SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આ વિપત્તિથી પાર પામી ફરી રાજ્ય ભાવ મણે એવું એય મુનિઓએ પણ ભાખેલું છે. પરંતુ છે SS કોઈ આપત્તિમાં પડ્યા છે માટે હમણાં તે તેઓના રક્ષણ માટે આપણે બંને ઓએ કાંઈ પર છે પ્રયત્ન કરવો જોઈએ. વિપત્તિરૂપ વૃક્ષના અંકુરને છેદન કરવાવાળે માત્ર એક ધર્મના સમર્થ છે; આ માટે હવે આપણ નિષ્કપટ ધર્મયુક્ત જે કર્મ છે તે કર્મ કરીએ. એવું કરશું તો આપણા મનોરથ કો5 ૭) સિદ્ધ થશે. એવું કહી તી છાની રહી. તે સમયે દ્રૌપદી બોલી. દ્રોપદી–હે માત, તમે સત્ય વાત કહી, પણ મારાજ અપરાધથી મારા પતિઓની ઉપર આ જે આપત્તિ આવી પડી છે, એવું વિચારી મને બહુ કલેશ થાય છે. ભીમસેનને કમળ લાવવાનો મેં છે આગ્રહ કર્યો તેથી જ આ અનર્થ પ્રાપ્ત થયો, એવું વિચારી મારું મન વારંવાર દગ્ધ થાય છે. પોર . કતી –હે વત્સ, એમાં તારે કિચિત પણ દોષ નથી, અવશ્ય જે ભાવી બનવાનું છે તેને પર કોઈ પણ નિવારી શકે નહીં. એમ પરસ્પર તેઓ વાર્તા કરે છે એવામાં ચંદે તેઓના ઊપર શીતળ છાંયા કરી પોતાનું ઈ સુજનપણું બતાવ્યું, તે જાણે કિરણ રૂપ વચ્ચે કરી શકયુક્ત તેમનાં મુખનું માર્જન કર્યું હોયના છે તેઓના શકે કરી મિચાઈ જઈ કમળોએ પણ પોતાનું સુજનપણુ દરશાવ્યું. જાણે સહસા હાસ્ય જ કરતાં હોયના, તેમ કમુરગણો એ પ્રકુશિત થઈ દ્રૌપદી અને કંતી પ્રત્યે પોતાનું દુર્જનપણું જ- 0 છે હેર કર્યું. પછી કુંતી આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગી. . કતી–મારો અરહત દેવ હોય, ગુરૂ મારા સુસાધુ હોય તે હે સમ્યફદર્શિ દેવે તમે માસ છે આ પુત્રોનાં સર્વ વિધો દુર કરો.” એવું કહી પંચપરમેષ્ટિનું સ્મરણ કરી પોતાની ભુજાવલિ પ્રસારી કાર યોત્સર્ગમાં સ્થિત થઈ તે જોઈ દ્રૌપદી બોલી. ટોપદી–હે દેવ, કિન્નર અને ખેચશે વિગરે તમે સર્વ પોત પોતાનો વ્યાપાર છોડી મારી વાત સાંભળે. ચંદાંશુ જેવું મારું સ્વચ્છ શીલ તમે જાણતા હે તે મારા પ્રિયપતિઓની સર્વ આપત્તિ દૂર કરવામાં સહાય કરશે. એવું કહી તે પણ અંત:કરણને વિષે જિનેશ્વરનું ધ્યાન કરવા લાગી ને પથ્થરવત્ કાયોત્સગમાં સ્થિત થઈ ગઈ. તે સમયે દ્રૌપદી અને કુંતીનું અભિષ્ટ કરવા સારું વનનાં વ્યાપદો પણ છે વૈરભાવ ત્યાગી તથા જળપાન કરવું ત્યાગીને કુંતી તથા દ્રૌપદીની આશપાશ વૃક્ષની પેઠે સ્તબ્ધ કે જ થઈ ઊભાં જાણે તેઓ પણ મનમાં પ્રાણાયામ કરતાં હોયના! અથવા દેવતાનું ધ્યાન કરતાં હોયના! . વળી કૃતીનું તથા દ્રૌપદીનું એવું મહાત્મ જોઈ જંતુઓનો સંહાર કરનારા રાક્ષસ તે પણ સંહા- . રનો પરિહાર કરી તેઓની આરપાસ સ્તબ્ધ થઈ ઊભા. તે દ્રૌપદી અને કુંતીના દુખની સાક્ષી, શેકને ઊત્પન્ન કરનારી અને જંતુના શબ્દ કરી આક્રંદ કરનારી એવી રાત્રી પક્ષીઓના છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy