SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ એ પ્રમાણે વિદીર્ણ મનવાળા દુર્યોધનને ખેદ કરતો જોઈ નિરંતર દુર્નયને દુધ એ છે ગંધારી ભાઈ શનિ બોલ્યો, કે હે રાજન, પાંડવો યમપુરીમાં પહોંચ્યા એમ તું જાણીને નિર્ભય રહે. વળી ક્યાં તું મંડળા ખંડળ (સાર્વભૌમ રાજા) અને ક્યાં ભિક્ષુક સરખા એ પાંડવો? ક્યાં ખત મેં ક્યાં સૂર્ય! ભુજ બળે કરી તે જેટલું રાજ્ય મેળવ્યું છે, તેના સમા ભાગનું રાજ્ય કાર્ડ યુધિષ્ઠિર પાસે નથી. વળી જે રાજા ગર્વયુકત થઈ ધર્મરાજની આજ્ઞા માનતા હતા તે રાજાઓ (પણ હમણાં તારી આજ્ઞાને સ્વાધીન છે. હસ્તિરૂપ માની સાથે મહયુદ્ધ કરનારા કેવળ પ્રતિ- ' (માજ હોયના એવા તો તારા હસ્તિઓ છે, સૂર્યાશ્વના કેવળ બાંધવ હોયના? એવા તારા અો ) છે. છે, યુદ્ધને વિષે સંચાર કરનાર અને શત્રઓના સમુદાયને સંકટદાતા એવા તારા રથ છે, અને . Sાં અસંખ્ય પાયદળ છે. એવી ચતુરંગી સેના જેવી અંધકાર નાશ કરનારી કિરણપંક્તિ તે સૂર્યની હોય તેવી તારીજ છે. આ સર્વ સંપત્તિ તારા વિના બીજા કોન છે? તે તારી સંપત્તિ જે પાંડવો જુએ તો જ તે કૃતાર્થ થઇ જાણજે. કારણ જેઓની સંપત્તિ શત્રુઓ તથા મિત્રો જુએ તેને નીજ સંપત્તિ કૃતાર્થ થઈ જાણવી. ગોકુળ જેવાના નિમિત્તે શેર કરવા જેવી સ્થિતિવાળા પાં ડોને આ તારી સંપત્તિ બતાવવા દૈત વનમાં ચાલ તું રાજાધિરાજ છે ને તેઓ રાજ્યભટ્ટ લોક થએલા છે, તું ભગયુક્ત છે અને તેઓ ભોગ રહિત થએલા છે, તું તારા સૈન્ય સહિત છે, ) ને તેઓને પરિવાર પણ સાથે નથી, તે પુષ્ટ છે ને તેએ અતિ કૃશ છે. એવા પાંડવોને જ્યારે આ | તું જઈશ ત્યારે તું તારો વિભવ જાણું અને તેઓની દુર્દશા જોઇ જેમ મધ્યાન્હ વિત્યા પછી ૧F સાંજ સમયે વનસ્પતિ ખીલી રહે છે તેમ તારૂ મુખ પ્રસન્ન થશે. અને તારી સંપત્તિ તથા વૈભવ A છે જોઈને પાંડવો નિશ્ચય કલેશ પામશે. કારણ પૂર્ણિમાના ચંદને જોઈ પોતાના દંતાળની ઓછી છે 38 ઉજવળતા ભાસવાથી હાથીને કલેશ થાય છે. વળી માનવંત પુરૂષ વિપતિમાં પ્રતિપક્ષિઓની ન સંપત્તિ જુએતો એ જીવતાં છતાં મરણ કરતાં પણ તેને અધિક દુખ લાગે છે. સત્યવંત યુધિSી ઝિરને તે તારા રાજ્યની અપેક્ષા છે, પરંતુ જે ક્રોધ કરીને ભીમસેન અને અર્જુન કદાપી તારી જ સાથે યુદ્ધ કરશે તે જાણુજે કે ભૂમંડળ અપાંડવ અપાંડવી પૃથ્વી) થઈ જશે. કારણ પાંડવો એ જ T કાકી છે અને તારી સાથે તો મહાર્ણવ જેવું સૈન્ય છે. એવો શનિને સંમત કર્ણ તથા દુઃશા- સનને પણ યોગ્ય લાગ્યું. કારણ એ ત્રણેય દુષ્ટાત્મા હતા. એ પ્રમાણે સમાચાર કહીને રાજ ણે યુધિષ્ઠિર પ્રત્યે પ્રિયંવદ કહે છે. - પ્રિયંવદ– હે રાજન,શકુનિના સંમતથી દુર્યોધન કદાચિત આ દૈત વનને વિષે તમારી પાસે જ આવશે. આ સર્વ વાતથી તમને માહિત કરવા વિદુરે મને મોકલ્યો છે. માટે તમે નિરંતર સાવધાના રહેશે. પ્રથમ મેં વિદુરને પુછયું કે હમણાં પાંડવો ક્યાં છે? તે સાંભળી તેમણે મને કહ્યું હું . 20) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy