SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ પ્રકારની વાદૈવિ છે, સંધિવિગ્રહિકાāવિષે પૂર્વથીજ જે પ્રખ્યાત અને મહાચતૂર છે અને જેને વકતાપુરૂષોમાં સત્કાર પ્રાપ્ત થયોછે એવો તે પુરોહિત, બેસીને હાથ જોડી તે કૌરવપતિ દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. પુરોહિત—હે રાજન, દૈત્યોનો શત્રુ અને શત્રુરૂપ ગજસમુદાયનો નાશ કરનાર સિંહ સરખો એવા જે ‘દેવ કૃષ્ણ-તેણે અતિ સ્નેહે કરી તમારી પાસે કાંઈ કહેવા સારૂં મને મોકલ્યો છે; માટે હું કહુંછું તે તમે સાંભળો. યુધિષ્ઠિર રાજાએ, પૂર્વે બાર વર્ષે વનવાસ અને એક વર્ષે અજ્ઞાતવાસ કરવાનો જે સ્વિકાર કરચો હતો; તેની સિદ્ધિ થવા સારૂ બંધુઓ સહવર્તમાન વનમાં અને વિરારાજાના નગરમાં ગુપ્તપણે રહ્ય!. હમણાં તેરમા વર્ષને અંતે પોતાના ખોલવાની અવધિ પૂર્ણ થઈ તેથી, ઉત્તમ છે બુદ્ધિ જેની એવો તે ધર્મરાજા ગ્રોગ્રહરૂપ પ્રકાશમાં સ્પષ્ટતા પામ્યો. અર્થાત્ પ્રગટ થયો. તેઓને વિરાટણા દેવસરખા જાણી રાત્રિ દિવસ સત્કાર કરી સાંપ્રતકાળે સેવક સરખો થઈ પોતાના પ્રાણ કરીને પણ આરાધન કરેછે. તે વિરાટરાજાના નગરમાં અનેક દ્રુપદ્માદિક રાજાઓએ જેમ ભ્રમણાઓ આમ્રવૃક્ષનો આશ્ર્ચય કરેછે તેમ આશ્રય કરનારા અને દયા કરનારા એવા યુધિષ્ઠિરનો આશ્રય કરચો છે. ત્યાં અભિમન્યુએ વિરાટકુંવરી ઉત્તરાનું પાણિગ્રહણ કરશું; તે સમયે હું પોતે પણ મહા ઉત્સુકપણાએ ત્યાં ગયો હતો. પાંચાલ પ્રમુખ તે પાંડવોના પુત્રો, તેઓને તે વિરાટનગરમાં આવી મળ્યા; તથાપિ તે યુધિષ્ઠિર, ધંધુસહિત તારૂં મુખકમળ અવલોકન કરશું નથી તેથી કંચારેય પણ સુપ્રભાત માનતો નથી; કારણ તે યુધિષ્ઠિર કેવળ તારા વિયોગથી મનમાં નિરંતર કલેષ પામેછે. અહો મહાત્મા પુરૂષોનો બંધુસ્નેહ છે, તે ધણો મૂલ્ય વાન છે!! તે ધર્મરાજા, પોતે કરેલી વનવાસ ભોગવવાની અવધને સંપૂણૅ કરી હમણાં તારા મેલાપ વિષે ઉત્કંઠપણાસ્મ કરી ઘણો ચંચળ છે; પણ તારા મનમાં કાંઈ ખેઢ પ્રાપ્ત ન થાય, તે સારૂ તે હસ્તિનાપુરમાં આવ્યો નહીં. વિચારી જોતાં યુધિષ્ઠિરનેવિષે તને કાંઈ અભકિત નથી; અને યુધિષ્ઠિર પણ તાવિષે અવત્સળ નથી; એવું છતાં પણ તારી અને તેની ભેટ ન થતાં તેઓએ વનમાંજ રહેવું, વી રીતિની દેવગતિને ધિક્કાર હો. સાંપ્રતકાળે ધર્મરાજાની સત્યપ્રતિજ્ઞા પૂર્ણ થઈ છતાં તું તેને નાડું ખોલાવે તો તે હસ્તિનાપુરપ્રત્યે આવવાવિષે ઈચ્છા કરતો નથી. કારણ, જે મોટા પુરૂષો છે તે અભિમાની હોયછે. સાંપ્રતકાળે હર્ષે કરી, જેના દ્વારનેવિષે - ત્તમ પ્રકારે તોરણો માંધેલાં છે એવી દ્વારાઞતિપ્રત્યે ધર્મરાજા, વિરાટનગરથી મારી સાથે પોતાના બંધુઓને લઇને આવ્યો છે. કારણ, સંબંધિપુરૂષને ઘેર પણા દિવસ રહેવું યોગ્ય નથી, એ માટે હે દુર્યોધન, તું સાંપ્રતકાળે તો તે પોતાના બંધુઓને હસ્તિનાપુરમાં ખોલાવી લેવા વિશે યોગ્ય છે. કારણ, તમે બંને જણ બંધુ છતાં તમારામાં વિનાકારણે વિરોધ થવો ન જોઇએ. જે લોભી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy