SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ છે પુરૂષ છે તે, બંનિમિત્ત વૈર ઉત્પન્ન કરી બંધુની સંપત્તિ હરણ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ જેઓ ઉદાર ચિત્તવાળા છે તેઓ પોતાનું પેટ ભરવાવિષે વિપરીત આચરણ કરતા નથી. વળી ઉદારચિત પુરૂષને તો તે આનંદયુકત સ્વસ્થ બેઠો છતાં સંપત્તિ, નમ્રતાએ કરી આપો આપ આવી મળે છે, તે જ મહાપુરૂષનું વ્રત છે એમ સમજવું. હવે તું જે કોઈપણ કારણે ધર્મરાજાને હ સ્તિનાપુરમાં નહિ તેલવે તો mતમાં મુખ્ય એવા તેના બંધુઓજ તેને બળાત્કારે હસ્તિના ( પુરમાં આણશે; અને એવી રીતે આવેલા પાંડવો તારા કલ્યાણના હેતુ નથી. કારણ તેઓ પિતાના સામર્થ કરી કદાચિત તારા ભાગની અને તેઓના ભાગની સંપૂર્ણ ભૂમિને સ્વિકાર , છે કરશે, તે સમયે યુદ્ધમાં તને અવશ્ય મરણનો પ્રસંગ પ્રાપ્ત થશે; કિંવા આ રાજ્ય સંપત્તિનો જ Sઈ પરિત્યાગ કરી તારે પણ તેઓની જેમ વનમાં રઝળવું પ્રાપ્ત થશે. કદાચિત “તેઓ શક્તિ- ર હીન છે એવું તું કહેશે તે રાજ્યસત્તારહિત પરંતુ ઉત્સાહ બુદ્ધિએ શોભનારા એવા ધર્મરાજાને ન્યાય છે જેમધમે છે તે સુખને જામિન છે તેમ ન્યાય છે તે વિજ્યનો પણ જામિન છે. વળી 5 મહા જેવા તે ધર્મરાજાને ઘણા સહાયકારી છે; એ માટે મહાન જો ન હોય તથાપિ તે બહુ છે સહાયયુક્ત હોય તે રાજ્યલક્ષ્મી હસ્તગત કરે છે. કારણ, મધ જેને પોતાને સ્વાધિન છે, તેને આ 8 જળ તે કાંઈ દુર્લભ નથી. તેમજ સાગર, આજ્ઞાંક્તિ છતાં તેને મોતી મોંધાં નથી. હે દુર્યોધન ) તું કેવળ પોતાનું ખળપણ વધારે છે, તે જેમ ઘુઅડપક્ષિ, સૂર્યની સાથે મિથ્યા વર વધા( રૂછે; તેના જેવું છે, એવી તે દૂતની વાણી સાંભળી જેના ક્રોધે કરી કંપાયમાન અધરોટ અને જેના લાલાળા નેવ થઈ ગયાં છે; એવો દુર્યોધન બોલ્યો. S) દુર્યોધન–હે બ્રાહ્મણ, આ તારી નિષ્કપટ વાગજ૫ના મને બેરડીના ફળની પ્રમાણે પ્રથમ કોમળ અને અંતે કઠણ લાગે છે; પણ આ મારા ભુજથંભવિષે સ્થાપના કરેલી ભૂમિને કોણ નીચે ઊતારનાર છે? મગરે મુખમાં લીધેલા ગ્રાસને કોણ આકર્ષણ કરનાર છે? મારી આ ( ગળ કેશવ તે કોણ છે અને પાંડવો પણ કોણ છે? સૂર્યની આગળ ચંદની ગણતી નથી તે છે. પછી નક્ષની શી ગણતી હોય તેમ મારા આગળ કેશવની ગણના નથી તે પછી પાંડવોની તે . શી વાત? રણોમિનેવિષે, જો કે કૃષ્ણ સિંહ સરખે છે પણ મારાં ધનુષ્યથી છૂટેલાં બાણ - SB વણયુક્ત થઈ, મુખમાં બાણે કરી વિદારણ કરેલા શિયાળવત્ થઈ જશે કિયા તે ગરૂડજ કેશવ, જી. જે મારા બાણ સમુદાયે કરી યુદ્ધવિષે પક્ષિઓને બળિદાન થશે. . એવી ચારણ કરેલી દુર્યોધનની વાણી સાંભળી બળાત્કારે મહા ક્રોધાયમાન થઈ છે. ૭) દિબ્રેન્ટ બોલ્યો કે હે દુર્યોધન, લક્ષ્મીનો ઉપભોગ કરનાર એવા કૃષ્ણની સાથે તારે ઉત્કર્ષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy