SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ . વતો છતો ભાષણ કરવા લાગ્યો કે “હે કૈટભારાતિ, આજ આ મારું ઘર, તમારી આ સંભાવના હો કરી ધન્ય કરતાં પણ ધન્ય છે; તો તમે તમારી ઉત્તમ વાણીએ કરી મારા કાનને પવિત્ર કરવા સારૂં યોગ્ય . એવાં ધૃતરાષ્ટ્રનાં વચન સાંભળી તે સભાના પ્રકાશવિષે આળસ રહિત એવા પોતાના હાસ્યરૂપ ચંદકિરણોએ દેદીપ્યમાન એવા મુખચંદને ધારણ કરનાર શ્રી કૃષ્ણ, તે તે સમયે ઊંચસ્વરે ભાષણ કરવા લાગ્યા. - કણ–હે ધતરાષ્ટ્ર તમે જે રાજાઓ-તેઓની વાણીનું જે વિચિત્રપણું–તેની ઉત્પત્તિ ભૂમિ એવો જે સંજય-તે પૂર્વે તમે મોકલેલ દ્વારકામાં ગયો હતો. તે સમયે અતિ સ્નહેકરી “મુળને છે પ્રલય થશે એવું જાણું ભયભીત એવો તે સંજ્ય, ધર્મરાજા પ્રત્યે સંધિ વિષયક કાંઇક ભાષણ છે પર બોલતો હતો. ત્યારે શમે કરી શોભનારો એવો તય યુધિષ્ઠિર, સંધિ કરવા સારૂં ઈચ્છિત છતાં અને ભીમસેન અને અર્જુન પ્રમુખ બ્રાતાઓએ સંધિ કરી નહીં. પછી પાંડવોએ કહેલો પ્રકાર મને ને જણાવતાં અને પાંડવોના તથા મારા વિચારે સંધિ કરવાનો નિર્ણય ન થયો છતાં, કેવળ પાંડવોના વચનેજ યુદ્ધને માટે નિયુક્ત થઈને સંજય દારકાથી હસ્તિનાપુરમાં આવ્યો. પછી તે સંછે જયને સર્વ વૃત્તાંત ધર્મરાજાએ મને કહ્યું. કારણ સર્વ પાંડવોને હૃદયરૂપ એવો જે હું–તેને કહેવા ( માટે કોઈ પણ અયોગ્ય નથી. હે ધૃતરાષ્ટ્ર, પછી તે પાંડવોના વચનનો વિચાર કરી તમારા કુળનો પ્રલય થશે એવો ભય માનનારો હં; પાંડવોને ન પૂછતાં પોતેજ દૂતકૃત્ય કરવા સારૂં અછે હીંયાં આવ્યો છું. એ માટે તમે મારા વિષે તમારા ચિત્તમાં વિશ્વાસુપણાની જે સંભાવના કરતા હો ) છે તો મારું આ થોડું પણ ભાષણ તમારા પોતાના મનમાં ધારણ કરવા માટે તમે યોગ્ય છે. ગર્વ કરી લે SE પ્રદીપ્ત થએલા એવા જડાત્મા પુરૂષનેવિષે આપ્તજનની વાણી ઘણું કરીને વ્યર્થ થાય છે. વડવાન- 2 છે ળની ઉષ્ણતાએ યુક્ત એવા ત્મા સમુદવિષે પર્વત પણ અત્યંત નિમગ્ન થાય છે. તેમાં મને આ દોદ્ધત પુરૂષ છે તે, ઉષ્ણ તેલથી પ્રદીપ્ત થએલો અગ્નિ પાણીએ કરી જેવો અત્યંત પ્રદીપ્ત થાય તો છે; તેમ આના ઉપદેશે કરી અતિશય સંતપ્ત થાય છે. મોટા પુરૂષોને પણ સંપત્તિ પ્રાપ્ત થઈ એટલે નેત્ર છતાં અંધપણુ, દિયનું ચતુરપણું છતાં બહેરાપણું, અને વાણીની પ્રવૃતિ છતાં મુંગાપણું પ્રાપ્ત થાય છે. કારણ સંપત્તિ છે તે દુષ્ટ સ્ત્રી સરખી છે. દુષ્ટ સ્ત્રી જેવી ઘરને વિષે સ્વજનને પણ આશ્રય ધારણ કરતી નથી; તેમ સંપત્તિ છે તે સંપત્તિવાનના મનને વિષે હિતોપદેશનો આશ્રય ધારણ કરવા દેતી નથી. જેમ ગ્રીષ્મની સંપત્તિ જે ઉષ્ણતા અને દાવાનળ એ બંને એકત્ર થયાં છતાં અતિ દુસહ છે; તેમ એક લક્ષમી અને બીજો બાહુને ગર્વ એબે એકવ છતાં અતિ દુરસ્તર છે. કલિન કન્યા છે તે જરપુરૂષોની અતિશય ભીડમાં જેમ કદી પણ પ્રવેશ કરતી નથી, તેમ જનક્તિ છે તે અહંકારમય મન પ્રત્યે કોઈ પણ રીતિએ પ્રવેશ કરનાર નહીં એ માટે બાહુના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy