ- K. ક લસ્થળથી રાજાઓના સમુદાયે, કરી લીંબો ઈત્યાદિક વૃક્ષોના પાના ભક્ષણે કરી હર્ષયુક્ત થએલા એવા પોત પોતાના ઊંટ સમુદાય આણ્યા. ગોળા, ઘોડાના કિંવા હાથીઓના રક્ષણાર્થ 9) લોખંડનાં કવચ, ખોગીર, દહેરા, રાઉટીઓ અને કવચાદિક-એ સર્વ, રાજગૃહવિષે નિર્માણ ( કરવા સારું કારીગર લોકોએ આરંભ કર્યો. કેટલાએકપુરૂષોએ મૂર્તિમાન ગર્વજ હોયના એવા Sઈ) પોઠીઆઓને ધળની ગુણએ દમન કા. અર્થાત યુદ્ધ સમયે તે પોઠીઓએ બંદુકોના કિંવા હો (I) તપના અવાજે ભડકે નહીં અને જ્યાં માલ ભરી લઈ જવા હોય ત્યાં જાય તે સારૂ પ્રથમ તેઓની તે ઊપર ધૂળની ગુણે ભરી બંદૂક અને તોપના અવાજ સાથે તેઓને અભ્યાસ કરાવ્યો. કેટલાક તક વિક્રય કરવા માટે યોગ્ય એવા પદાર્થોનો સંગ્રહ કરનારા, કેટલાક, શાદિકનો વિક્રય કરનારા અને 3 હું કેટલાક વ્યાપારી નાના પ્રકારનો વ્યાપાર કરવા સારું સિદ્ધ થયા. જેનાં પરિણસરખાં ને છે એવી ) S કેટલીએક વારાંગનાઓ પોતપોતાના તંબુઓમાં પલંગ, ગાદી અને ઉસીક વિગેરે ગ્રહણ કરી સેનામાં જવા માટે સજજ થઈઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy