SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આકાશને પ્રકાશ કરવાને સવિના બીજો કોઈ સમર્થ નથી. તેમજ મારું રાજ્ય સંભાળવામાં ગાં ગેયવિના બીજો કોઈ સમર્થ નથી. એવો કલાનિધિ પુત્ર છતાં મારાથી બીજા રાજ્ય કેમ અથાય? એ બધાં કારણો છતાં એ નાવિક કન્યા ઉપર મારું મન ઘણું આશત થયું છે તેનું હવે શું કરવું? એ પ્રબલ ઈચ્છાને લીધે હું એવા સંકટમાં પડ્યો છું કે, હવે બીજું કાંઈ સૂઝતું નથી. કો. છે એ પ્રમાણે વિચાર કરતાં જેમ વાઘ શિકાર કરવા નીકળેલો હોય તેને શિકાર નહી મળવાથી નિ- ૯ રાશ થાય છે; તે પ્રમાણે નિરાસ થઈને તે શાંતનુ રાજા પોતાના નગર પ્રત્યે આ. પણ જ પોતા ને સંકલ્પ નિષ્ફળ ગયાથી અહર્નિશ અતિ ચિંતાતુર અને મહા વિહલ મને પોતાના મ- ૨) છે. હેલમાં રહેવા લાગ્યો. એમ કેટલાક દિવસો ગયા પછી ગાંગેયે પોતાના પિતાનું મુખ સ્વાન ન ST થએલું જોયું, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, હું કાંઈ ભૂલી ગયો છું કે કોઈ પુર કે બીજા પરિજને તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરવું છે? કે મારી માતુશ્રીનું એમને સ્મરણ થયું છે? છે જેથી રાજાને એશે ફીકો માલમ પડે છે. એ વાતની મને ખબર કેમ પડશે? જો હું પોતે પૂછીશ છો તો મને સાચી વાત કહેનાર નથી. માટે એમની સાથે અહર્નિશ ફરનારા પ્રધાનને પૂછવાથી I' એ વૃત્તાંત જાણ્યામાં આવશે, ને પછી જે મારાથી પ્રયત્ન થાય તે કરવું જોયે છે; કેમકે, પિતાની ! જ ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રની ફરજ છે. એવી રીતે વિચાર કરી એકાંતમાં પ્રધાનને પછવા લાગે છે છે ત્યારે તે પ્રધાને સર્વ હકીક્ત તેને કહી. તે સાંભળી લઈને તરત ત્યાંથી નીકળીને તે નાવિકની | પાસે ગયો અને તેને કહેવા લાગ્યું. ગાંગેય—હે ભાગ્યશાળી નાવિક, રાજા શાંતનુ કોઈની પાશે યાચના કરવા જાય નહી તેમ છતાં તારી પાસે તેણે કરેલી યાચનાનો તે ભંગ કરે તે સારું કરડ્યું નહી. નાવિક–(અતિ પ્રસન્ન થઈને કહે છે, હે રાજપુત્ર, તમારા તીર્થરૂપ જે શાંતનુ રાજા, તેમની યાચનાનો ભંગ કરવાનું કારણ આ છે-શોનો પોત પોતાનાં બનાવ હોતો નથી એ દુનિયાને સાધારણ નિયમ છે. તેમ થવાથી પુત્રીને દુઃખની પ્રાપ્તિ થાય. વળી જેને પ્રથમ એક સ્ત્રી પુત્રવતી હોય તેને દીકરી દેવી તે કામ ખરેખરું દીકરીને કુવામાં નાખવા જેવું છે થાય છે. તમે એમની પ્રથમ સ્ત્રીના પુત્ર છો. માટે તમારાથી એને હરેક પ્રકારની પીડા થાય છે. છે તે તે એનાથી સહન થાય નહીં. જેમ જે વનમાં સિંહ જાગ્રત હોય તે વનમાં હરિણે નિર્ભય- Sણ પણે રહી શકે નહી. તેમ તમે છતાં મારી છોકરી કે તેની પ્રજાને કોઈ પ્રકારે સુખ થવાનો સં છે. ભવ ન થાય. તમારું એવું સામર્થ્ય છે કે કોઈ દરિદી ઉપર કૃપા કરશે તો તે ક્ષણમાં ધનાઢ્ય થઈ જાય. ને કોઈધનાઢ્યઉપર કોપ કરશે તો તે પલવારમાં દરીદી બની જાય, એવી રીતે સર્વ પ્રછો જાનું હિત તથા અનહિત કરવાનું જેમ તમારા હાથમાં છે તેમજ મારી પુત્રી તથા તેના ઉદરથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy