SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ છે અંગુઠી મને વિશાલાક્ષે મિત્રાચારીમાં ભેટ આપી હતી, એ વીંટી અતિ પ્રભાવવાળી છે માટે નિS: પંતર એને પાસે જ રાખજે.” વનવાસમાં તો એ અંગુઠી અમારા પાંચમાંથી જેની તેની પાસે રહેતી પર પણ જ્યારે હું આ દિશાભ| એકલો આવવા નિકળ્યો ત્યારે યુધિષ્ઠિર રાજાએ મને પહેરાવી છે. કારણ નાના ભાઈ ઉપર મોટા ભાઈનો અતિ પ્રેમ હોય છે. પાંડુ અને વિશાલાક્ષને પરસ્પર જેવો નિ:પ્રત્યુહ સ્નેહ હતો તેવો સ્નેહ તેમના પુત્રોમાં પરસ્પર થાઓ. એવું કહી ઘાવના સમૂહ જેના અંગને વિષે પ્રાપ્ત થયેલા છે એવા અર્જુનને પછી રથ ઉપર બે( સાડીને ચંદ્રશેખર તેનો સારથી થઈ અને પવનવેગે ચલાવવા લાગ્યો. બહુ સુખકારક રથમાં બેસી ) આકાશ માર્ગે જતાં જતાં વૈતાઢ્ય પર્વત જ્યારે દૃષ્ટિગોચર થયું ત્યારે ચંદ્રશેખર અર્જુનને તે છે. S પર્વત બતાવવા લાગ્યો કે હે અર્જુન, ભારતભૂમિરૂપી સ્ત્રીને સીમંતરૂપ આ પર્વત છે તે તું જે. જે છે. વિદ્યાધરીઓનાં વૃંદ આનંદે કરી એ પર્વત ઉપર તાર યશનું ગાયન કરે છે. એ પર્વતને વિસ્તાર - પચાશ યોજન છે અને ઊંચાઈ પચીશ યોજન છે. તારા યશરાશી સરખે સ્વચ્છ આ રૂપાનો પર્વત કોન્ડ શેભે છે. આગળ દશયોજન પર્વત ઉપર ઈશું ત્યારે પર્વતની પાસે દશયોજન વિસ્તારવાળી બે વન પંકિત છે તે આવશે. તેમાંની દક્ષિણ દિશાભણીની શ્રેણી ભર્ણ મહાવેગે આપણ આવ્યા ® છે. બેચક્રરૂપી ભૂજાઓએ રથ જણે પૃથ્વીને આલિંગન દેતો હોયના! એવું દીસે છે, તેવું છે. છે હે પાર્થ, આ માર્ગ રથનુપુર ભણી જાય છે. જે રથનુરપુરમાં ઉત્સુક થઈને તને જેવા સારૂ વાસ્તોછે. પતિ (ઇદ) બેઠો છે. આ ડાબા હાથ ભણીનો માર્ગ છે, તે માર્ગ યુદ્ધમાં તત્પર એવા તારા તલ કે તાલવ શરુઓ જે નગરમાં રહે છે તે નગરભણી જાય છે. (ત સાંભળી અને ઉત્સાહપૂર્વક બેલ્યો). અર્જુન-હૈ ચંદ્રચૂડ, શત્રુઓનાં મુખ જોયાવિના ઇંદનું મુખ જોવાની મારે ઈચ્છા નથી; માટે હે ચંદ્રચૂડ, જે દિશાભર્ણ મારા શત્રુઓનો માર્ગ જાય છે તે દિશાભણ રથને લે, હું જાહું ખો કે મારા શત્રુઓ કેટલા છે. ચંદ્રશેખર- હે પાર્થ, હમણાં તારે ત્યાં જવાનું શું પ્રયોજન છે? શત્રુઓ લક્ષાવધિ છે અને છે ( તું તો માત્ર બાહવીર્યસાહિત્ય યુકત એકલો જ છે. જે તું હમણાં શત્રુના સૈન્યમાં એક જઈશ છે તે સમુદ્રમાં મુઠીભર સીપ નાખવા પ્રમાણે તારું જવું વ્યર્થ થશે, અને તેથી કરી માર મનોરથ 5 તે પણ અરણ્ય રૂદન સરખા વ્યર્થ થશે; માટે હમણાંત હે કપિજ તું ઇંધપાસે ચાલ અને ઇંદે જ આજ્ઞા કરેલી એવી સેના લઈને પછી શત્રુઓને નાશ કરવા ચઢાઈ કરજે, એવો મારો સંમત છે. અન–હે ચંદચૂડ સેનાએ શું થવાનું છે? મત્તગજેદોના કુંભસ્થળ ઉપર બેસી સિંહ તુ જ્યારે તેઓને વધ કરે છે ત્યારે તે કોની સાહતા લે છે? SS) એવાં અર્જુનનાં વચન સાંભળી હર્ષયુક્ત થઈ ચંદ્રશેખરે પરાક્રમના કેવળ જરૂપ એવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy