SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની રાજશ્રી હસ્ણ કરી લીધી.. અને તે સમયે તમાસ બંધુઓને દસહ આવા સૂર્યના તડકામાં સ્થાપન કરડ્યા. પતિને તથા દેવોને બાંધીને બંદીવાન કરેલા જોઈ હું આક્રંદ કરતી રણક્ષેત્રમાં ઈ કલ્પાંત કરવા લાગી; અને તે સ્થળે તેજ રહિત થમ્મેલા મોટા મોટા રાજાઓને જોઈ હું ખોલી કે હું યદ્રથ તારો યુદ્દ રથ ચાં? હે બૃહદ્દમલ તારૂં બળ કચાં ગયું? કલિંગ રાજાને જોઈ મેં તેમને કહ્યું કે હું કલિંગેશ, તમારા સ્વામિને બંધન કરી વિદ્યાધર લઈ ગયો તેની તમને લેશે લા નથી આવતી” મારાં એવાં વચન સાંભળી તેઓ સર્વે અધોમુખ કરી અવળા ફરી બેઠા અને ત્યાંથી દૂર કોઈ વિષમ પૃથ્વી ભણી જઈ વાસ કરીનેરહ્યા. તમારા અનુજોને નિત્યે વિમાનમાં બેસાડી ખેંચો સર્વે સેનામાં દેખાડે ને કહેકે જેઓની ભુજાઓમાં બળ હોય તેઓ આ તમારા સ્વામિ સબંધુ દુર્યોધનને અમારા સ્વામિએબળાત્કારે બાંધ્યો છે તેને છોડાવે, એવી રીતે નિત્ય અપમાન થવાથી તમારા બંધુપણ પોતાના મંડળિક રાજાઓના સમુદાય ભણી પોતાને મુક્ત કરવા વિષે સૂચક એવી દુ:ખાયુએ ભીજેલી દૃષ્ટિ કરતા હતા. તે સમયે તે રાજા દુર્યોધનને બંધન થએલો જોઈ નીચું મુખ કરી લાયમાન થયા. અને વારંવાર આપણા આ વિદ્યાધરેશ્વર શત્રુનો નાશ શી રીતે થશે? તે વિષે વિચાર કરવા લાગ્યા. માણે પ્રભુ મંદીગ્રહમાં છે ને મારો પરાજ્ય થયો છે એવું જાણી હમણાં કર્ણે પોતાને જીવતો મુવો જાણે છે. દુર્યોધનને બંધન જાણી ધૃતરાષ્ટ્રને રાજ સોંપી ભીષ્મપિતા, દોણાચાર્યે અને કૃપાચાર્યે પોતે આ દૈતવનમાં આવ્યા. તેઓની પાસે દુ:ખથી અધોમુખ કરી હું ઊંચસ્વને રૂદન કરવા લાગી, તે સમયે ભીષ્મપિતા ગદ્ગદ્દે થઈ ખોલ્યા. ભીષ્મપિતા—હે વત્સ, તું રોઈશ નહીં. એવીજ ભવિતવ્યતા હશે. તારા ભતીર વિષ તું કાંઈ ચિંતા કરીશ નહીં, તેઓને આ બંધનમાંથી મુકત કરાવવા માત્ર પાંડવો સમથૅછે, માટે તું તેમની પાસે જા. સાધુ પુરૂષો વિશેષે કરી, નિરંતર પોતાનો અપકાર કરનારા પુરૂષોપર પણ ઉપકાર કરેછે. એવાં ભીષ્મપિતાનાં વચન સાંભળી હું તમારી પાસે આવીશું. તે ખેચરેશ્વર હમણાં પોતાના નગરમાં જવાનો છે. હે મતિ સાગર, હે દેવ, એ કારણ માટે આ પ્રસંગે જેમ યોગ્ય લાગે તેમ તમે કરો. કુળમાં વ્યોમમણી રૂપ તમે છો માટે તમારા અનુજના બંધનથી તમારાજ તેજની હાંની છે. એવી ભાનુમતીની વાણી સાંભળી ધીમેથી દુપટ્ઠનંઢનીનો ભાનુમતી ન જાણે તેમ હાથ ાખી ભીમસેન પ્રક્રુક્ષ લોચન કરી તેની પ્રત્યે ખોલ્યો. . ભીમસેન—હે દેવી તેં સાંભલ્યું કે? તારા કેશ ગ્રહણ કરવાથી ઉત્પન્ન થએલું ફળ દૈવયોગે ચા દેખતાં તેને હમણાં નિશ્ચયે કરીને મળવાનો આરંભ થવા લાગ્યો. જેઓ નિર્થક વેર કરેછે તેનું તેઓને શૈવ ઉતાવળેજ ફળ આપેછે, જે સમયે તારા કેશનું ગ્રહણ તેઓએ કરવું તે અમથેજ તે દુર્યોધનનો વધ કરવા હું ઉત્સુક થયો હતો પણ તે સમયે આર્યં યુધિષ્ઠિરે અને બી Jain Educationa International For Personal and Private Use Only ૨૯ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy