SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ છે દુર્યોધન, નાનાપ્રકારની દુબુદ્ધિએ યુદ્ધાદિપ્રકાર સ્વિકારે છે એટલે તું તેને જેમ વજન ધારણ ? કરવાથી લોકો ઈદને દેવેંદ્ર દેવેંદએમ કહે છે તેમ તું દુર્યોધન દુર્યોધન એવું કહે છે. એ દુષ્ટબુદ્ધિએ યુદ્ધ કરનારે એટલે દુર્યોધન એનામ એનું સાર્થકજ છે. હેકર્ણ, તારા વિના અન્ય ઘણા વીરને ધારણ કરનારી પૃથ્વી, પણ અકણુંજ હતી; તે તને ધારણ કરનારી થઈ હવે તે ભકર્ણ (કર્ણદિયયુક્ત) થઈ છે. તારેજ વિષે દાર્ય, ગાંભીર્ય, શૌર્ય અને ધૈર્ય પ્રમુખ ગુણો, સમુદને વિષે રત્નની જેમ, કિંવા છે ( આકાશગણનેવિલે ગ્રહોની જેમ વાસ કરે છે. પૃથ્વીમાં બીજાપણુ પુષ્કળ વીર છે, પરંતુ તારું છે આ અતિશયધીર વ્રત છે. આ પૃથ્વી ઉપર મોટા મોટા પર્વતો જયાં ત્યાં છે, પરંતુ મેરૂ પર્વતનો મહિમા તો ) 5) જૂદો જ છે. પણ જેવી રીતે પીતળે નિર્માણ કરેલા ભૂષણવિષે જાતવંત માણિક્યને આશ્રય ઠક S: દુઃખ છે; તેવી રીતે આ દુષ્ટ દુર્યોધનને વિષે તારો આશ્રય દુઃખ દે છે. સારાંશ, પીતળની પર વિટી કાંઈ દુઃખ દેતી નથી પણ તે વીંટીની અંદર હીરાકણ જડી એટલે તે મારનારી થાય છે; તેમ દુર્યોધન, તારા આશ્ચર્ય કુળક્ષયનું કારણ થાય છે. એવા કુરકર્મ પુરૂષને પોતાનો મિત્ર કો કોણ કરનાર છે? વિશ્વાસ કરનારા પુરૂષને પણ ઘાત કરનારા સર્પની કોણ મિત્રતા કરશે? જેણે છ યથેચ્છપણે ઉપકાર કરે છે એવો હોય તથાપિ જે જડાત્મા છે, તેના વિષે વિશ્વાસ કરવો નહીં. કદાચિત સમુદ, નૌકાએ વ્યાપાર કરનારા વાણુઆઓને બુરાતે નથી શું અર્થાત fiv તે જાત્મા છે માટે બુડાડે છે. અન્યાયે વ્યાપ્ત થનારા પુરૂષને તેના પુત્ર પણ ત્યાગ ક છે. રાહુએ ગ્રસ્ત થએલા સૂર્યનો પણ કિરણો, ત્યાગ કરે છે. કાંaઓને તોડનારી એવી નદીના જ છે કાંઠાઓ પતન પામવા લાગ્યા એટલે તે કાંધનો આશ્રય કરનારાં વૃક્ષો પણ જેમ પતન પામે છે તેમ પતનશીલ પુરૂષને આશ્રય કરનારા પુરૂષ પણ અવશ્ય પતન પામે છે. અને શુકલ ) પક્ષના ચંદ્ધકિરણોની શોભા ઉત્તરોત્તર જેમ વિશેષ પ્રકાશ કરનારી થાય છે તેમ જેની ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારી સંપત્તિ છે, તેને આશ્રય કરનારા પુરૂષની સંપત્તિ વૃદ્ધિ પામે છે. કપૂરવૃક્ષને સહવાસ, તે સુગંધીપણુજ સમર્પણ કરે છે, તેમ પુણ્યશાલી પુરૂષનો જે સહવાસ, તે સહવાસ કરનારા . પુરૂષના અંતરાત્માને પવિત્ર કરે છે. પુણ્ય કરી તેજસ્વી એવા પુરૂષની પાસે પરાક્રમકદાપિ થોડું હોય તે પણ જેમ સૂર્યના અગ્રભાગે ધરેલું દર્પણ અત્યંત પ્રકાશ કરે છે, તેમને પરાક્રમ પણ અત્યંત કુરણ ઝે પામે છે. વળી પૂર્વદિશાસંબંધી વાયુની સાથે જે ઐત્રિ તે મધને જેવી લાધનીય (વખાણવા યોગ્ય) કિ છે, અર્થાત પૂર્વદિશાના વાયુનાગે મેઘ જેમ વૃદ્ધિ પામે છે, તેમ ઉત્તમ પુરૂષોની સાથે જે મૈત્રી, તે પરમકીર્તિ પમાડે છે. એ માટે ધર્માત્મા ધર્મના અંશથી ઉત્પન્ન થએલે જે યુધિષ્ઠિર, તેની સાથે હું તારે સહવાસ કરો એગ્ય છે. તે બુદ્ધિમાનું કર્ણ, પાપજન્મ એવો જે દુર્યોધન–તેની સાથે તારે સહવાસ કરવો યોગ્ય નથી. વળી કોઈપણ પ્રકારે કરી તું પણ તેય (કુંતીને પુત્રી છેએ હુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy