SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ એ વખતે અમુક કામ કરવું, એમ પોતાનો નિર્ણય કરેલ કાળ તેને વિષે તે તે કર્મ વિચાર પૂર્વક કરે SS કરવું તેણે કરી અને ઉપનિષદ શ્રવણાદિક તેણે કરી તે પાંડવોએ કંદ મૂળ ફળાદિક વડે નિવહ છે જ કરી પોતાના ઘણા દિવસ કાઢ્યા. P. इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये किरातार्जुनीय तलतालुवध कमलाहरणवर्णनो नामाष्ठमः सर्गस्तस्य भाषांतरं समातम् ॥८॥ અથ નવમ્ સર્ગ પ્રારંભ ત્યારપછી તે વનમાં પાંડવો વાસ કરીને સુકૃત સંપાદન કરતા હતા. એવામાં કોઈ એક સમયે Sઈ દુર્યોધનની સ્ત્રી ભાનુમતી ત્યાં આવી. ત્યારે દુરથી દ્રૌપદીએ તેને જોઈ અને સામી જઈ - ક ત્કાર કરી પોતાની સાથે આશ્રમમાં આણી. તે સમયે જેનું અતિશય જ્ઞાન મુખ થઈ ગયું છે એવી તે ભાનુમતી કૃતીને અને ધર્મરાજાને વંદન કરવા લાગી. ભીમસેનાદિકોએ તેને સત્કાર 45 કરવા માટે જેને સૂચના કરેલી છે એવી દ્રુપદનંદનીએ આપેલા આસનને સ્વિકાર કરી ધર્મ R. રાજાના મોંઢા આગળ તે ભાનુમતી ખોળો પાથરી કરગરવા લાગી. તે સમયે અધોમુખ જેણે કરેલું છે, જેનું મેશ સરખુ શ્યામ વદન થઈ ગયું છે, વાણીની ગતિ જેની ગદગદ થઈ ગઈ છે, 6 અને જેણે તેમાંથી મોતીના દાણા જેવાં હેના અપાર આંસુએ પ્રસારેલા અંચળને સંપૂર્ણ છે છે ભીજવી નાખ્યું છે એવી ભાનુમતી પ્રત્યે જોઈને ધર્મરાજ બોલ્યા. ધર્મરાજ—હેવસે. આ તને મહાભય સૂચક શું થયું છે? E. એવી ધર્મરાજાની વાણી સાંભળી ભાનુમતી ઊંચ સ્વરે રૂદન કરવા લાગી. તે સમયે તેનું દુખ જોઈનોમાં જેને આંસુ આવી ગયાં છે એવી કુંતીએ ઉઠીને પોતે તેનું આશ્વાસન કર્યું એટલે આકાશ અને ભૂમિને વ્યાપ્ત કરનાર જે આકંદ તેને ધીમે ધીમે તે ઓછું કરવા લાગી. તે Sી સમયે દ્રૌપદીએ વલ્કલે કરી તેનાં આંસુ લુછડ્યાં છતાં મૈત્રરૂપ તળાવડીમાંથી ફરી અધિકાધિક અશ્રુ વહેવા લાગ્યાં; તે જોઈ “હે વત્સ તે કોણ કારણ માટે મારા મોઢા આગળ ખેળો પાથઆ રો છે એવું જ્યારે ધર્મરાજાએ પુછવું ત્યારે તે ભાનુમતી બોલી કે હે દેવ, જેનું કોઈપણ રક્ષણ કરનાર છે નહીં એવી હું ભરથારની ભિક્ષા માગવા સારૂં તમારી પાસે ખોળા પાથરૂછું - યુધિષ્ઠિર–માર દુર્યોધનાદિક બંધુઓ શું ત્યારે કોઈ વિપત્તિમાં પડ્યા છે ?” એવું જ્યારે યુધિષ્ઠિરે પુછયું ત્યારે તે ભાનુમતી ફરીથી બોલી. ભાનુમતી–હે દેવ, પિતાના અવિલોકન કરી ગાયોનાં વંદને કૃતાર્થ કરતા તમારા દુર્યો) ધનંદિક બંધુઓ સહજ આ દૈત વનમાં આવ્યા. પછી કોઈએક સમયે આસપાસના વનમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy