SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ધનનો ત્યાગ કરો છતાં મારી અપકીર્ત્તિ, નિરંતર અમાવાસ્યાની રાત્રી જેવી પ્રકાશ રહિત છે તેવી થશે. (એવો ભાવાર્થ) એ માટે જે કે દુર્યોધન ન્યાયરહિત છે તોપણ એ દુર્યોધનના કાર્યને માટે યુદ્ધમિમાં હું મારો દેહ અને પ્રાણ એઓનો ત્યાગ કરીશ. હે કૃષ્ણ, વાયુએ અનુગ્રહ કરેલો એવો અતિશય પુષ્પોનો સુગંધ જેમ, દિશાઓને વ્યાસ કરી નાખેછે; તેમ તમે ધર્મરાજાનો અંગીકાર કરચો છે તો તે ભૂમિનો ઉપભોગ કરશેજ. અને જો મેં પરિત્યાગ કરો તો તે દુર્યોધન અત્યંત નિરાશ થશે. કારણ, વાયુએ પરિત્યાગ કરેલા અગ્નિની સ્થિતિ કેવી થાયછે! અૉંતુ તે નહીં સરખો થાયછે. જેઓનો અસ્થિસમૂહ, મિત્રકાર્યં માટે યુદ્દનૅવિષે શત્રુ સૈન્યના સંમર્દે કરી તે સૈન્યને ધૂળ ભેગા કરતા નથી એવા પૃથ્વીને ભારભૂત શરીરના અવયવ કરી શું ઉપયોગ છે. એ માટે મિત્રના સ્નેહે કરી લિપ્ત થએલો અને યુદ્ધસંબંધી રેણુએ રગદોળાએલો તથા ખડગધારાએ કરી નાહેલો એવો આ આત્મા, ધન્યપુરૂષનોજ શુદ્ધ થાયછે. તે માટે ધમઁરાજાની સાથે મિત્રતા કરવાવિષે મને તમે કાંઇ પણ કહેશો નહીં. તમારા સખા મહાત્મા છે તે સર્વેના હૃદયનો અભિપ્રાય જાણનારા છે. વળી હે કૃષ્ણ, મારી માતા જે કુંતી–તેને મારી વંઢણા કહીને મારો નિરોપ પણ નિવેદન કરજો કે, “હે માતા, તારા ચારપુત્રોનું આયુષ્ય હું હરણ કરનાર નથી. મારૂં મન બાળપણથી કોઈપણ કારણે માત્ર અર્જુનનેજ જીતવાની ઈચ્છા કરેછે; અને યુવિષે તેને મારવાની પણ ઈચ્છા કરેછે; તે માટે હે માતા, તારા પાંચન પુત્ર નિરંતર રહેશે. તે એવી રીતે કે કર્યું, મરણ પામ્યો છતાં સાર્જુન (અર્જુન સહિત) પાંચ અને અર્જુન મરણ પામ્યો છતાં સકર્ણી (કર્ણી સહિત) પાંચ એ પ્રમાણે ભાષણ કરનારા અને સત્યપ્રતિજ્ઞ એવા તે કર્ણને આલિંગન કરી વિલસિત થયાછે વિસ્મય જેને એવા કંસારાતિ કૃષ્ણ, તે કર્ણને પાછો ફેરવતા હતાં. પછી વિદુરના ધરનેવિષે ામરૂપ સમુદ્રમાં નિમગ્ન અને જેના હૃદયનેવિષે આનંદ નૃત્ય કરેછે એવા પાંડુરાજા પ્રત્યે કમળનેત્ર કૃષ્ણ અવલોકન કરતા હવા. ત્યાર પછી પોતાના આગમનનો વૃત્તાંત, નિદાન પાંચગામ ભાગવાનો ઠરાવ અને તે પણ દુર્યોધનાદિકે કબુલ નહીં રાખતાં યુદ્ઘનોજ રાવ નક્કી થયો, એ સર્વે, પાંડુ રાજા આગળ કૃષ્ણ, નિવેદન કરતા હતા. તે સમયે શમરૃપ અમૃતસમુદ્રનું શોષણ કરનાર વડવાનળ સરખો પ્રકોપ ધારણ કરનાર પાંડુરાજા ખોલ્યા. પાંડુ—માણે કોષ એજ કોઇએક પ્રયલ સમુદ્ર થઈ કૌરવરૂપ પર્વતોને અત્યંત જીાડતો છતાં શસ્ત્રાસ્ત્રરૂપી યુદ્ધુનો ઠરાવ છે.-તે રાવજ એ સમુદ્રનો સેતૂરૂપ થયો. અર્થાત્ મેં ક્રોધે કરી સર્વે કૌરવોનો સંહાર કરડ્યો હોત પણ હવે આ યુદ્ઘનોજ ઠરાવ થયો એટલે તેઓ હવે સરોજ, એ માટે હે કૃષ્ણ, તે કુંતીપુત્રોને મારી આ પ્રમાણે વાણી કહેજો કે “તમારો જે મારા યોગે જન્મ થયો છે Jain Educationa International For Personal and Private Use Only ૩૫૧ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy