SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ છે. પ્રત્યે બોલ્યો કે હે વત્સ તું વેગથી જ,જળ આણવા સારૂ મોકલેલા કનિટ બંધુઓને કેમ વાર લાગી? 6 SS તે વૃત્તાંત તું જાણું અને ઉતાવળે ત્યાં જઈ પાણી લાવીને મારી તુષા હરણ કર. એવાં યુધિષ્ઠિરનાં ? વચન સાંભળી અતિ ઉતાવળે ગમન કરનાર અને તે સરોવર પ્રત્યે જઈ પોતાના બાહુ સરખા પ્રિય એવા નકુળ સહદેવને મૂચ્છિત થયેલા દીઠા. તેઓને મૂછિત જોઈ અર્જુન અતિશય ડુસકાં ભરી વિલાપ કરે છે. અન–હે વત્સ, તમોને આ દશાએ કોણે પ્રાપ્ત કા? હેવો, તમે વહેલા ઉો, 9 આર્ય યુધિષ્ઠિર બહુ ખેદ પામે છે; તે માટે તેને સત્કાર પૂર્વક જળ સમર્પણ કરે. હા વત્સો, જો આ અબેલા પણ તમને કહો કે તમને આ મહાભય કોણે ઉત્પન્ન કરવું? જે તે મને કહે છે કે તો હું તેને શાસન કરૂં. કિવા ધર્મરાજની પ્રથમ તૃષા મટાડી પછી આ વિપત્તિને યત્ન કરી પ્રતિકાર કરીશ એવું વિચારી,નાશિકામાંથી અને નેત્રોમાંથી પાણી ઝરે છે એવો અર્જુન, સોવ- ૨ રમાં જઈ યથેચ્છ જળપાન કરી યુધિષ્ઠિરને માટે જળ લઈ થોડેક દૂર ચાલ્યો. અને અશ્રુજળ ણ વહે છે તથા હાથમાં પાણી લીધું છે એવો અર્જુન, નકુલ અને સહદેવની પાસે આવ્યો એટલે છે તે પણ ત્યાં મૂચ્છિત થઈ બેની પાસે ત્રીજો પણ પડશે. તેને આવતાં ઘણુવાર થઈ ત્યારે ) ધર્મરાજા ભીમસેન પ્રત્યે બોલ્યા. યુધિષ્ઠિરહે વત્સ, નકુલ સહદેવની શોધ આણવા અર્જુનને મોકલ્યો છે તેને ઘણીવાર છે. કેમ થઈ માટે સ્વભાવિક પ્રીતિએ શેભનારા કનિષ્ટ બંધુવર્ગનું વૃત્તાંત ત્યાં જઈને તું જાણું અને છે પાણી આણીને મને તૃષા રહિત કર. એવાં જેરુબંધુ યુધિષ્ઠિરનાં વચન સાંભળી ભીમસેન તે સરોવરની તીરે ગયે. ત્યાં પોતાના બંધુઓને મૃતક તુલ્ય થઈ પડેલા જોઈ ભીમસેન વિલાપ કરવા લાગ્યો કે “હે વત્સ, તમને આ અવદશા ક્યાંથી પ્રાપ્ત થઈ? અહીંયાં તમને આવી અવદશા પ્રાપ્ત થઇ છે અને ત્યાં રાજા યુધિષ્ઠિર વાત છે તેથી કલેષ પામે છે. વળી કોઈએક આપણા શરુએ દોપદીનું હરણ કર્યું છે, અને કુંતી માતા એકાકી છે. એમ એક પછી એક દુઃખ પછવાડે આવી રહેલાં છે. અને જે કારણે આવી રીતે આપણી સાથે દેવ દ્રોહ કરી દુઃખ ઉત્પન્ન કરે છે તે કારણ શું હશે? તે હું જાણતો નથી પરંતુ હે વત્સ પ્રથમ આ પાણીના ગે યુધિષ્ઠિર રાજની તૃષા મટાડી પછી તે દેવને પણ પ્રતિકાર કરીશ. એવી રીતે શેક કરીને પછી ભીમસેન તે સરોવરમાં જઈ તરસને મટાડના પાણી પીને અને યુધિષ્ઠિર સારું તે પાણી લઈને જ્યાં પોતાના કનિટ બંધુઓ પડ્યા હતા ત્યાંસુધી આવ્યો એટલે તે પણ સૂચ્છિત થઈ બંધુઓના સરખી અવસ્થાને પામ્યો. પછી ભીમS) સેનને પણ ત્યાં ઘણીવાર થઈ જાણી યુધિષ્ઠર રાજા વિચારે છે કે ભીમસેન પણ આવવામાં વિલંબ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy