SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - નાવિક–હે રાજપુત્ર, તમારા જેવો કોઈ સત્વરૂષ નથી, જેણે પોતાના પિતાની ઈચ્છા રે પૂર્ણ કરવાને વાસ્તે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. એવું તમારું આચરણ જોઈને મને મોટો હર્ષ અને થયો છે. હવે મારા મનમાં કાંઈ આશંકા રહી નથી. માટે મારે કાંઈક વૃત્તાંત તમને કહી શંછે ભળાવું છું, તે ચિત્ત દઈને શાંભળ:-એક વખતે હું યમુના નદીને કિનારે ફરતે ફરતે આશે૭) પલ્લવના વૃક્ષતળે વિરામ લેવાને બેઠો. એટલામાં કોઈ નિર્દય માણસ આકાશ માર્ગે આવીને ( પુત્રીરત્નને જમીન ઉપર નાખી દેવા લાગ્યો તે મેં નજરે દીઠું. ત્યારે હું આશ્ચર્યને પામીને તેની પાસે ગયો. અને મને પ્રજા નહોતી તેથી તે ગમે તે જાતની હોય તો પણ મારે છે છે ઘેર લઈ જઈને એનું પાલણ પોષણ કરવું એવો નિશ્ચય કર્યો. પછી તે પુત્રીને તેના હાથથી લ- તે S ઈને મારા ઘર તરફ લઈ જતો હતો એટલામાં ઓચીતી આકાશમાંથી એવી વાણ થઈ કે, રત્નપુર અને જ નામના નગરમાં રત્નાંગદ નામને રાજ છે. તેની રત્નાવતી નામે રાણી છે. તેમની આ પુત્રી છે. એના પિતાનો એક શત્રુ છે તેણે આ છોકરીને ચોરી લઈને ફેંકી દીધી છે. માટે હે ના વિક તું એ પુત્રી રત્નને લઈ જઈને એનું સારી રીતે પાલન પોષણ કરજે. એને શાંતનું રાજા (' પરણશે. એવી વાણી શાંભળીને મારે ઘેર લઈ આવી મારી સ્ત્રીને શોંપી. ને એનું નામ સત્ય- 9 વતી એવું રાખ્યું. પછી જેમ પુષ્પવલ્લીનું પોષણ જ કરે છે, તેમ માત્ર સ્ત્રીએ આ દુહિતારૂપ છે લતાનું અતિ મમતાયુક્ત સ્નેહોત્સુકતા ફૂપ જલથી પાલન પોષણ કરવા માંડયું. તે વાગે આ - વયને પામી છે. એ કન્યા ગુણોનો સમુદજ છે. અને સુરૂપમાં તે એના જેવી ત્રણે લોકમાં થી બીજી કોઈ નથી. જેમ કલ્પલતાને જન્મ સુમેરૂ પર્વત ઉપર થાય છે ને તેનું પોષણ પણ ત્યાં જ થાય છે, પણ મરૂસ્થળમાં થઈ શકે નહી; તેમ આ કન્યાનો જન્મ તે ઉપર કહેલા શ્રેષ્ટ રાજના ઘરમાં થયો છે તે યોગ્ય જ છે, પણ એનું પાલન પોષણ મારા જેવા ગરીબથી થઈ શકે નહીં; તેમ છતાં એ કન્યાના પ્રારબ્ધના પ્રતાપે હું મારી શક્તિ પ્રમાણે પાલન પોષણ કરી શકો છે. તેથી હું મને કૃતાર્થ જાણું છું. એવી મારી યોગ્યતા ક્યાંથી કે આ કન્યારત્ન મારા ઘરમાં હોય! ૭ તેમ છતાં કોઈ પૂર્વ પુન્યના પ્રભાવે મારો એ કન્યાની સાથે પિતા પુત્રીરૂપ સંબંધ થયે, જેથી નૃપષ્ટ શાંતનુની સાર્થે શ્વશુર જમાતરૂપ સંબંધ તથા તમારી સાથે માતામહ દૌહિત્રરૂપ સંબંધ થયો. હવે મારા જેવો ધન્ય પુરૂષ કોણ છે? યદ્યપિ આ સત્યવતીને પતિ તમારા પિતા શાંતનુST રાજા થશે એવી મને પ્રથમજ ખબર હતી, તથાપિ આટલી બધી જે મેં આનાકાની કરી તે રેરી છે માત્ર તમારી શ્રદ્ધા જેવા સારૂ, તેની મને ક્ષમા કરજે. હે રાજપુત્ર આજથી આ કન્યા તમારા - પિતાને આપું છું. માટે હવેથી એના સુખદુઃખના જાણનાર તમે છો. મને મારા પ્રાણ કરતાં કોડ છે પણ પ્રિય છે તેનો વિયોગ હું કેમ સહન કરી શકીશ. (એમ કહીને રડી પડે છે. ફરી ધૂને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy