SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે વિદ્યાપરાધી પણ પોતાની હસ્ત ધાવતા કર્ણને હરાવી તે બંને સુભટોનું મહાવીર પુરુષોએ ઈચ્છા કરવા યોગ્ય એવું પરસ્પર ઘર યુદ્ધ થયું તે સમયે મહારણની મધ્યમાં શ્રી ઊભી રહી છે? વિચારવા લાગી કે કર્ણની ભણી જાઉં કે વિદ્યાધરેશ્વર ભણી જાઉ?પછી વિદ્યાધરેદેકર્ણને મર્મસ્થાનમાં બાણ કરી તાડિત કરે તેણે કરી નવિન પલાયન કળાને કર્ણ શિખવા લાગ્યો, અર્થાત પલાયન કો કરી ગષે દુર્જય શત્રુને છતાયે જાણી સર્વ વિદ્યાધરે ય પ્રાપ્તી થઈ તેણે કરી પ્રકાશમાન થયા. છે કારણ દુર્જય શત્રુ છત્ય હોયતો સર્વ લોક આનંદ માને છે. અહીંયાં યુદ્ધમાંથી કર્ણને નષ્ટ થો તે જાણી તમારા ભાઈએ અતિ ક્રોધ આણી પોતાના સર્વ બંધુઓ અને શનિ આ બીજા વીર પુરૂષ સહિત વિદ્યાધરેશ્વરની સાથે લઢવાનો નિશ્ચય કરી દુંદુભિ વગડાવ્યાં ને તેઓ સર્વ સજા થઈ SE યુદ્ધમાં ઊભા. નવિન કવચ અંગમાં ધારણ કરેલા દુર્યોધનને સબંધુ યુદ્ધમાં જોઈ હાસ્ય મુખ કરી ? મોટો ગર્વ આણી તે વિદ્યાધરેશ્વર બોલ્યો. વિદ્યાધરેશ્વર- હે દુર્યોધન, આ તને બાહુમદ પ્રાપ્ત થયો છે કે લક્ષ્મીને મદ પ્રાસ ) થયો છે જેથી કરી મારા કલીવનનું, મારા મહેલનું અને મારા કેલી સરોવરનું તે વિમર્દન કર્યા; તને આ મદરૂપી રોગ ઉત્પન્ન થયેલ છે તેને હું મારા શૌષધે કરી નાશ થવાનો ઉપાય કરૂંછું. જે દુર્યોધનન્હે વિદ્યાધર, તું ઉપાલંભ (ઉપહાસ અથવા વાચાળપણું) શા માટે કરે છે? જેની શક્તિ તેનું વિશ્લોક એ નિશ્ચય છે. આ તારું કેલીવન, મેહેલ, સરોવર વિગેરેનું મર્દન કરવું તેમાં છે તે શું પણ તારી શ્રી સહિત તારૂં જીવિતવ્ય પણ આ ક્ષણે લઊં છું. એ પ્રમાણે જ૯૫ના કરી તે વિદ્યાધર રિપુને સો તીવ્રણ માસ્યાં. તમારા કુળની એવી રીતી છે કે પ્રતિપક્ષિની ઉપેક્ષા ન કરવી. તે વિદ્યાધર પણ સર્વ પ્રકારે શસ્ત્રાસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યો. એિવો કોણ છે કે બળવાન શત્રુ આવી ઉપદ્રવ કરે તે સમયે તેને પ્રમાદ કરે? દુર્યોધનના બાણ જ તે કરી આંધળું થયું છે જેનું પરાક્રમ એવા વિદ્યાધરે સર્વ કાયર થઈ યુદ્ધમાંથી એક ક્ષણ કો માગમાં પલાયન કરી ગયા. માત્ર સેનાપતિ યુદ્ધ ભૌમિમાંથી પલાયન ન કરતાં છતાં ત્યાં ઊભો રહ્યો. તે એકાકી શત્રુને પકડવા સારૂં આયુધ ધારણ કરેલો તમારો ભાઈ બંધુ સહિત તેની સામે ઘસ્યો; પરંતુ એટલામાં તો પાછા ફરીને શ્વાન સમુદાય જેમ વાહને ઘેરી લે તે પ્રમાણે બાણે કરી યુદ્ધ કરનાર અને અતિ શૌર્યવાન એવા તે દુર્યોધનને વિદ્યાધરોએ ઘેરી લીધો. ત્યારે તે ઘણાઓની સાથે યુદ્ધ કરતાં છતાં બેચરની સેનાએ એક્યતા કરી તમારા ભાઈને મહાખિન્ન કરી અને આખરે બંધુઓ સહિત બંધન કરી રહી લીધો. સર્વ પ્રથમ લોહ સાંકળે પગ બંધન કરી પછી છે તેઓના સર્વના ગળામાં એક લોહ સાંકળ પહેરાવી. ત્યાર પછી તે વિદ્યાધરેશ્વર પગે ચાલનારા કૌ તમારા બંધુ સહિત દુર્યોધનને આગળ કરી તે મહેલમાં આવી ત્યાં રહ્યો. સર્વના દેખતાં મણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy