SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ * ગાંગેયએ તમારો અભિપ્રાય કતકરૂપ છે. તેમાં હું પ્રતિજ્ઞા પૂર્વક ખંડન કરૂંછું તે તમે તેને શાંભળે, અને (આકાશ તરફ જોઈને) હે દેવ તમે પણ સાંભળે. કેમકે, આ વાતમાં તમને હું ? સાક્ષી રાખું છું. આજથી હું પાપ વછનાનો ત્યાગ કરું છું. ને જે વ્રતના આચરણથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવા બ્રહ્મચર્ય વ્રતને હું આજથી ધારણ કરું છું. જેથી મારા પિતાની ઈચ્છા કર્ણ થશે, (નાવિકની સખે જોઈને તમારા મનની ભ્રાંતિ જશે, તમારી પુત્રી નિશંક રહેશે, તેને (1) ઘરે પુત્રની ઉત્પત્તિ થયાથી તે સ્વતંત્ર રાજ્યાધિકારી થશે. અને મને પરમાર્થ મળશે. એ વ્રત છે હું આજેજ ગ્રહણ કરું છું એમ નથી. પૂર્વે ચારણ શ્રમણ મુનિએ પણ મને કહ્યું છે કે, ચાર ) વ્રતમાં પહેલું તથા ચોથુ એ બે વ્રત સર્વોત્કૃષ્ટ છે. તે પોતાના હિતની ઈચ્છા કરનારા પુરૂષ અવશ્ય ધારણ કરવાં જોયે છે. એ તેમને ઉપદેશ સાંભળીને તેમનું પ્રથમ અહિંસા વ્રત તે છે મેં તે સમયથી જ ધારણ કર્યું છે. એટલે નિરપરાધી પ્રાણીને સ્કૂલે સકે પણ મારવું નહીં. તે કોઈ પુન્યના પ્રભાવથી અથવા તે સત્પષના પ્રતાપથી આજ દિવસ સુધી અડિગ રહ્યું છે. વલી આજ વિશેષ ભાગ્યદયને લીધે હાલ બ્રહ્મચર્ય વ્રત લેવાનું મને કારણ મળ્યું, તેથી હું પિતાને ધન્ય સમજું છું. વળી આજેથી એવી પ્રતિજ્ઞા કરું છું કે હરેક વિપત્તિમાં પડેલા પ્રાણીનું કલ્યાણ કરવું. એ સાધારણ ત્રીજ વ્રતનું ગ્રહણ કરું છું. હાલ હું પિતાની સેવા વિના બીજું કશું કરનાર નથી. છે એ પરોપકાર જણ નહી, પણ મારે સ્વભાવિક ધર્મ હું માનું છું. તે સમયને વિષે અંતરિક્ષથી ઘણા ભ્રમરોએ કરી સહિત એવાં પુષ્પોની વૃષ્ટિ થવા માંડી. અને આકાશમાંથી ધન્ય ધન્ય શબ્દ દેશના મુખથી વાણી નીકળવા લાગી. દેવહે ગંગતનય તમે ધન્ય છો. અને તે શાંતનુ રાજ તમે પણ ધન્ય છે કે, જેના પર ઘરને વિષે આવા અમૂલ્ય પુત્ર રત્નની ઉત્પત્તિ થઈ છે. જેણે ગૃહસ્થાશ્રમમાં રહીને બધાં વ્રતેને ગ્રહણ કર્યા. એ પુરૂષ કોઈ આજ દિવસ સુધી થયો નહોતો. જેણે પિતાની ભક્તિને લીધે ભીષ્મ એટલે ભયંકર બ્રહ્મચર્ય વ્રતનું ગ્રહણ કરવું. માટે આજથી એની ભીમ એવા નામે લેકમાં પ્રખ્યાતી થશે. કહ્યું છે કે, પરાક્રમ વિના બીજા ગુણો શોભતા નથી, તેમ પરાક્રમ હોય તે તે બીજા ગુણેની જરૂર નથી. પરાક્રમ છે તે સર્વ ગુણોનું મત છે તેમ બ્રહ્મચર્ય વ્રત છે તે બધા જ વ્રતનું મૂલ છે. અહિંસા, બ્રહ્મચર્ય તથા પિત ભકિત એ ત્રણ અમૂલ્ય ગુણો આ શાંતનુ રાજના પુત્રમાં છે માટે એ ધન્ય છે. (એથી) હે ગાંગેય તમારા વ્રત સફળ થાઓ. એ વ્રત કોઈ કાલે પણ ભંગ થવાના નથી એવો અમારો તમને આશીર્વાદ છે તે પછી તે દેવે આકાશ માર્ગ પોતપોતાને સ્થાનકે ગયા; તે વખતે તે નાવિકે પોતાની સત્યથી વતી પુત્રીને બોલાવી ખોળામાં બેસાડી ઘણો પ્યાર કરી તેને દેખતાં ગાંગેયને કહેવા લાગ્યો – જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy