SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ હું તે મારા પ્રત્યે તે દયાળુ ભિલ્લ ફરી આવીને બે કે “હે ભદે, તું શા માટે ચિંતા કરે છે. જે રાજાના કંઠનું અવલંબન કરી રહેલી રત્નમાળા છે તે લે, અને સરોવરના જળમાં બોળી બળી એ માળાવડે એના ઉપર જળસંચન કર એવાં તે ભિળનાં વચન સાંભળી આ રત્નમાળાએ કરી તમારા ઉપર જળસિંચન કરું છું. તેણે કરી તમારામાં ચૈતન્ય લાભ થવાથી મારા સર્વ મને રથ સફળ થયા. “વિના કારણે પરોપકાર કરનાર તે દયાળુ ભિd હમણાં ક્યાં ગયો છે એવું દ્રોપદીને રાજ યુધિષ્ઠિરે આનંદ મન કરી પુછયું. તે સમયે તે ભિલ અત્યાર સુધી અહિંયાં છે જ હતો ને હમણાં કોણ જાણે ક્યાં ગયો?” એવું દ્રૌપદીએ કહ્યું. ત્યારે ફરી ફરીને અહીં તહીં સર્વ ID કે દિશાભણી તે ભિલ્લનો યુધિષ્ઠિર રાજ શોધ કરવા લાગ્યા. તે સમયે નહીં ત્યાં તે ભિક્ષ, નહિ હૈ સરોવર, નહિ વડવૃક્ષ, નહિ વન, નહિં આકાશચારી કે નહિ તે રાજ, એમ સર્વ અલોપ થએલું છે. દીઠું, અને પોતે આશ્રમનેવિષે પર્ણકુટીની પાસે હર્ષયુક્ત થઈબંધુ સહિત તપશ્ચર્યા કરતા બંધ છે; એવું જોયું. અને ત્યાંજ અગ્રભાગે, કાંચનની વૃતિ સરખો જેના અંગને વર્ણ છે અને માણિકયના તાતંક જેના કર્ણમાં ચલન પામે છે (અથત પ્રકાશે છે) એવા એક દિવ્ય મૂર્તિવાળા પુરૂષને યુધિષ્ઠિર રાજાએ જે. તેને જોઈ આનંદે કરી પૂજા વંદણાદિ વિસરી જઈ સ્તબ્ધ થનારા એવા ધર્મરાજા પ્રત્યે પ્રસન્નતાયુકત જેનું મુખ છે એવો તે પુરુષ બોલ્યો કે “હે રાજન, તે એકાગ્રચિત્તે જે ધર્મોપાસના કરી હતી, તેને આ બધો પ્રભાવ છે એમ જાણે છે. હું સૌધર્મદેવલોકમાં નિવાસ કરનારો છું. સૌધર્મ ઇંદનો વલ્લભ દેવ છું અને મારું નામ ધર્માવસ છે. ધાર્મિકોનું હું પ્રતિપાલન છે કરનારો છું. તમે તપનિયમશાલીને કન્યા રાક્ષસીથી બાધા પ્રાપ્ત થનારી છે એવું અવધિજ્ઞાને જાણી લઈ તેનો નાશ કરવા માગે આ સ્થળે હું આવ્યું, અને કૃત્રિમ સેન કરી મેં તમારી પ્રિયાનું હરણ કર્યું, તથા મેં કરાઘાત (ચાબકાના માર) ના નિમિત્તે કરી કલ્પવૃક્ષના પુષ્પની માળાએ પૂજા કરી. વળી અમૃત સરખા જળવાળા સરોવરને ઉત્પન્ન કરી માત્ર તમારે વિષેજ મેં તે સશે. તો વરને વિષતુલ્ય કરવું. પછી ભિલ પણ હું થયો, સાંપ્રત તો તમારું દુકૃત ભોગવી છૂટ્યા. તમારા સર્વ અનિષ્ટનું નિવારણ થયું તે માત્ર તમારા તપના પ્રભાવે કરી થયું છે એમ જાન છે મુજે. કારણુ, તપ છે તે આ લોકને વિષે પણ પ્રભુત્વ પમાડનાર છે. હવે મને સ્વર્ગમાં પાછા જવાની આજ્ઞા આપો. હું તમારો હાયકારક છું; એવું મને તમે જાણો.” એમ કહી તે દેવ જ્યારે કે ત્યાંથી ગયો; તે સમયે સૂર્ય પણ અસ્ત પામ્યો. તે જાણે સતપુરૂષોને પરોપકાર જોઇને હર્ષમાંજ નિમગ્ન થયો કે શું સૂર્ય અસ્ત થયો તે સમયે રાત્રીરૂપી સ્ત્રી આકાશરૂપી થાળમાં નક્ષત્રરૂપ અક્ષત ભરીને અને ચંદ્રરૂપ દહીં ભરીને મહાત્મા નરેને વધાવવા આવી હોયના! એવી શેથઈ જવા લાગી. દુર્યોધનના મત્સરપણાને વિના મનની કુરતાને, કૃત્યાના ભયંકરપણાને અને દેવ શષ્ટ @ @@ c Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy