SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ થવાનો નથી. કારણ, સિંહબાળકને કોઈ પણ પુરૂષ કોઈપણ દેકાણે પ્રેરણા કરે છે શું? અથત સિંહ S: બાલક જેમ બીજા કોઈના કહેવા પ્રમાણે ચાલે નહીં, તેમ દુર્યોધન પણ સામાદિક ઊપાયે કરીને પણ પાંડવોને પૃથ્વી આપવાની વાત સાંભળવાનું નથી. દુર્યોધનના હસ્તિનાપુરમાં તો ગજંદ શણગાવ્યા છે, ઘેડાઓને ભૂષણ પહેરાવી તૈયાર કન્યા છે રથને સાવધાન કરયા છે. અને તો પાયદળના સુભટોને તુષ્ટિદાન આપી સંતુષ્ટ કરે છે. એ પ્રમાણે ચતુરંગસેનાની યુદ્ધની તૈયારી થઈ રહી છે. તેના સુભટો એક બીજા પ્રત્યે આવી રીતે બોલે છે. એક કહે છે “હું કૃષ્ણને જીતી છે લઈશ” બીજો કહે છે; “હું અર્જુનને મારીશ.” ત્રીજો કહે છે, “હું ભીમસેનને બંધન કરીશ.” છેચોથ કહે છે કે “હું યુધિષ્ઠિરરાજાને ઝાલી લઈશ.” એ પ્રમાણે સેનાના વીસેએ પાંડવોને જીતવાનું કે કામ વહેચી લીધું છે. એ માટે યુદ્ધમાં બાહુપરાક્રમ કરીને પાંડવોએ, કિંવા હે દેવ, તમારા ચરણે છે જે ભમિ મેળવી તે મળનાર છે; અન્યથા મહા સંકટે પણ મળનારી નથી. એવું બોલીને તે દિ તછાને રહ્યો; તે સમયે કટાક્ષ દર્શનયુક્ત જેમનું મુખકમળ છે એવા કૈટભારિ કૃષ્ણ બોલ્યા. કૃષ્ણ—હે દિષ્ટ, આ કામ દંડવિના થઈ શકવાનું નથી, એવું તો હું પ્રથમથી જછે ણતો હતો. માત્ર લોકાપવાદના ભયે અમે તમને દૂત કરી સંધિ કરવા સારૂં દુર્યોધનની પાસે છે મોકલ્યા હતા. તે ધીર ધુરંધર એવો દુર્યોધન, તેને તે ગર્વિષ્ટપણું યોગ્ય છે; જે કારણ માટે યુદ્ધને વિષે અમારે અને તેનો મેળાપ થઈ કેવો રંગ થાય છે તે જોવા સારૂં તે ઉત્સાહ પામે છે. પોતાના શો તથા વિપક્ષિઓના બાહુબળને રણક્ષેત્રમાં જોયા સિવાય જે પૃથ્વી આપવી, તે શૂરપુરૂષને મહા લજજા છે. અને તેણે આપેલી એ પૃથ્વીને ગ્રહણ કરનારા જે અમે-તે અમને પણ રાજસભાને વિષે બાશૌર્ય અત્યંત હસે. માટે જેઓ બાહુબળીઆ હોય તેઓ બીજા કોઈએ જીતેલી સંપત્તિને તેણે આપી છતાં પણ ઈચ્છા કરતા નથી. કેમકે પોતે મારેલા મદોન્મત્ત હાથીઓનોજ સિંહ આહાર કરે છે. તે સમયે ભીમસેન પણ મહા ઊત્સાહ પૂર્વક બોલ્યો કે “તે દુર્યોધને અમને એમ ને (P એમ ભૂમિ ન આપવી એ બહુ સારું, જો તે એમજ ભૂમિ આપી દે તો મારે અને તેને ઘર છે તા સંગ્રામ કેમ થાય એ માટે પથ્વીના મસ્તકનેવિશે ભારભૂત એવા એ શપુઓના રક્ત પ્રવાહે છે કરી પૃથ્વીને ભાર હું હરણ કરીશ.” એટલામાં આવેશે કરી જેને શરીરને વિષે કંપ પ્રખ્યાત થયો છે એ અનપણ, કોપે કરી ભાષણ કરવા લાગ્યો. અન—દુર્યોધને પચ્ચી સમર્પણ કરી નહી; એ મારું ભાગ્ય ઉદયતાને પામ્યું. કારણ, મારા બાહુ, કૌરવોના યોગે કરી રણશ્રાદ્ધ કરશે ત્યારેજ તપ્ત થશે. જે હાથીઓ મહાન સરોવરમાં જઈ યથેચ્છ જળપાન કરી તૃપ્ત થનારા, તેઓ કાંઈ ખો ખોબો પાણી પીવાથી તૃપ્ત થતા નથી. હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy