SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ છે વિણ જેનાર છે? સૂર્યની સાથે આગીયાને સ્પર્ધાનો શબ્દ પણ કોણ સાંભળછે? જે કૃષ્ણ પિતાના પ્રતાપરૂપ અગ્નિવિષે પ્રથમ અરિસર, કશી અને ચાણરાદિક યોદ્ધાઓની આહુતિ પર કરી તેમાં છેવટ કંસાદિકોને હેમીને પૂર્ણાહુતિ કરી; એવા સમગ્ર ગુરૂપ દાવાગ્નિને નાશ કરનાર મધરૂપકડ્યુ છે. તેમની વાતતો એક કોરે રહી; પણ યુદ્ધવિષે તિવ્રતાને વરનાર એવા પાં ડોને શ્રેણ સહન કરનાર છેતપ, શાસ્ત્રાસ્થયન અને ઇંદ્રિયનિગ્રહ એવા યુધિષ્ઠિરરૂપ મેથી હું { ઉત્પન્ન થએલો વિઘતાગ્નિ (વિજળીરૂપ અ2િ) તે શત્રુઓની સ્ત્રીઓના સમુદાયના શૈકહે આંસુ ) જ જળના પૂરીને પણ શાન્ત થનાર નથી. વળી જેણે હેબ, કિર, બક અને કીચકાદિકના, હ) છે યુદ્ધમાં પ્રાણ લીધા છે; એવો તે ભીમસેન, આ ભૂમિમાં યુદ્ધાભવિષે કોનું સર્વસ્વ હરણ નહિ ? કરી સુશર્મા, દક્ષિણ ગગ્રહનવિષે, જે ભીમસેનના બાહુકર્મનું અવલોકન કરીને તે સમયે તારું - પ્રિય તે કેમ પ્રગટ ન કરતો હશે!! જે ભીમસેને સહજ દર્પયુક્ત વષકર્પરને મારીને પોતાનું મન અને તારું મૃત્યુ-એ બંનેની પરસ્પર વાતો કરાવી. અર્થાત આવી જ રીતે હું દુર્યોધનને ક્યારે 5 મારીશ” એવું મનમાં આપ્યું. તેમજ જે ભીમસેનરૂપ સૂર્ય, કીચકરૂપ અંધકારને નાશ કરી છે. સુદૃષ્ણના મુખચંદને પ્લાન કરો. શત્રુની કીર્તિરૂપ લેતવર્ણ યણ (કુમુદની) ના વનને છે અર્જુનનાં બાણે પ્લાન કરી નાખે છે. વળી જે અર્જુનને, કલકતાદિક શત્રુઓએ કરી તેજહીન થએલા ઇંદે, પોતાના સ્થાનનેવષે, જેમ અસ્તાચળે અસ્ત પામેલા સૂર્યને પહફાટતી યm a છે ઉદયપર્વત ઉપર જેવો સ્થાપન કરાય છે; તેમ સ્થાપન કર. અને જે અર્જુન, ભાનુમતિ રૂમ કરતી છતી, પોતાના જેટબંધુ યુધિષ્ઠિરની આજ્ઞાએ સિહ ઝાલેલ જે હરણ છોડવવો, તેમ તને ચિત્રાંગદ ગાંધર્વથી છોડાવતો હવે. વળી કાલ સવારની જ વાત. તમે વિરાટરાજાની ગાયો હ- S) રણ કરી છતાં તારી પાસેથી કેવળ ગાયો જ પાછી લીધી; એમ નથી, પણ બાણ સમુદાયે કરી છે તમારાં શસ્ત્રોને અને વસ્ત્રોને તે અર્જુને આકર્ષણ કચાં; તે સમયે તારું બળ ક્યાં ગયું હતું કે, છ) તે તું. હું શત્રને નાશ કરીશ એવું શું બોલ્યો કારણ નફળ અને સહદેવ છે તપણુ, શત્રનો e અને શત્રુસેનાને નાશ કરવા વિષે કેવળ યમતુલ્ય છે; પરંતુ તેઓ ન્યાયુક્ત છે, એ માટે ચરણ ) માં આવેલો શત્રુ એવો જેતું દુર્યોધન, તેનું આયુષ્ય તેઓએ ને ગ્રહણ કરવું. એ પ્રમાણે જેટ ભાઈ છે જે ધર્મરાજ, તેની આજ્ઞારૂપ મર્યાદા ધારણ કરેલા એજ ચાર કનિટ બંધુએ ચાર સમુદસ- તે SB ખા છે. તે ચારે પણ ધર્મરાજાની આશાએ તારા અહંકારરૂપી દ્વીપને ડુબાવી નાખતા નથી તે માટે હું ભણું છું કે, પાંડવોને વંદન કરી પાંડવોની ભૂમિ પાંડવોને સમર્પણ કરીશ તો તારું કલ્યાણ થશે. પરંતુ લોભછે તે મહાન પુરૂષોને પણ પ્રાણસંશયને પમાડે છે. અર્થાત્ તું લેજે ૭) ફરી પાંડવોને રાજય સ્વાધિન નહી કરશે તો તારો પ્રાણ ઊગરવો કઠણ પડશે. P.; } . @ > m h> @હતી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy