SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ છે બિંદુ પડવાથી ભડકો થઈ ઊડે તેમ અમારો સ્વામિ મહા મેધાયમાન થઈઆરક્તને કરી બોલ્યો. બક–હે મૂહ, આચાર્યની જેમ શું વાચાળપણું કરે છે? માસ શ્રવણને તાણે ઊપદેશ સારે છે જ લાગતો નથી. હું સકુટુંબ ધાતુર છું માટે હમણાં તને મારીને તારે ભક્ષ કરી પછી તને તારા સર્વ પ્રશ્નનો ઉત્તર દેઈશ. એમ કહી અમારા સ્વામિએ ઊઠવાનો પ્રયત્ન કર્યો અને અર્ધશરીર કો. સુધી બેઠો થયો તે સમયે જોકે અમારા સ્વામિને પ્રાણાન્ત સમય હતો ને તેથી અમો સર્વને મહા શિક થતો હતો કે હવે અમારો સ્વામિ બચશે નહી તો પણ તેના ઉઠી બેઠા થવાના પ્રય) ત્નને જોઈ અમને સર્વને હસવું આવ્યું. તેનો એવો પ્રયત્ન જોઈ અમારા સ્વામિપ્રત્યે તે પુરૂષ બોલ્યો કે “હે પાપી હવે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. માંસ મદીરા ખાનારની કદાપી Sી કાળ કલ્યાણસંપદા થતી નથી. એવું કહી અનાથવત થઈ રહેલા અમારા સ્વામિના માથામાં તે પુરૂષે જોરથી મુષ્ટિપ્રહાર કર્યો. જેથી મસ્તક ભેદન થઈ તતકાળ મરણ પામ્યો. સુમાય વીર તે પણ પોતાની વિદ્યાએ થયેલું વર્તમાન જાણે તત્કાળ ગરૂડ સરખા વેગે ત્યાંથી પાછો ફરી મારી પાસે આવ્યો. એવું તેનું પરાક્રમ સાંભળી પોતાના પિતાનું વૈર લેવા આ તેનો મહાબલ નામનો પુત્ર અહીંયાં આવ્યો છે. અહીંયાં આવતાં માર્ગમાં મેં એને સમજાવ્યું છે કે “એ બળવાન પુરુષો સાથે ( તારે યુદ્ધ કરવું યોગ્ય નથી; માટે ભકિતએ કરીને તું તારી કુળદેવિની પૂજા કરીને પ્રશ્ન પુછી નિશ્ચય ) કરી લે. “એ પ્રમાણે મેં બોધ કરો; પછી એણે એકાગ્રચિત્તે દેવિની ઉપાસના કરી. તે સમયે - A વિએ પ્રસન્ન થઈને એને જે કહ્યું છે તે આ મહાબળ પિતે જ તમારી પાસે કહે છે. પછી મહા- E બળ બેલ્યો કે મારી ઉપાસનાએ સ્વાધિન થએલી દેવિ મારી પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગી. દેવિ-હે મહાબલ, હે વત્સ, તું ક્રોધનો ત્યાગ કર, ક્ષમાનું સેવન કર અને સભાવે રે કરી પાંડવોની પાસે જઈ તેઓને શાંત્વન કર, એ પાંડવો છે તે મહા બળવાન શત્રુઓના સમુદાયનો નાશ કરનારા છે, માટે એમને પ્રસન્ન કરવાથી તને ભુક્તિ મુકિત બન્ને પ્રાપ્ત થશે. તારા પિતાને પણ મેં શિક્ષા દીધી હતી કે તું પાંડવોનો પ્રતિપક્ષ કોઈવારે ન થઈશ. અને ભકિતએ તેઓની સેવા કરીશ તો જેમ કલ્પવૃક્ષથી મન વાંચ્છિત ફળની પ્રાપ્તી થાય છે તેમ પાંડવો પાસેથી I - તને ફળ મળશે, પરંતુ જો તેઓનો તું પ્રતિપક્ષી થઈશ તે તેઓ તને વિષવૃક્ષતુલ્ય થશે. તારો પિતા છે મનુષ્યવધનિયમ છોડી દેવા કબુલ થયો હોત તે ભીમસેન તેને મારતા નહીં. પરંતુ જે બનવાનું હતું SB તે બન્યું. હવે તું અતિ નય થઈ પાંડવોને પિતા તુલ્ય જાણી નમરકાર કર. તેઓ તને પુત્ર પ્રમાણે છે માનશે. કારણ, સંત પુરૂષોની સદા હિતપ્રકૃતિ હોય છે. જે વેરી શરણે આવે તો તેનું પણ હિત કરે છે. - એ પ્રમાણે દેવિએ પણ એને ઉપદેશ આપ્યો છે; માટે હું એને તમારી પાસે લઈ આવ્યો Sછી છું. હવે મારું વચન સાંભળી આ કુમાર ઊપર દયા કરી તમે એનું રક્ષણ કરે, એ વાત યોગ્ય છે ૯ @ > @ > દરત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy