SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ન કી યુદ્ધવિષે જે જયતો ઉતાવોજ પ્રગટ થાય એવો વિચાર કરી કોઈપણ પ્રકારે કરી તે અને તેને જુનને ત્યાંજ મૂકી બાકીના સર્વે પાંડવો યુદ્ધને માટે નિકળ્યા. તે સમયે સહદેવે શમીવૃક્ષ ઉપરથી શસ્ત્રાગ્ર ગ્રહણકરી પોતે પોતાનાં લઈ બાકીનાં તેમનાં તેઓને આપ્યાં. પછી વિરાટરાજનું ઉત્તપણે દોડનારૂં જે અસૈન્ય, તેણે વિદ્યારણ કરેલી ભૂમિ, તે ધળના નિમિત્તે કરી વિષ્ણુપદને શરણ જતી હવી કે શું? અર્થાત તે ભૂમિની ધૂળ, વિષ્ણુપદ એટલે આકાશ-તેને આશ્રય કરતી છે હવી. તે સમયે સમતુલ્ય એવા આ વિરાટરાજાને જોઈ સ્ત્રીરૂપ દિશાઓ હમણાં કંપાયમાન થશે, છે છે તેને માટેજ કે શું તે ધળ દિશાઓને આચ્છાદન કરવા લાગી. અને તે વિરાટરાજને રણવાદ્ય ) દ્વનિ, તે સુશર્માના કર્ણને વિષે અત્યંત પ્રવેશ કરવા લાગ્યો, તે જાણે ચોર, ગાયે ચોરીને પલાયન કરી જઈશ નહીં એવું તેને યથેચ્છ કહેવા લાગ્યો કે શું પછી વિરાટ રાજા, ઉતાવળે ગમન કરનારા સુમિ પ્રત્યે બીજા કોઈ અતિ વાચાળ, એવા ઊત્તમ ભાટને મોકલી તેને ઊભો રખાવ્યો. તે સમયે જેને સુખ પ્રાપ્ત થયું છે એવો સુશમ, . સંપૂર્ણ ઘેનસમુદાયને પોતાની પછવાડે રાખી ઘણી સેનાએ વિરાટરાજને મારવા સારૂં ઊભે ન રહ્યો. તે સમયે ઊભય સેનામાંના, પરસ્પર મારવાની ઈચ્છા ધારણ કરી સન્મુખ ગમન કરનારા જી મહા વીરપુરૂષનું પરસ્પર બાણોના પ્રહારરૂપ મહા યુદ્ધ પ્રવૃત થયું. તે જાણે પીતવર્ણ સૂર્યકિરછે ને, બાણે કરી આવરણ કરનારૂં પિંજરૂજ હોયના! એવું થયું. તે યુદ્ધ સ્થળને ઠેકાણે, તે સમયે બંને સેનામાંના ધનુર્ધારીની ધનુષ્યની પ્રત્યંચાને સ્પર્શ કરનારાં એવાં બંને બાજુનાં બાણ, પરસ્પર નિશાન થયાં. પછી પરસ્પરનાં બાણોએ કરી પરસ્પર ખંડિત થએલીઓ બાણ પંક્તિઓ, આકાશથી નીચે પડતાં અધોમુખી થઈ, તે જાણે ભૂમિરૂપ પર્યકને વિષે સખેદ થઈ ઊંધવા સારૂજ પડીઓ કે શું એ પ્રમાણે બંને સેનાના બાણોએ કરી છિન્ન ભિન્ન થએલા અવયવોની પંક્તિઓ જેને વિષે છે એવો, અને લોહીનું વમન કરનાર વ્રણ જેને વિષે છે એવો દુર્ધર રણગ્રામ થયો. તેમાં લોહીની નદી વહેવા લાગી; તે એવી છે, જેમાં કપાઇ પડેલાં વીરોનાં મસ્તકો ક્રમરૂપે છે, કપાઈપડેલા હાથ પગ તે જેમાં મચ્છરૂપ છે અને જેમાં સુભટોના કપાઈ પડેલા હાથના પંઝા તે કમળ રૂપ છે; એવી તે વીરપુરૂષોના લોહીની નદી વહેવા લાગી. પછી વિરાટરાજના યોદ્ધાઓએ સુશર્માની સેનાને જેમ સમુદની લહેરી નદીની લહેરને પાછી હવવે છે; તેમ પાછી હટાવી. પછી થોડી એક રહેલી ઊત્યુ સેના સહવર્તમાન સુશમાં પોતે યુદ્ધ કરવા ઊડ્ય; તે જાણે શત્રુરૂપ તણને સંપૂર્ણ બાળવાની ઈચ્છા કરનારા દાવાગ્નિજ હોયના! સુરા મએ પોતાના તિવ્ર શસ્ત્રોની જવાળાએ કરી ભયભીત કરેલા વિરાટરાજાના સૈનીક લોક, છો જેમ અગ્નિની જવાળાએ ભીતિ પામેલા પક્ષિઓ આક્રોશ કરી નાશ પામે છે, તેમ નાશ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy