SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ એ આવ્યો હતતો ગંધર્વેદ એવો તે ચિત્રાંગદરૂપ સિહ-તેનાથી તેને કોણ બંધન મુક્ત કરાવત વાર તો હે વત્સ, ગ્રહણ સંબંધિ યુદ્ધવિષે તારા પ્રાણનું પણ ગ્રહણું કરવા સારૂં અર્જુનને યોગ્ય હતું, પરંતુ દયાયુકત થઈ અર્જુન, સેનાદિ સહિત તારી વરૂપે માત્ર કીર્તિને હરણ કરતો હો; તે તને સાંભરે છે? એ માટે સર્વનું પ્રિય કરનારો, સર્વસ્વ દાતા, અને ધમધર્સનો નિર્ણય. જણનાર 9) એવા ધર્મરાજને, ઘણા દિવસથી, ધર્મને અનુસરનારી રાજયલક્ષ્મીને સમાગમ થયો નથી તે છેઆ સમયે જેને માત્ર એક ધર્મજ, સેનાનેવિ સાહાય થાય છે તે પુરૂષ; શત્રુના સમુદાયને, છેઅગ્નિ જેમ તૃણને બાળી નાખે છે તેમ સંહાર કરે છે. માટે હે વત્સ, સાંપ્રતકાળે મત્સર SD છેત્યાગ કરી આ પૃથ્વી, પાંડવોને તું સમર્પણ કર. જેનું, ધર્મ એજ આયુષ્ય છે, એવી કીર્તિનો જ ક્ષયદિવસ તું થઇશ નહીં - એવાં ધૂતરાણનાં તથા વિદુરનાં વચન સાંભળી અતિશય ક્રોધાયમાન એવો દુર્યોધન ઊંચ સ્વરે, પોતાના બાહુબળના ગર્વ કરી, જે ભાષણમાં અવજ્ઞા વિશેષ છે એવું ભાષણ કરવા લાગ્યો. | દુર્યોધન-હે તાત, તમે ક્ષત્રિઓના ધર્મને કેમ જાણતા નથી? કોણ ક્ષત્રિ પોતાને હસ્તગત થએલી પૃથ્વી બીજાને સમર્પણ કરશે? અર્થાત કોઈ કરશે નહીં. અને બીજાને ભયથી પૃથ્વી અર્પણ કરીએ તો બાહુની કી મલિન થાય છે. શૂહને વિષે આક્રમણ કરેલા ગજને ત્યાગ કરો છતાં સિહનું સામર્થ્ય કુંતિ થાય છે, એમાં આશ્ચર્ય શું ન્યાય પણ, જે તેજસ્વી પુરૂષોએ આદર A કરેલો તેજ ન્યાય સમજવો. કારણ જેણે ઉત્તમ દીપકોને સમુદાય વિકાર કરી છે એવા પુરૂષ ) છે અમાવાસ્યાની રાત્રિએ પણ ઉત્સાહ કરાય છે. અને કદાચિત શત્રુથી ભય પ્રાપ્ત થયો છતાં પણ જે તે નિર્ભયપણે ઉગરવું તેજ ઉગરવું, અને જે રાજય ભોગવવું તેજ વૈભવ. એ માટે તમે બીહીશે નહીં. મારો પરાક્રમરૂપ અગ્નિ, જ્યારે સંપૂર્ણ જગતને ગ્રાસ કરવાવિષે તત્પર છે ત્યારે તે અગ્નિએ આ પાંડવો દગ્ધજ થયા; એવું સમજજો. ભયે કરી વિહળ થઈ મારા મનને, દુઃખનું કારણ એવા આ 5 ૭) વૃદ્ધપ્રલાપ કરી મને વારંવાર દુઃખ દેશો નહીં. કર્ણને જેણે અતિ દુખ દીધું છે એવી દુર્યોધનની વાણી સાંભળી મહાખેદ યુક્ત થઈ છે * ધૂતરાષ્ટ્ર અને વિદુર ત્યાંથી ઉઠી પોત પોતાને સ્થાનકે ગયા. પછી વિદુર, પોતાના પુત્ર બંધુ - ક મુખ સમુદાયના ક્ષયની આવાંકાએ વિરકતબુદ્ધિવાળો થઈ “સંસારનેવિષે સુખ સાહિત્ય છે તે નાશવંત છે એવું માનવા લાગ્યો, અને વૈરાગ્યે કરી જેની ચિત્તવૃત્તિ વ્યાપી ગએલી છે એ તે વિદુર, ચિતન કરવા લાગ્યો કે “આ સંપદાને ધિકાર છે,આ પ્રભુત્વને પણ ધિકાર છે અને આ વિષયસંબંધી સુખને પણ ધિકાર છે. જેને માટે પુત્ર, પિતાને. પિતા, પુત્ર છે. મિત્ર, મિત્રને છે અને બાંધવ, બાંધલને પરસ્પર નિર્દય થઈને હણે છે. એવી પાપથી ઉત્પન્ન થએલી અને નિરંતર છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy