SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ રિસ્થિ &િ & - વિરાટરાજા–હે અર્જુન, સર્વે દિવસે કરતાં આ આજનો દિવસ વિશેષ સારો છે. કારણ કે Sઆ યુદ્ધમાં તુંજ એક સ્થિર યાનું સ્થાન છે. તારા આગમનનું આ મુહર્ત કેવળ અમૃતમય રે એ છે કે જે મુહર્તમાં હેવરાવતેસ, તું કિરિટી છે એવું જાણી હું તને જોઉં છું. એ માટે સાંપ્રતકાળે ૨. હપતિજ સર્વ જગમાં સ્થિર યશનું સ્થાન થયછું. કારણ, તે પોતાના આગમનરૂપ અમૃતિકરી કોડ મને આ રાજગૃહવિષે અભિષેક કરે છે. હવે હે વીરબેટ, ઊત્તમ જ્ય સંપાદન કરનારો એવો જે તું તે તારી પદરજે, આ વિરાટરાજના રાષ્ટ્ર દેશને સ્પર્શ કર્યો. એટલે આ રાષ્ટ્ર (દશ) આજ જે શત્રુ રહિત થયો. અને મારી ઊત્તરા કુંવરીને તે ભણાવી તેથી તે પણ શ્રેષ્ઠ ગુણી છે. કારણ ) છે. જેને, સર્વ કળાઓનો કુળદેવ એવો તું, ગીત નત્ય વાદ્ય કળા શિખવનારો થયો. વળી સાંપ્રતકાળે Sહે ધનુર્ધર શ્રેષ્ઠ અર્જુન, તે મારા પ્રિયપુત્રના પ્રાણનું રક્ષણ કર્યું, તેથી તે તું મારા જીવન અને જીવન થયો છે. આ કંક, વલવ, તંતિપાળ અને ગ્રંથિક-એઓનું પણ મારા પ્રાણ કરીને પણ કદી છોડાવાય એવું નથી. કારણ સાંપ્રતકાળ, દક્ષિણદિશાભણીથી સુશર્માદિક શત્રુઓએ ગાયો હરણ કરી છતાં તે શત્રુઓની સાથે યુદ્ધને સમયે શત્રુઓનો નાશ કરવામાં ચતુર એવા કંકાદિA ફોએ મારા યશનું અને મારા પ્રાણનું રક્ષણ કરવું. એવું વિરાટરાજનું ભાષણ સાંભળી પછી આનંદયુકત એવો કપિકેતુ અર્જુન, સ્મિત હાસ્ય છે. P કરી બોલ્યો કે હે રાજન, આ પાંડુપુત્રોનો શત્રુઓને વિષે જ્યરૂપ એવો કોઈ અખંડ સ્વભાવ છે. a છે એવું સંદિગ્ધ અર્જુનનું બોલવું સાંભળી આશ્ચર્યયુક્ત ચિત્તે વિરાટરાજાએ અર્જુનને પ્રશ્ન કરે છે છે કે હે અર્જુન, તું પાંડવોની વાત કહે છે માટે તું તો અર્જુન જ છે, તારે બાકીના પાંડવોની કેમ કેવી ? વાત છે? તે વિસ્તારપૂર્વક કહે. એવાં વિરાટ જનાં વચન સાંભળી અને રોમાંચ થઈ છે. પણ અન–હે રાજન, જેને અરિવથી કિંચિત પણ ભય નથી એવો જે સાક્ષાત ધર્મરાજ, તે આ કકછે, શત્રરૂપ વલિનો દાહ કરનાર કેવળ દાવાનળ, એવો જે ભીમસેન, તે આ વલ્લવ છે, છે જેણે શત્રુઓનાં કુળ અત્યંત છેદન કર્યા છે અને તે ગે કરીને જેને નકુલ નામ પ્રાપ્ત થયું " છે; એ જે નકલ, તે આ તંતિપાલ છે, શત્રસુદ્ધાં પણુ શરણે આવી જેની સેવા કરે છે; એવો જે . છે સહદેવ, તે આ ગ્રંથિક છે અને સુગ્ગાદેવિને નાનાપ્રકારે હર્ષવૃદ્ધિ કરનારી માલિની નામક જે 6. કે સદ્ધિ, તે દ્રોપદી છે. એવી અર્જુનની વાણી, કાનને ભુકણપણું પામી છતાં જેની સંપત્તિ આનંદકારક છે એવો રે વિરાટરાજ, અતિશય આનંદ થયો. ત્યાર પછી તરતજ અર્જુન પણ, યુધિષ્ઠિર રાજના ચરણ કમળ પ્રત્યે ગમન કરી આનંદાશ્રુકણરૂપ મુકતાફળેજ પૂજન કરતો છતે નમસ્કાર કરવા લાગ્યો. SS) વિરાટરાજ પણ ઉત્તમ વસ્ત્ર અને સુવર્ણાલંકારોએ સર્વ પાંડવોને અલંકૃત કરી યુધિષ્ઠિર રાજાને હિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy