SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જે છે તે તમે ભયભીત થશે નહીં. વળી તમોને યુદ્ધવિષે બાંધવોના સ્નેહેકરી વિહળતા પ્રાપ્ત ન થાઓ. બંધુઓનેવિષે જે કે પ્રેમ કર્તવ્ય છે; તથાપિ તે બંધુઓ, સર્વસ્વનો નાશ કરતાં છતાં તેઓને વિષે પ્રેમ કરવો નહીં. આપણા સ્થાનનું આક્રમણ કરવા સારું નિટુર એવા બંધુઓને પણ યુદ્ધનવિષે મારવા. કારણ સૂર્ય છે તે, આકાશનવિષે વ્યાપનારા અન્ય ગ્રહોને અત્યંત નાશ કરે છે. જે ક્ષત્રિ, પત જીવતાં છતાં તેની ભૂમિ, શત્રુઓ હરણ કરી જાય છે, તે ક્ષત્રિ છે શું? જેના કંઠઉપરના કશ તોડી નાખ્યા છે એવો જીવતો રહેનારો સિંહ તે શું સિંહ છે? પુરૂષના જીવતાં છતાંશત્રુઓ પરાભવ પામીને પણ જીવતા રહે છે; તે પુરૂષના કરતાં તે જે ઊદક (પાણી) ને ગ્રાસ કરે છે તે ધૂળપણ શ્રેષ્ઠ છે. અને જે સૂર્યના કિરણસ્પર્શ કરી અત્યંત જવલન પામે છે તે પાષાણ (મૂર્યતાદિક) પણ શ્રેષ્ઠ છે; પરંતુ જે પુરૂષ, નાગુએ તેનો પરાભવ કર્યો છતાં પણ ક્ષમા ધારણ કરનારો થાય છે તે પુરૂષ જ નથી. એ માટે હે વત્સ, તમે યુદ્ધ સમયે શાંતીને પરિત્યાગ કરી યુદ્ધ એજ મહોત્સાહ છે એવું માની, શત્રુએહરણકરેલી પૃથ્વીને કીર્તિની સાથે પાછી લો” હે કૃષ્ણબીજું શું કહું શત્રુઓના નાશકર્મવિષે અતિ નિપુણ એવા તમે સહાય છતાં પાંડવોને દુર્ય પ્રાપ્ત થનાર નથી. એ પ્રમાણે, તીવ્ર કિરી જેનાં નેત્ર આરક્ત થયા છે, એવા પાંડુરાજાએ ભાષણ કરવું છતાં (, સર્વ શત્રુઓને તૃતુલ્ય માનનારા એવા કેટભાાતિ કૃષ્ણ બોલ્યા. —હે રાજન, શત્રુના જ્યવિષે તમને શંસય પ્રાપ્ત થવો ન જોઈએ. આજપર્યંત તમારા પુત્ર યુધિષ્ઠિરે પોતાની કૃપાએજ તે શત્રુઓનું રક્ષણ કરવું. પરંતુ ધર્મરાજ જે કોપાયમાન થાયત કૌરવોનો નાશ થતાં કેટલીવાર? વનમાં મહા દાવાનળ પ્રદીપ્ત થયા છતાં મોટાં વૃક્ષો પણ ત્વરિત ભસ્મરૂપ થાય છે; પછી તણની શાળાઓની તે શી ગણતી? હે રાજન, તે વાત એક કોરે રાખો. પરંતુ તમે મારી સાથે દ્વારકામાં આવવા માટે યોગ્ય છો. કારણ, તમારા પુત્રો, આ તમારા વિયોગે આતુર થઈ અત્યંત દુઃખિત થઈને રહેલા છે. કમળનાભ એવા કૃષ્ણ એવું ભાષણ કરચું છતાં ફરી પાંડુરાજ, આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યા. - પાંડ–હે હરે, તમે સહાય છતાં મારા પુત્રોને વિજ્ય દૂર નથી. સહજ વિજય પ્રાપ્ત થશે. એ માટે જેઓએ શત્રુઓના સમુદાયને વિધ્વંશ કહ્યા છે, જેઓએ નવિન વિજય સંપત્તિ વરી છે અને જેઓને રાજ્ય પ્રાપ્ત થયું છે એવા તે મારા પુત્રને હું ફરી જોવાની ઈચ્છા કરૂં છું. અન્યથા કરતો નથી. એ માટે તમેજ ઉતાવળે દ્વારકાં પ્રત્યે જઈને યુનેવિષે શત્રુઓને જીતીને જ પોતાના બંધુઓ જે પાંડવો-તેને ફરી તેમની સામાન્ય સંપત્તિ આપે. એ પ્રમાણે ભાષણ કરનારા વિચિત્રવીર્યના પુત્ર જે પાંડુરાજા-તેમની આજ્ઞા લઈને તતક્ષણ છે કૌવિષે કોપાયમાન એવા દાકપતિ કૃષ્ણ ઉતાવળે દારકાં પ્રત્યે ગમન કરતા હવા. તે દાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy