SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ - ગર્વનો ઉપસંહાર કરી અને લક્ષ્મીને મદ ટાળીને આ દુર્યોધન, જે મારું વચન સાંભળે તે આ તો SS સમયે હું કઈ ભાષણ ક. એવાં કચ્છનાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યા, “હે ગોવિંદ, તમે સ્વછંદ છે છે ભાષણ કરે એવું કહ્યું છતાં પ્રખ્યાત એવા ગરૂડવાહન શ્રીકૃષ્ણ, દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. ર. કૃષ્ણ—હે દુર્યોધન, પાંડવોને માટે પૃથ્વીનો એક ભાગ સુદ્ધાં પણ તું આપવાની ઈચ્છા નહી કરશે તો તે પાંડવો, તારા પ્રાણની સહવર્તમાન સર્વ પૃથ્વીને ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે છે. કદાચિત પાંડવોને જીતીને તું સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરશે, તથાપિ તેમાં કાંઈ કલ્યાણ નથી. કારણ, સંપત્તિ છે તે સ્વજનવિનાની શા કામની? અને યુદ્ધવિષે તે પાંડવો, કેવળ ) વિપત્તિ તે નિશ્ચય કરી પામનારજ નથી. તથાપિ તેઓ જે દેહમારે કરીને અવશેષ રહ્યા તો તે Sઈ પણ તે સમયે આરંભ કરેલો છે જેણે કુળનો સંહાર એવો જે તું તે તારું શૂરપણું શા કામનું જ અર્થત કુળક્ષયથી તારું શૂરપણું નિદ્ય થશે. અને જેનું ચંચળપણાએ કરી પરાક્રમ નિંદ્ય છે એવો. કે તારે બુદ્ધિ વૈભવ તે પણ શું? જે કારણ માટે વિધાતા પોતે જ ધર્મકૃત્યને વિષે એકતો યુધિષ્ટિરના સ્વરૂપે, અને જેની ગદા શત્રુઓને ભયશંકા સૂચવનારી છે એવો ભીમસેનના સ્વરૂપે બીજો, એમ આ બે સ્વરૂપે પ્રગટ થયો છે. અર્જુન પણ, જેમાં શત્રુઓને નાશ એવા યુદ્ધવિષે અતિશય - ઈ યંકર કર્મ કરનાર છે. નકુળ સહદેવ પણ બાહુબળે કરી, જેવા માટે અરાકય એવા શત્રુઓના સમુદાયનો નાશ કરવામાં યમ સરખા છે, એ માટે એ પાંડવોની સાથે સંધિ કરવી એજ તને શ્રેય કરનારી છે. હે દુર્યોધન, એવા પોતાના બાંધવો તને પોતાને સહાય કરનારા કચથી પ્રાપ્ત થવાના છે? હવે અપસ્મારતુલ્ય ગર્વને વિસરી જઈ અને પોતાને આગળ જે ફળ પ્રાપ્ત થવાનું છે તેને મનમાં વિચાર કરી, એ પાંચ પાંડવોને માટે માત્ર પાંચ ગામ આપવા સારું તું યોગ્ય છે. તેમાં ભીમસેન અર્જુન, નકુલ અને સહદેવ-એ ચારને અનુક્રમે કુશાસ્થળ, વષસ્થળ, માકંદી અને વારૂ થાવત એ ચાર ગામ, અને ધર્મગજને પાંચમું કોઈપણ ગામ આપ. માત્ર એટલું જ દેવાથી તે પાંડવો તો Sી મારા વચને કરી સંધિ કરશે, કારણ, સાધુ પુરૂષ છે તે કુળક્ષય થતે જોઈને અ૫ લાભથી પણ સંતોષ પામે છે. આ આટલું પણ જો તું નહિ માન્ય કરશે તે સર્વ જગતને ડુબાવનાર સમુદની | મર્યાદાના જેવો તારી સેનામાં તે પાંડવોર્પ સમુદનો સેતુ કોણ થનાર છે? અથત કોઈ થનાર Aી નથી. એટલું બોલી શ્રીકૃષ્ણ છાના રહ્યા છતાં દુઃશાસનનો અગ્રજ દુર્યોધન, ચંપાધિપ જે કર્ણછે તેની ભણી જોઈને તેણે “પાંડવોને કાંઈપણું આપવું નહીં એવી સૂચના કરી છતાં આગળ બનવા કાળ પ્રમાણે જે બુદ્ધિની વૃત્તિ થએલી છે તે કારણથી વક્રદૃષ્ટિ કરી કૃષ્ણ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. કુ દર્યોધન-હે ગોવિદ, તમે પાંડવોનું એટલું બધુ બળ માનો છો પરંતુ તેટલું બળ પાંડS) માં હોય એવું મને લાગતું નથી. જે કારણ માટે આજસુધી પાંડવોને મેં જીવતા મૂક્યા છે. હજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy