SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ રી ) 6 ૯ શા કરીને જ જાણે નાશ પામી હોયના? તેમ નાશ પામી અંધકાર નષ્ટ થઈ ગયો તેના મિષે રે RE કરીને જાણે બંનેનાં દુષ્કર્મ નષ્ટ થઈ ગયાં હોય અને પ્રભાત થઈ સૂર્યના તેજનો પ્રભાવ ? | ચાલ્યો તે જણે બંનેના પૂર્યોદયનો પ્રભાવ આરંભ થયો હોયના! તે સમયે દ્રોપદી તથા કુંતીની આ પાંડવોના વિયોગે કરી પ્લાનમૂર્તિ થએલી જોઈચંદ્ર અસ્ત થયો તે જાણે પાંડવોની શોધ કરવા ગયો ! હોયના! પ્રાત:કાળ થયો એટલે પવનના પ્રહાર કરી તે સરોવરમાં જળની લહેરો ઉપરા ઉપરી થવા લાગી ને પાળ ઉપર જયાં કુંતી અને દ્રૌપદી બે હતાં ત્યાં તેઓના ચરણોને સ્પર્શ કરવા લાગી છે. તે જણે સરોવર પોતાના અપરાધની તેઓ પાસે ક્ષમા માગતું હોયના મોટા મુનિદોથી પણ છે. જે ધ્યાન દુકસાય છે તે સ્થાને કરી નિશળતાને પ્રાપ્ત થએલાં કુંતી તથા દોપદીને જેવા સારૂં સૂર્ય જે SEE પણ ઊદયાચળ ઉપર આવી ઊભો. રાત્રી વીતી એટલે સમગ્ર વ્યાપદો સાવધાન થયાં. તે સમયે જ નિર્મળ જળવાળા તે સરોવરમાંથી તેજ બહાર પડયું અને કર્ણને પ્રિયકર એવા સુદાંટિકાના શબ્દ સંભળાવા લાગ્યા. થોડીવારે સુવર્ણ સ્થભવાળુ અને જેમાં અમુલ્ય મણીરત્નો જડેલ છે, એવું કે છો એક વિમાન સરોવરમાંથી બહાર નિકળ્યું; તે જાણે બીજું સ્વર્ગજ હોયના! તે સમયે તે મોટી છે છે શોભાવાળું સરોવર પણ કૌતકે કરી નિમેષરહિત કમળરૂપી કોહ્યાવધિ નેત્રો ધારણ કરી તે વિ. ) માનને જોવા લાગ્યું હોયના! તેમ દીસવા લાગ્યું. તે વિમાનમાંથી ઊતરી, મોટો વિપતિરૂપ સજ સુદ જેઓએ તરસે છે એવા તે પાંડવોએ કુંતીના ચરણકમળને પ્રણામ કરે. તે સમયે પાંડવોની સાથે એક દિવ્ય મૂર્તિધર, યુવાવસ્થાવાળો અને પાંડવોની ઉપર બહુ પ્રીતિ કરનાર દેવ આવ્યો હતો તે હાથ જોડી કુંતી પ્રત્યે બોલ્યો કે “હે પથા તાર ધર્મ સફળ થય તે બહુ સારી વાત થઈ. હવે તું તારા આ લીધેલા વ્રતનું પારણ કર, આ તારા પુત્ર ન થઈ તારા ચરણમર ) છે મસ્તક નમાવી રહ્યા છે, તે સમયે કૃતી કાયોત્સર્ગ વતનું વિસર્જન કરી અતિશય આનંદ પામી પોતાના પુત્રોના સવીંગ ઉપર હસ્તકમળ કરી મૃદુસ્પર્શ કરવા લાગી અને તેણે એ દ્રૌપદીનાં હસ્ત ઝાલી તેને પણ જ સમાધીથી વિરક્ત કરી. જળપાન કરી શ્વાપો પણ વનને માર્ગ લઈ પોતપનાને સ્થાને ગયાં. જો છેત્યાર પછી પાંડવોની સાથે આવેલા દેવની પાસે, જીતેલાં છે કમળનાં વન જેમના મુખોએ એવાં 5 જે કંતી, દોપદી અને પાંડવો એ સૌ જઈ બેઠાં. ત્યાં કૃતીએ પોતાના પુત્રોની દિવ્ય કથા તે દેવને પુછી. તે દેવ પણ આનંદ સહિત અકુલ નવ કરી પાંડવોની દિવ્ય કથા કહેવા લાગ્યો. દેવહે કલ્યાણી, કેવલી મુનિને વાંદવાને અર્થે વિમાનમાં બેશી આકાશમાર્ગે ઈંદ્ર અહીંયાં થઈને જતા હતા. એવામાં આ દેકાણે તેના વિમાનની ગતિ છેક મંદ થઈ ગઈ છે જઈ ને અતિ ક્રોધ વ્યાપ્યો ને બોલ્યો. OLE Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy