SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભીમસેને અર્જુનના ભાથામાંથી એક તીક્ષ્ય બાણ લઈ તેની વડે જયદથના મસ્તકનું મધ્યભાગથી પણ મુંડન કરી તેની ઉપર પાંચ શિખા કરી. પછી દ્રૌપદીને પોતાના બાહુએ લઈ વકોદર જ્યદથ પ્રત્યે બોલ્યો કે હે અધમ કૃતી માતાની આજ્ઞાએ તને જીવતે મક; માટે હવે અહીંથી આ જ એવી રીતે પાંચાળી દેખતાં તેની દુર્દશા કરી, ત્યારે તે લજજાયે કરી અધોમુખે ભીમસેન પ્રત્યે કહે છે. જયદ્રથ -બળના ગર્વવાળા પીનોદર (મોટા પેટવાળા) વકોદર, વિવેકનો ટેક છેક દૂર કરી છે મારી આ દશા કરી, પણ સાંભળ. તમે પાંચેના મૃત્યુ હતુ આ પાંચ શિખા ધૂમકેતુરૂપ જાણજે. જયદ્રથનું વચન ભીમાર્જીને નિર્ભયતાથી સાંભળ્યું અને ત્યાંથી દ્રૌપદીને સાથે લઇ આર્ય યુધિષ્ઠિર પાસે આવ્યા. તેમને જ્યદથનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સર્વ પાંડવોને પરસ્પર હસવા વિષે કારણ રૂપ થયું. કોઈ સમયે તેમના આશ્રમે સર્વ પાંડવો એકત્ર છતાં ત્યાં નારદમુનિ આવ્યા. તેમનો આદર સત્કાર કરી આસન ઉપર બેસાડી તેમને ભીમસેન પુછવા લાગ્યું કે હે મુનિંદ, આપ હમણાં ક્યાંથી આવો છો? તે સાંભળી નારદ આનંદિત થઈ બોલ્યા કે, હે ભીમસેન, દુર દુર્યોધનને તમે કૌતુકે કરી બંધન મુક્ત કરાવી અહીંથી મોકલી દીધાનું વૃત્તાંત સાંભળી હું અહીં આવ્યો છું. ભીમસેન (સ્મિત હસીને) હે મુનિ પુંગવ, અહીંયાંથી દુર્યોધન શી રીતે ગયો? હમણાં તે ક્યાં છે? તે સર્વ વાત કૃપા કરીને કહો. છે . નારદ–હે પાંડેય, જ્યારે અહીંથી તે જવા નિકળ્યો ત્યારે પગમાં બેડીઓ ઘાલેલી તેના T કાપા પડેલા તેથી ચલાય નહીં એ, અંતઃકરણમાં જેને અતિ ક્રોધ થયો છે અને જેણે એને કેર બાંધેલો તેની સાથે તમારે મિત્રાચાર છે એમ ચિંતન કરી લેશ પામતો એવો દુર્યોધન, દુશાસનના અંધ ઊપર પોતાની ભુજાઓ મેલી ચલતે હતો. તે સમયે માર્ગમાં પોતાના કનિષ્ટ બંધુઓ પણ છો પોતાના સરખેજ બંધન પામીને ચાલવા માટે અશકત થએલા મોટા સંકટ કરી કોઈ પગે લંગડાતા અને કોઈ બીજના સ્કંધ ઊપર હાથ મેલી ચાલતા જોઈ દુર્યોધન બહુ દુઃખી થયો. અપંથે જતાં છે. શીમળાનું એક વૃક્ષ આવ્યું, તે વૃક્ષની નીચે દુર્યોધનને ધીમે ધીમે લઈ જઈને એકાંત સ્થળમાં છે દુઃશાસને બેસાડશે. ત્યાં તેનું સર્વ વત્તાંત દુર્યોધનના અંગરક્ષકોની પાસેથી સાંભળી કર્ણ મહા બેદ યુક્ત થયો. કર્ણ ઉદાસ થએલો છે તો પણ તે દુર્યોધનનું ધીમે ધીમે શાંત્વન કરવા લાગ્યો. - કર્ણ—હે દેવ, ચિત્રાંગદ રૂપદુસ્તર મહાપદાથી પાંડવોએ તને વિમુકત કરો તેમાં આપણી . લેશ માત્ર પણ ન્યૂનતા નથી. કર્ણની વાણું સાંભળી શકસંકુલ દુર્યોધન તિરસ્કાર યુક્ત બેલ્યો. આ છે. દુધન–હે સુત પુત્ર, જય અથવા પરાજ્ય તને તું જીવીશ ત્યાં સુધી સરળ છે. તે @ @ડેષ્ઠ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy