SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મને પ્રસવ થયો. એના જન્મથી મને અત્યુત્સાહ થયો. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ સર્વે વિદ્યા ભણીને પ્રવીણ થયો છે. વળી જોશીએ એના ભવિષ્ય ગુણોનું વર્ણન કરી કહ્યું છે કે આ પુત્ર એના પિતાના શત્રુઓનો નાશ કરશે. મારા સંબંધીઓએ એનું નામ ધટોત્કચ પાડશું છે. કેટલીક કળાઓ એ શિખ્યો છે, અને કેટલીક શિખવાની છે તે હમણાં શિખેછે,” એવાં હેડંબાનાં વચન સાંભળી તનયસ્નેહની લહરીએ જેઓનાં ચિત્ત હરણ કરેલાં છે એવા તે પાંડવો તે બાળકને પ્રેમથી આલિંગન દેઈ રમાડવા લાગ્યા. રોમાંચિત થએલી હેડંબાએ ભક્તિ સહિત કુંતી અને દ્રૌપદીને પ્રણામ કરચો. તેમ કુંતીએ અને દ્રૌપદીએ હેડંબાને પ્રીતિપૂર્વક કુશળતા પુછી, એટલામાં તેજ સ્થલના અગ્રભાગે જેમાં નવિન કમળ પ્રકૃક્ષિત થયાંછે એવા સરોવરને અવલોકન કરી અને તે સરોવરમાં ભીમસેનને જોયો એટલે હેડંબાને સ્વસ્થાનકે જવા સારૂ ધર્મરાજાએ આજ્ઞા કરી. પછી તે સરોવરની આશ્ચર્યકારક લેહેરોથી બહાર નીકળી ભીમસેન પોતાના બંધુઓ પાસે આવ્યો, અને તેઓને તે સરોવરની શોભા દેખાડવા લાગ્યો, કે હે બંધુઓ, આ સરોવર ઊપર કમળના સુગંધને મોહિત થઇ પ્રાપ્ત થએલી ભ્રમરોની મેધવણૅ સરખી ભરચક પંક્તિ તે જાણે આ તડાગરાજના મસ્તક ઊપર મેધાડંમ્મર છત્રજ હોયના? એવું દેખાય છે તે જુઓ. વળી જાણે દ્રૌપદીના મુખ કમળે જીતાયલા હોયના ! એવાં અને જળના ચંચળ તરંગે કરી વારંવાર અંતર્ધાન પામનારાં શતપત્રો (કમળ) તમે જુઓ. એવી ભીમસેનની વાણી સાંભળી પણ તે સમયે દ્રૌપદીની જમણી આંખ ફરકવા લાગી, તેણે કરી ક્રૌપદીને ભીમસેનને જોવાથી આનંદ અને આંખ ફરકવાથી ખેદ પ્રાપ્ત થયો. પુરૂષમધ્યે શ્રેષ્ઠ એવો તે યુધિષ્ઠિર રાજા પુન્નાગવૃક્ષની નીચે બેસી કુંતીના ચરણ પોતાના ખોળામાં લેઈ ચાંપવા લાગ્યો. તે સમયે ભીમસેનાહિક શેષ પાંડવો જેમાં ફળપુષ્પાદિ સંપત્તિ વૃદ્ધિ પામેલીછે, એવી વનસ્પંક્તિમાં ક્રૌઢિ સહિત થયેચ્છ ક્રીડા કરવા લાગ્યા. મોટા વૃક્ષ ઉપર બેસી પુષ્પ તોડીને દ્રૌપદીને તેઓ અર્પણ ફરતા હતા. તેણે કરી દ્રૌપદી સંતુષ્ટ થઈ તે પાંડવોને આલિંગન દઇ હષઁ પ્રાપ્ત કરતી હતી. ત્યાર પછી કોઈએક સમયે દ્રૌપદીએ કૌતુકે કરીને પોતે પુષ્પ તોડવાની ઇચ્છા કરી, ત્યારે ભીમસેન દ્રૌપદીને પોતાના સ્કંધ ઉપર બેસાડી તેના મનોર્થ પુર્ણ કરતો હવો. એવી રીતીએ તે પાંડવો નાના પ્રકારના પુષ્પોની શય્યા રચીને અને તે શય્યામાં દ્રૌપદીને શયન કરાવી પદ્મસંતોષ ઊત્પન્ન કરાવતા હતા. ત્યાર પછી દ્રૌપદીએ કેતકી પત્ર જેવડું દીર્થં કટાક્ષ કરી ભીમસેતને કમળપુષ્પ આવા સારૂં મોકલ્યો. તરવામાં અતિ કુરાળ એવા ભીમસેને તે સરોવરના જળમાં તરવાનો વિચાર કરી ગદ્યને કાંઢ ઉપર મૂકી, અને પછી તે અંદર પડો. જાણે સમુદ્રનું મંઢાળે કરી મથન થતું હોયના! તેમ ભીમસેન તે જળમાં ક્રીડા કરતો હતો. વિચિક્ષણ ભીમ Jain Educationa International For Personal and Private Use Only ૨૬૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy