SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ છે દોડશે; અને બીજી દિશા ગ્રહણ કરીએ, તે સમયે સર્વ નગર શૂન્ય પ્રાય હશે, એટલે કેવળ પાંડવોજ ગાયોને છોડાવવા સારૂ બહાર નિકળશે. એ પ્રમાણે પાંડવો અત્યંત પ્રસિદ્ધ થશે ? છે એટલે તેઓને ઊચ્છેદ કરવા સારૂં હું તેના સહવર્તમાન આરંભ કરીશ.” - એવી રીતે તે સર્વની સાથે મસલહત કરી કાંઇએક શ્રેષ્ઠ સેનાએનાયુકત દિશાઓ કરતો દુર્યોધન રાજા, વિરાટનગરની પાસે આવવા વિષે પ્રસ્થાન કરતે હો. તે દુર્યોધનના સેના સંબંધી અોના ચરણોખાતે કરી ઉત્પન્ન થએલી ધૂળે મંડળ જેનું આચ્છાદિત થયું છે એવો સૂર્ય, ( તે દુર્યોધનને અન્યાય ન જેવા સાજ અદશતા પામ્યો કે શુંએવો છવાઈ ગયો. વળી જાણે છે ઈ મૂર્તિમાન અધર્મજ હોયના! એવી અશ્વસેનાથી ઉત્પન્ન થઈ પતન પામનારી ધૂળેકરી, સનદીઓ શુષ્ક થઈઓ. “કરૂત્રને પ્રદીપરૂપ તું દુર્યોધન-તેને સાંપ્રતકાળે ચૌર્ય કર્મ કરવું યોગ્ય નથી ? એવું કહેવાને માટે જ જણે હોયના! તેમ તે દુર્યોધનની સન્મુખ વાયુ આવવા લાગ્યો. “આ કર્મ સાક્ષી સૂર્ય જોતાં છતાં તને એ કર્મ કરવું યોગ્ય નથી એવું કહેનારાજ જાણે હોયના! તેમ સૂર્યના અધોભાગે રહી શીયાળવાં બોલવા લાગ્યાં. પછી તે દુર્યોધન, થએલા અપશુકનોનો કાંઈપણ વિચાર નહી કરી, ઉતાવળે પ્રયાણ કરી, વિરાટરાજાના નગરની પાસે આવ્યો. પછી નગરની જ પાસે દોણાદિક સહવર્તમાન આવેલા દુર્યોધનને જોઈને, વિરાટરાજાનો શ્રેષ્ઠ ત, વિરાટજની ) 6 રાજસભામાં જઈ સગદિત કંઠે તે દુર્યોધન સંબંધી વૃત્તાંત કહેવા લાગ્યું. તે સાંભળીને પછી તો જ પોતાની સેનાના સમુદાયના ભારે કરી પૃથ્વી જેણે એક બાજુ ભણીથી નમાવી નાખેલી છે, આ કે એ વિરાટરાજા; દુર્યોધન પ્રત્યે યુદ્ધ કરવા સારું તૈયારી કરે છે; એટલામાં જ કૌરવૃવીરોના બાણે કરીને જેઓનાં સર્વ શરીર વિધાઈને ઘણયુકત થઈ ગયેલાં છે એવા શેવાળ લોકો, વિરાટરાજાના (ામાં આવી ઊંચસ્વરે પોકાર કરી ભાષણ કરવા લાગ્યા કે “હે રાજન, દુર્યોધનને પક્ષપાતી એવો સુરામરાજ, તે પુષ્કળ સૈન્યસમુદાય ગ્રહણ કરી અમારી પાસે આવી અમે ઉપર બાણ પ્રહાર છો કરી, દક્ષિણદિશા ભણીની સર્વ ગાયે હરણ કરી લઈ જાય છે; માટે હે પૃથ્વીપતિ, ક્ષત્રિધર્મને ( આગળ કરી ગાયને પાછી વાળવાસા વેગે ધાઓ ધાઓ.” એ પ્રમાણે ગોવાળાઓની કરૂણયુક્ત વાણી સાંભળી વિરાટાજા, તે ક્ષણે “પ્રાણ જતાં છે. પણ ગાયોનું રક્ષણ કરવું એવી ઈચ્છા કરવા લાગ્યો. કારણ, સાધુ પુરૂષો જે છે તેઓ ગાય, તે SS ષિ, બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીઓએઓનું રક્ષણ કરવામાં પોતાના પ્રાણને પણ તૃણતુલ્ય ) છે માને છે તો તેને યશ કેટલે પ્રિય હશે!! પછી સંગ્રામરસની વાચાળ એવી સેનાએ કરી સર્વ જ A% દિશા વ્યક્ત કરતાં છતાં તે સર્વ સેના સાથે લઈ વિરાટરાજા પ્રસ્થાન કરતો હતો. તે સમયે બની હતી ૭) સાથે યુદ્ધમાં કૌતકવાન અને ગાન્ડીવ ધનુષ્યને નચાવનારો એવો અર્જુન સ્ત્રીવેષને પરિત્યાગ ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy