SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ વૃષ્ટ—હે રાજપુત્ર, તું વિરાટરાજનો પુત્ર થઇને તને યુદ્દમાંથી આમ લાયન કરવું યોગ્ય નથી. કારણ શત્રુનું સૈન્ય જોઈ પલાયન કરવું એ ાર પુરૂષને અપકીર્તિનું કારણરૂપ છે. આ તારો પ્રાણ, તું આજ પલાયન કરી જઈશ તોપણ કોઇક દિવસે તો નિકળી જવાનો છે; ત્યારે નાશવંત એવા આ પ્રાણે કરી શાશ્વત (નિરંતરનો) યશ સંપાદન કરવો જોઈએ; તે ન કરતાં, તેં ઉત્તરે, “યુદ્ધમાંથી પલાયન કરશું” એવો તારો અપકીર્તિનો શબ્દ, તે કીર્તિરૂપ કોળાહળ કરી મગ્ન થયલા તારા વિરાઢપિતાને તારનાર થશે નહીં. અર્થાત; તેં સંપાદન કરેલી અપકીર્તિ, કીર્તિમાન વિરાટરાજાને મરણપર્યંત દુ:ખ દેશે, અને પછી અધોગતિ દેશે. એ માટે, જોકે તું યુદ્ઘને વિષે આનંદ રહિત છે તોપણ, હું તારી પાસેછું છતાં તું અહીંયાંથી પલાયન કરીશ નહીં. મારૂં બાહુ પાક્રમ, શત્રુને જીતતાં જીતતાં જ્યાં સુધી શોભે ત્યાંસુધી તું અહીંયાંજ રહે. એ પરાક્રમ જ્યારે શોભવાને ક્ષોભ પામે ત્યારે પછી તું પલાયન કરજે. માત્ર ગાયો હરણ કરાવિષેજ પરાક્રમી એવા આ શત્રુઓને, હું રથી થઈને જ્યાંસુધી છતું ત્યાંસુધી તું મારો સારથી થા. એવી એ વૃહન્નટની વાણીએ કરી અને ભયેકરી જેના નેત્રની કીકીઓ ચંચળ થખેલીઓ છે, અને પ્રાપ્ત થએલી લજ્જાના ભારે કરી વ્યાસ થએલો એવો હું, એ ગૃહસનું સારથ્ય કરતો હવો. હે તાત, “લોક આપણને હસશે” એવું જાણી કોઈપણ કાર્ય આરંભીએ, નહીં તો, પોતાનો નિવાઁડુ સુદ્ધાં પણ થતો નથી, યુદ્ધુને વિષે લજજા ધારણ કરીએ તો મૃત્યુ કિંવા પરાજ્ય પ્રાપ્ત થાયછે. અધમઁમાં લજ્જા ધારણ કરીએ તો ધર્મે કરી શત્રુઓથી જય પ્રાપ્ત થાય છે. અન્યાયને વિષે લાજ ધારણ કરીએ તો ન્યાયને વિષે વર્તણુક થાયછે; માટે લજ્જ છે, તેજ માત્ર સર્વે સારા નાં કામના આરંભને કારણરૂપ છે. પછી તે વૃહન્નયે પોતાનો સ્ત્રીવેષ ત્યાગ કરીને હાથમાં ધનુષ્ય ધારણ કરશું. તે સમયે એ વૃન્નટને મહા આનંદે કરી તટસ્થપણે કોણે ન જોયા? અર્થાત્ અને સર્વે જણોએ જોયો. હું પણ તે સમયે એ દિવ્ય મૂર્તિને જોઈ ચિંતન કરવા લાગ્યો કે, વૃન્નટના વૈધે આચ્છાદિત શરીરવાળો આ કોઈ ખેચર છે કે શું? અથવા આ મૂર્તિમાન ધ– નુર્વેદજ કે શું? અથવા સાક્ષાત વીરરસની મૂર્તિછે કે અથવા સર્વે મહા શૂર પુરૂષોના સામર્થનુંજ આ એક શરીર બાંધ્યું છે!! એ પ્રમાણે ચિંત્તન કરતાં આનંદયુકત મુખને વિષે જેનાં નેત્ર પ્રકુલ એલાં છે એવો હું, તે વીર વૃન્નટને જોતાં છતાં તૃપ્તિને પામ્યો નહીં. એટલામાં તો તે ગૃહન્નદે રાજાઓનાં મસ્તકોને તોડી નાખવા વિષે કુરાળ અને શત્રુઓનાં વક્ષસ્થળરૂપ પાષાણોનું વિદ્યારણ કરવ:ને ટાંકીજ હોયના! એવો ટંકાર શબ્દ કરનારૂં ધનુષ્ય વગાડવું. પછી શત્રુની સેનામાંના ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્યાદિકોએ અતિશય ત્વરાએ સાવધ થઇ તેજ સમયે પરસ્પર ભાષણ કરવું કે “અરે આ જુઓ આપણી સામો અર્જુન!! એજ અર્જુન!!! ખાણોની ધ્રુવી ષ્ટિ કરેછે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy