SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ર પાપપ્રસવનારી એવી દુની સંપત્તિને પણ ધિક્કાર, વિષલતા વિશ્વને ઉત્ત્પન્ન કરેછે, અને અ મૃતલતા અમૃતને ઉત્પન્ન કરેછે. માટે જેવી લતા તેવાં ફળ ઉત્પન્ન થાયછે. સંપત્તિ મૅન માંડાલણી તેના આલિંગને કરી જેને મહાપાતક પ્રાપ્ત થયુંછે એવા આ દુર્યોધનાદિક, તે અગ્રજમંધુ જે ધર્મ રૂષ યુધિષ્ઠિર—તેને સ્પર્શ કરવા માટે પણ અધિકારી નથી. વિષયોની સંગતિરૂપ કાદવે ખરડાએલો જેઓનો દેહછે એવા આ દુર્યોધનાદિક, અતિ આનંદ યુક્ત થઇ મુક્તિરૂપ સ્ત્રીનું કેમ સેલન કરશે? અધર્મરૂપ ચંડાળના સ્પર્શ કરી મલિન થએલા અને યુદ્ઘાંગણનેવિષે મરણ પામનારા આ કૌરવોને હું હવે જોવાની પણ ઇચ્છા કરતો નથી. એ માટે એઓનો યુદ્ધાંગણમાં થનારા સંહારને ન જોતાં સાંપ્રતકાળે અહિંયાંથી નિકળી જવા માટે મારી બુદ્ધિ ઉત્કષઁ ધારણ કરેછે.” એ પ્રમાણે વિદુર, મનમાં વિચાર કરતા હતા એવામાં કોઇએક પુરૂષને મોંઢથી “વિશ્વકીર્ત્તિ નામના કોઇએક મહાજ્ઞાની મુનિ, નગરની બહાર ઉદ્યાનનેવિષે પધારા છે” એવું સાંભળતા હતા. પછી ત્યાં જઈને હર્ષે કરી જેના અંગ ઉપર રોમાંચ ઊભાં રહ્યાંછે એવા વિટ્ટુર, તે મુનિરાજને વંદન કરી તેના અગ્રભાગનેવિષે બેસતા હવા. ત્યારપછી તે ભગવાન મુનિ, સંસારરૂપ સંતાપનો નાશ કરવામાં અમૃત સરખી અને સુખ દેનારી એવી ધર્મદેશના કહેવાનો આરંભ કરતા હવા. વિશ્વકીર્ત્ત—ગુનાં વચનરૂપી જળે કરી સારી પેદ સિયન કરેલા એવા આ દેહના મનરૂપી ક્ષેત્રનેવિષે પુણ્યરૂપ બીજ, અંકુરને ધારણ કરતાં નથી શું? અર્થાત ધારણ કરેછેજ. કારણ, કષાયદૃષ્ટિ એજ જાણે કોઈ એક વિષસÎ-તે વિષસપના વિષે કરી વ્યાકુળ થએલા હૃદયનેવિષે ગુરૂની વાણીરૂપ અમૃતનું પણ, કાર્યો કરવામાટે સમથૈપણું કદીપણ નથી, કષાયરૂપી મેધની વૃષ્ટિએ કરી વિવેકરૂપ કમળનો નાશ થયો છતાં મનોરૂપ વાર્ષિકાનેવિષે ધર્મરૂપ હંસ ક્રમ રહી શકશે? અર્થાત રહેવાનો નથી, હાહા!! દૈવયોગે કરી કષાયરૂપ મદ્યના આસ્વાદને કરી જેઓનું ચિત્ત વિષય થયું છે એવા પુરૂષો, પોતાના ખાંધવોને પણ મારવાની ઈચ્છા કરેછે. કષાયરૂપી નદીનું પૂર, ભાગ્યરૂપી વૃક્ષોનું નામૂળથી ઉચ્છેદન કરી ન્યાયરૂપી દ્વીપ (બેટ)થી જંતુને વિપત્તિરૂપ સમુદ્રનૅવિષે નાખેછે. કષાયરૂપ સ્વતંત્ર ચોર, જે માર્ગે જતાં બેઠે નહીં તો મનુષ્ય યથેચ્છ તાળીઓ વગાડતો સનાતનપુરીમાં જનારો થાયછે. જે મનુષ્ય પુણ્યરૂપ અમૃતસરોવરની મધ્યભાગે રહેછે તેજ, આ કષાયરૂપ દાવાનળથી મુકત થાયછે. હાહા!! જીવ, સંસારરૂપ અર્થવિષે કષાયરૂપ નદીઓએ સચાખેલાં અને પ્રાણહરણ કરનારાં એવાં વિષવૃક્ષોને સેવન કરેછે. માટે હું મહાત્મન વિદુર, તું પણ સાંપ્રતકાળે પોતાના સંબંધીઓરૂપ જે કષાય તેજ એક ગ્રીષ્મૠતુ તેણે તપાવેલા એવા આ આત્માને શરૂપ અમૃતે કરી શાંત કરાવ. “હું સંસારમાં અતિ દુઃખિત” એવા તારા મતને અવધિજ્ઞાને કરી જાણીને હું દૂરથી આવ્યોછે. એ Jain Educationa International For Personal and Private Use Only ૩૪૩ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy