SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ જ શૂન્યવનના ભયંકર માર્ગને વિષે શા માટે ભમે છે તું મારી સાથે આવ્યા તારા પ્રાણવલ અહીંથી જ SS પાસેજ મતપ્રાય થઈ પડ્યા છે તે તને હું દેખાતું એવું કહી મને તેણે તમારી પાસે આણી. અને વળી ફની માતાને પણ તે ભિક્ષુ અહીંયાં લઈ આવ્યો. તે સમયે તમને મૃતપ્રાય ઈ કુંતીને અને મને તેમાં અશ્રુ આવ્યાં. અને અતિશય શેકે કરી અમે વ્યાપ્ત થએલી હતીઓ એટ- 5 ૭) લામાં સહસા કિલકિલારવ અમાર સાંભળવામાં આવ્યો ને જોઈએ છે તે, પહોળું મુખ કરી દાઢ કાવતી હતી તેણે કરી ભયંકર, પિંગળનેત્રવાળી, પીળા કેશવાળી, શ્યામવર્ણ અને કેતકાર કરી કર્ણને અત્યંત દુઃખદાયક એવી એક રાક્ષસણીને ત્વરાથી અંતરિક્ષ મા આવતી અમે દીઠી. . દૂરથી તેને અત્યંત ભેરવાકાર જોઈ અમે અતિશય ભય પામેલીઓએ નિશ્ચય કરો કે તેજ કૃત્યા આવી. તે સમયે અમે અત્યંત ભયાતુર થઈ કંપવા લાગી. અમને કંપતીઓ જોઈ સ્નેહે કરી જેનું સદ્ગદિત ચિત્ત થયું છે તે પિતાતુલ્ય દયાળુ બિલ અંતર્ધાન થઈ અમારું હિત કરવા વિષે ઉઘુક્ત થય; એટલામાં કૃત્યા નજીક આવી, તેણે તમને મૃતપ્રાય જોઈ છેતાની પાસે રહેનારી બીજી પિંગળા નામની રાક્ષસી પ્રત્યે ભાષણ કરવા લાગી કે હે પિગળા, આ મરણ પામેલા પાંડવોને મારવા સારંજ તે દુરાત્મા બ્રાહ્મણે મને મોકલી છે કે શું માટે આ પાં વોનું મરણ નિષ્કપટ છે કે કૃત્રિમ છે? તે તું તેમની પાસે જઈ સારી રીતે પણ એવાં સ્વા6 મિનીનાં વચન સાંભળી તમને જોવા સારું તે પિંગળા, પાસે આવી. તે સમયે તે દયાળુ ભિક્ષ a તેની પ્રત્યે બોલ્યો કે હે પિંગળે, મૃતકને સ્પર્શ કરે તને મંગળકર્તા નથી. આ પુરૂષ તે સરોવરમાં વિષપાન (જળપાન) કરી મરણ પામ્યા છે, એમાં સંશય નથી. વળી હે ચંડી, પાંડવો જે કિશ્ચિત પણ જીવતા હોત તો પોતાના વિપક્ષિઓને ક્ષય કરવા તેઓ નિશ્ચય કરી પરાક્રમ કરત. વળી હે ચંડી, શિઆલણી અને કુતરી ઇત્યાદિક નિચ જાપદો, મતક ઉપર જઈ બેસે છે અને માંસ ખાય છે; પણ સિહવધુ તો જીવતા હસ્તિઓના કુંભસ્થળો ઉપર જઈ બેસે છે.” એ પ્રમા- ણેનાં ભિક્ષનાં યુતિવાળાં વચન સાંભળી પિંગળારાક્ષસી આકાશમાર્ગ કરી પાછી જઈ ત્યારે તે વર્તમાન કહેવા લાગી. તે સમયે તે કત્યા પિતાને ફસાવનારા બ્રાહ્મણનો નાશ કરવા ત્યાંથી પાછી છે જ ફરી. દુષ્ટપુરૂષે કરેલો પ્રયોગ તે પ્રયોગ કરનારા દુપુરૂષને નાશ કરે છે. તે કત્યાના ગયા છે છેપછી કુંતી તથા હું બંને જણીઓ તમારી પાસે આવી અને રૂદન કરવા લાગી. તે . Sી સમયે નાગરાજનું વચન મને સાંભરી આવ્યું; તે મેં તરતજ કુંતી માતાને કહ્યું કે હે દૈવિ, મારા, ગર કર્ણભૂષણનાં કમળ છે તે અદ્યાપિ પ્રફુલ્લ છે, માટે આ તમારા પુત્રને પ્રાણવિયોગ થયો નથી પરિણામ પામનારા કોઈ એક વિપત્તિરૂપ વમળે કરી આ પાંડવો માત્ર મૂચ્છિત થયા છે. ) માટે એઓની મૂચ્છ ટળે એવો કોઈ ઉપાય આપણે શોધવો જોઇએ. એવું બોલનારી જે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy