SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંયાં આવી વિધિ થઈ અમને તું સનાથ કર. આકાશમાં આકાશમણી (સૂર્ય) જ્યાં સુધી અસ્ત નથી થયો ત્યાં સુધી અમેં તારાવિના માત્ર તારા આવવાની વાટ જોઇને પ્રાણ ધારણ કરશું. કુંતીની એવી શિક્ષાને નમ્રતાયુક્ત અને અતિ દક્ષ ધર્મરાજા સ્વિકારતો હવો. કારણ શુરંજનની આજ્ઞાાંવષે એકાગ્ર ચિત્તતા મહાન પુરૂષોને સ્વાભાવિક હોય છે. ત્યારપછી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી માતાને વંદના કરી વિલંબ કર્યાંવિના તે સરોવરમાં યુધિષ્ઠિરે પ્રવેશ કરો. તે સમયે તે ધર્મરાજા પણ કુંતી અને દ્રૌપદી દુ:ખાયુએ પરિપૂર્ણ થએલાં નેત્રો એ જોતાં જોતાં તે સરોવરમાં નિમગ્ન થયેલા ચાર પાંડવોનો પાંચમો સોબતી થયો. તે સર્વે પાંડવોનું ધણીવાર સુધી આવવું ન થવાથી કુંતી અત્યંત વ્યાકુળ થઈ. તેને વ્યાકુળ થમ્મેલી જોઈ દિવસ પણ અત્યંત કૃશ થયો, તેમ પાંડવોને ખુડેલા જોઈ દુ:ખિત થતો સૂર્યે પશ્ચિમદિશાપ્રત્યે સમુદ્રમાં પડવા માટેજ જાણે ગયો હોયના! અર્થાત્ સૂર્ય પણ અસ્ત થયો. તે સમયે દુ:ખિત થમ્મેલી કુંતી ખોલી કે “ગ્રહોને વિષે શ્રેષ્ઠ એવો સૂર્યે તે પણ મહાર્ણવને વિષે ડુબ્યો, એ હવે કહીએય દેખાતો નથી, અરે કાળક્રમનું ચક્ર મહા દુરાતિક્રમ છે” હવે સૂર્યાસ્તને સમયે ઉત્પન્ન થનારા અંધકારે અને કુંતી તથા દ્રૌપદીના વિસ્તિણું શોકે કરી દશે દિશાનાં મુખ વ્યાપ્ત થયાં, અને સૂર્ય વિકસિત કમળો તથા દ્રૌપદી અને કુંતીનાં મુખ કમળ પણ શોકે સંકોચ પામ્યાં. એ રીતે કહી શકાય નહીં એવા પાઁડવોના વિયોગે કરી શોક પ્રાપ્ત થવાથી દ્રૌપદી અને કુંતી દિવસના કમઁ સહિત મુનેિ પ્રાપ્ત થયાં. ફરી મુર્છાથી સાવધાન થયા પછી બહુ શોક કરવા લાગી. કુંતી—ત્રૈલોકના પ્રાણનું રક્ષણ કરવાને આનંદયુક્ત અને જળમાં યથેચ્છ સંચાર કરનાર મચ્છ કુર્માદિક કરતાં પણ તરવામાં અતિ કુરાળ એવા તમારા બાહુ, તે અપુનરાવૃતિરૂપ મોટી દુર્દેશાને પ્રાપ્ત થયા શું? તે સમયે દ્રૌપદી પણ વિલાપ કરવા લાગી, દ્રૌપદીહે મારા પ્રાણનાથ, તમે મને તજીને કચાં ગયા? તો પાંચે પતિ વિના આ હું સ્ત્રી તે આ રાત્રી શી રીતે નિર્યંમન કરીશ? અરે જે તમોએ દીધેલી પુષ્પમાળા તે પણ યાપિ સ્લાનતા પામી નથી હજી તેવીને તેવીજ છે, એટલામાં તમે હા દૈવ, દેવવશે કરીને આ દશાને પ્રાપ્ત થયા?” કુંતી અને દ્રૌપદીના રૂદનની સાથે તે સરોવરની પાળ ઊપરના વૃક્ષોપર માળા બાંધી રહેલાં પક્ષીઓના સામટા શબ્જે કરી જાણે સંધ્યા રૂપી સ્ત્રી પાંડવોના સ્નેહે કરી રૂદન કરતી હોયના! એવી ટ્વીસવા લાગી. તે સમયે કુંતી દ્વૌપદીને ધીરજ આપેછે. કુંતી—અે દ્રૌપદી તું તારા હૃદયમાં ધૈર્ય ધર, ઊંચે સ્વર રોઇશ નહીં પણ રોકનો સંકોચ કર સુખ કમળે કરી કમળોનો તિરસ્કાર કરનારી હે દ્વાપઢી, હજી તારા પતિઓ જીવતા છે. તેઓ Jain Educationa International For Personal and Private Use Only ૨૬૯ www.jainulltbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy