SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ છે અશ્વની ઉપર બેસી લઈ ચાલ્યો. તે સમયે દ્રૌપદીએ હદય વિહી થાય એવું અતિશય ઉચસ્વરે છે છે રૂદન કરવાનું આરંભ્ય; તે પાંડવોએ સાંભળ્યું, ત્યારે તે સેનાની સાથે યુદ્ધ કરવું મૂકી દઇ દ્રૌપ- ? દીનું હરણ કરનાર તે પુરૂષની ભણી મહા વેગથી ધાયા. પાંડવો આવે એટલામાં તો તે પુરુષ દ્રૌ પદીને લઈ અતિ વેગવાન ઘોડાના યોગે કરી પોતાની સેનામાં આવતો રહ્યો. હવે એક તરફ તે ૭) રજાનું સર્વ સૈન્ય અને એક તરફ પાંચ પાંડવો તથાપિ તે બળશાળી પાંડવોને કિંચિત, પણ ક્ષોભ C (Dથયો નહીં. “અમારી પ્રિયાનું હરણ કરી તું ક્યાં નાશી જાય છે? ક્યાં નાશી જાય છે? એવું છે. કહી તેના ઉપર અને બાણષ્ટિ કરવા માંડી. અને તે રાજાની સેનારૂપ સપ્ત સમુદને પોતાના છે. બાણે કરી શુદ્ધ કરી નાખવા અર્જુન અગસ્તરૂપ આચરણ કરતો આગળ વધ્યો. એ પ્રમાણે છે Sઈ જ્યારે પાંડવો યુદ્ધ કરતા કરતા સમિપ આવ્યા ત્યારે તે રાજા દ્રૌપદીને ચાબકાના મારે તાડન અને કરવા લાગ્યો. એવા તે તિરસ્કારરૂપી તાપે કરી, સૂર્યના તાપે કરી અને તપશ્ચર્યા કરી તે પાં ડવોને તાલુને શોષણ કરનારી તુષા પ્રાપ્ત થઈ. તે તૃષાના અતિશયે કરી અત્યંત ગ્લાન થએલો છ) ધર્મરાજા પોતાના બંધુઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે હે વત્સો, મને તૃષા બહુજ પીડા કરે છે. છે (” કોમળ તૃણસરખી પત્રોની પંકિતએ કરી જે “જળ પાસેજ છે એમ સૂચન કરનારું એવું અતિ છે પાસે ડાબી બાજુ ભણી વડવૃક્ષ છે તે તમે જુઓ છંદનીલમણી સરખાં નેત્રને પ્રિયકર પત્રોએ કરી છે છે યુકત એવું આ વડવૃક્ષ દૂરથી જોતાં મને બંધુ સરખુ સંતુષ્ટ કરે છે. એ વૃક્ષની ડાબી બાજુએ તો પંથિજનોના આશ્વાસન હેતુ સેતુ (પાળ) રચેલો છે. તે સેતુ, “પાસેજ વિસ્તર્ણ સરોવર છે એવું તૃષાર્તિજનોને સૂચવે છે. વળી વંજુલ કબુતર, ચકોર, અને કાક એવાં વિવિધ જાતીનાં અને વિ૭ વિધરંગનાં વિહંગ એની આસપાસ કુંજારવ કરે છે તે જાણે જળ વૈભવના બંદીજન હોયના! એવા 95 S ભાસે છે. વળી એ સરોવરમાંથી મૃગનાં ટોળાં કેટલાંક નિસરે છે અને કેટલાંક પ્રવેશ કરે છે. તે આ છે માટે એ સરોવરનું જળ નિર્મળ, સ્વાદિષ્ટ, નિર્દોષ અને પીવાયોગ્ય હશે. આપણને જોઈ દ્રૌGS પદીનું હરણ કરનાર આ ચોર પુરૂષ જ્યાં સુધી વિલંબ કરે છે, તેટલા સમયમાં તમે જળ લઈ આવે છે. હું જળપાન કરી તૃપા રહિત થયા પછી બાહુ બળે કરી એ શત્રુને નિશ્ચય યમપુરીમાં પોચાડી આપણી પ્રિયાને પાછી લાવીશ. એવું કહી તે સરોવરમાંથી ઉતાવળે જળ આણવા સારૂ યુધિષ્ઠિરે નકુળ અને સહદેવને SY મોકલ્યા. પછી તે બંને જણે ઉતાવળે તે સરોવર પ્રત્યે જઈ યથેચ્છ જળપાન કરું, અને કર્મળ ગર આ પત્રના દડીઆ કરી તેમાં જળ ભરી લઈ પાંચ છ ડગલાં આગળ ચાલ્યા. પછી તેઓ પ્રાપ્ત થયેલી તે અને ન સહન કરનાર હોઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. વિદારણ કર્યું છે જેણે મર્મસ્થાન 6 રાકમાં પ્રાણી માત્રને વિબના કરે છે. પાણી લાવતાં વાર થઈ તેથી રાજા યુધિષ્ઠિર અને જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy