SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ િથોડો ઘણો દુઃખિત થઈ બંધુ સહવર્તમાન અને યુધિષ્ટિર રાજ હસ્તિનાપુરને વિષે મોકલતો હતો. આ Sી દુર્યોધન પણ ત્યાંથી કાળુ હું કરી ઉઠીને જવા લાગ્યો. મારવાડ દેશમાં વૃષ્ટિ થએલું જળ જેમ ? સ્થિર રહેતું નથી તેમ દુષ્ટબુદ્ધિ પુરૂષને કરેલા ઉપકાર તેના મનમાં સ્થિર રહેતા નથી ને નિષ્ફળ જાય છે. ત્યારપછી ધર્મરાજ, ચંદશેખરને તથા ચિત્રાંગદ ગંધર્વને વિદાય કરી અર્જુન સહવર્ત માન નાના પ્રકારના વાણી વિનોદ કરતા ત્યાંજ રહ્યા. આ ચરિત્રમાં આર્ય પુત્ર યુધિષ્ઠિરની દયા ( દુર્યોધનની કથા, અને દુઃશાસનાદિ બંધુઓને ઉપહાસ એ સર્વનું વર્ણન કરવું. અહીંયા દૈતવનમાં તે પાંડવો આનંદે કરી રહેતા હતા. એક દિવસ પ્રાતઃકાળમાં આકાશમાં પ્રસરેલી રજ તેઓના જોવામાં આવી. તેનું કારણ શોધતાં તેઓને માલમ પડ્યું કે હસ્તિનાપુરથી ચતુરંગસેના લઈને જયદદૈતવનમાં આવ્યો છે. તેની સાયુધ વીર હસ્તિ, સ્વાર અને રથાદિક વાળી સેનાના ચાલવાથી ઉડેલી રજે કરી આકાશવ્યાપ્ત થઈ રહ્યું છે. થોડીવારમાં દુશલાને પતિ જ્યદથ પિતાના પરિવારસહિત કુંતીને નમસ્કાર કરવા સારૂં તે સ્થળે આવ્યો અને જ્યાં તી બેઠી હતી ત્યાં જઈ તેને વંદન કરવા લાગ્યો. તે સમયે કુંતીએ ઊત્તમ આશિર્વાદે કરી તેને પરમ સંતોષ પમાડી તે જ્યદ્રથ જમાઈ થાય તેથી કરી બહુ હર્ષ અને માને કરી કેટલાક કાળ પર્યંત તેને ત્યાંજ આગ્રહથી ( રાખ્યો. માતાની આજ્ઞાથી અને મંત્રવડે પ્રાપ્ત કરેલી પકવાનાદિ રસવતીએ. કરી જ્યદ્રથની ખાનપાનાદિકની સારી આગતા સ્વાગતા કરી. એક સમયે સર્વ પાંડવો વનમાં જંબુક્રા કરવા ગયા. તે લાગ જોઈ જેમ રાવણે જાનકીનું છે હરણ કર્યું હતું તેમ જ્યદયે પહેકરી દ્રૌપદીનું હરણ કર્યું. દુરાત્મા પુરૂષ સુકૃત પુરૂષોની સાથે જ B સદાય વૈર સાથે છે. અમૃત પાઈને ઊછેરેલો સર્ષ અમૃત પાનારને પણ જમાવના રહે નહી. કે. જે સમયે દ્રોપદીને લઈ જ્યદ્રથ ચાલ્યો તે સમયે તે દ્રૌપદી પ્રત્યેકનું નામ લઈ પોતાના પાંચે પતિઓને પોકાર ભારતી ઊંચે સ્વરે રૂદન કરતી હતી. ભીમસેન અને અર્જુન એટલામાં પાસે જ હતા તેઓ અતિ પ્રિય એવી દ્રોપદીનું રૂદન સાંભળી મહાક્રોધ કરી દોડતા ત્યાં આવ્યા. આશ્રમમાં કુંતી હતી તેણે ભીમાર્જુનને કહ્યું કે જો જ્યદયને જીવથી મારશે તો દુશલા વિધવા થશે; માટે એની જીવ રક્ષા કરો. ભીમાર્જુન ત્યાંથી જ્યદથની પછવાડે મહા વેગથી ધાયા. યુદ્ધમાં જેઓના બાહુઓ ફરાળ છે એવા તે બેયને આવતા જોઈ સેનાનો ભયંકર યૂહ રચી યુદ્ધ કરવા & જયદ્રથ સન્મુખ થયો. તે સમયે ભીમસેને જેમ પર્વત ઊપર વજ બહાર પડે છે તેમ જાદથની સેનાના હાથીઓ ઊપર ગદા પ્રહાર કરી ઘણા હાથીઓ પૃથ્વી ઉપર પાડ્યા. મહા વિષમ બળે ભીમસેને રોદ્ર રૂપે થઈ જ્યદયની કેટલીક સેનાને નાશ કરો. અને કેટલીક સેના પલાયન કરી ગઈ . તે સમયે એકાકી જયદ્રથને જેમ ચોરને બાંધી લે તેમ અને તેના જ ખાવરણ વચ્ચે કરી બાંધી લીધો, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy