SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ છેકરી અને એકાંતમાં બેસી વિદ્યાદારે બેચરાધિશ ઇદની પ્રાર્થના કરી. તે સમયે બેચરસુભટોની બહુસેના આપી ચંદ્રશેખરને અર્જુનની પાસે મોકલ્યો. ચંદ્રશેખર ઈદના વિમાનમાં બેસી બેચરોની સેના સહિત અર્જુનની પાસે આવ્યો. અને તેને નમસ્કાર કરો. એટલામાં તો આ અલંકૃત થએલા અને શસ્ત્રાસ્ત્ર સજેલા એવા વિદ્યાધરનાં વિમાનો ત્યાહાં થઈને દૈત વનમાંથી કોડ દૂર નિકળી ચાલ્યાં; તે, અર્જુનની સેનામાંના સુભટોએ જોયો તો તેમાં બંધુ સહિત બંધન કરેલા છે અને સેનાની મધ્યમાં રાખી રક્ષણ કરેલા દુર્યોધનને છે. તે સમયે અર્જુન પણ તેને બંધન કરેલો જોઈ મહાવેગે છોડવવા સારું ધાયો. વળી અર્જુનના સેનાધિપતિએ વિદ્યાધરેશ્વરને કહ્યું કે, દુર્યોધનને બંધુ અને તમારો શત્રુ તમારી લગભગ આવ્યો છે માટે ઉભા રહો, ઉભા રહો. આ જ વચન ખેચશ્વરને વિષ તુલ્ય અને દુર્યોધનને પિયૂષ ગંડૂષ (અમૃતના કોગળા) તુલ્ય લાગ્યાં. એકજ કાળ અને એકજ વચન છતાં ભિન્ન અધિકારીઓના ભેદે કરી તે વચનને એવી રીતે રસ કે ભેદ થઈ ગયો. પછી અર્જુનને સેનાધિપતિ દુર્યોધનના બંધનને જોઈ તે ખેચશેની સાથે તીવ્ર 5 બાણ કરી યુદ્ધ કરવાનો આરંભ કરવા લાગ્યો. તે સમયે પોતાના સ્વામિની સંપૂર્ણ કાતિનું ફળ એવા દુર્યોધનને ન છોડવા સારૂં મહા અભિમાની સર્વ ખેચશે અતિ શૌર્યથી અર્જુનાદિકના સાથે આ યુદ્ધ કરવા પ્રવૃત થયા. એ પ્રમાણે આગળ ઊભેલી સેનાનું યુદ્ધ શરું થયું એટલે આયુધ ધારણ છે. " કરનાર કપિજ અર્જુને બંધન કરેલા દુર્યોધનને સમિપ ભાગે જોયો. તે સમયે દુર્યોધન, અને એ જૂનને જોઈ મહા ખેયુક્ત થયો, મુખ પણ મલિન થઈ ગયું, અને તે એવી ચિંતા કરવા લાગે છે કે “હે દેવ, તું મારા ઊપર કોપ કરીને સાંપ્રતકાળે મને મોત કાં આપતું નથી! આ બંદીગ્રહથી અર્જુનદાર મારું બંધન મુકત થવું તે નિરંતર મારા હૃદયને વિષે મર્મ ભેદન કરનારું અને મૃત્યુ કરતાં પણ અધિક થશે.” એકમાણે ક્રોધ કરી ચિંતાતુર થએલા દુર્યોધનની પાસે તે બેરેશ્વર પણ આવ્યો અને જુએ છે તે ત્યાં અર્જુનને દુર્યોધન પાસે ઉભેલો તેણે દીઠો. તે સમયે તે ખેચશ્વરે Uી પોતાના સુભટોને દુર્યોધનના દેખતાં યુદ્ધ કરતા બંધ રાખ્યા. અને પછી તે ચરેશ્વર, અર્જુનના C () ચરણ કમળને વંદના કરવા લાગ્યો. તેને ઉડીને અર્જુને સ્નેહાલિંગન દીધું. ત્યાર પછી ચિ- @ ત્રાંગદ અતિશય નમ્રતા પૂર્વક અર્જુનની પાસે આસન ઉપર બેઠો. તે સમયે અર્જુને ચિત્રાંગદને 5. પુછવું કે હે ચિત્રાંગદ, આ કેમ વારતા.બની છે તે મને કહે એવી અર્જુનની વાણી સાંભળી આ દુર્યોધન સાંભળતાં ચિત્રાંગદ અર્જુન પ્રત્યે બોલ્યો કે “હે કમર, પૂર્વ તમોને વિદાય કરી હું મારી કેર નગરી ભણી જતો હતો. જતાં જતાં માર્ગમાં મને નારદમુનિ મળ્યા. તેમને મેં વંદના કરી; જ - ત્યારે મારા મસ્તક ઉપર હાથ ફેરવી તે મારી પ્રત્યે આનંદ પૂર્વક બોલ્યા કે “હે ચિત્રાંગદ આ- ક છે ટલા દિવસ તું ક્યાં હતો તને જોઈ મારું મન બહુ પ્રસન્ન થયું છે. એવાં મુનિનાં વચન સાંભળી ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy