SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હા પર્યટન કરવા નીકલ્યો. ફરતાં ફરતાં યમુનાને કિનારે જઈ પહોતો. ત્યાં એક સેડીમાં એક જ S: મનહર કન્યા બેલી દીક તેનું અપર્વ રૂપ જોઈને રાજાનું મન તેની ઉપર અતિ આશત થયું ? અને સર્વ અંગમાં કામ વ્યાપી ગયો. પછી તેની પાસે જઈને પૂછવા લાગ્યો કે, રાજા–હે સુંદરી, તું કોની છોકરી છે? તારું નામ શું છે? અને મને તારી હોડીમાં બેશ- કોડ ડીને પેલે પાર પહોંચાડવાને તને કાંઈ હરક્ત છે? - નાવિકન્યા આ યમુનાને કિનારે રહેનાર એક માછીના સરદારની હું કન્યા છું. મારું નામ સત્યવતી છે. મારે પિતા જે મને આજ્ઞા આપે તે હું આ હોડીમાં બેસાડીને તમને પહેલે પાર પહોચાડું. કેમકે, હું પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કરતી નથી. એવાં તે નાવિક કન્યાનાં વચન સાંભળીને તે નીતિમાન શાંતનુ રાજા તેના પિતાની પાશે ? તેની યાચના કરવાને ગયો. તે નાવિકે રાજાને જોઈને તેનો ઘણો સત્કાર કરો અને બોલ્યો કે, નાવિક-હે રાજન, આપના દર્શનથી મને ઘણો આનંદ થયો છે. હવે આ દાસને 5) કાંઈ સેવા કરવાની આજ્ઞા કરો. રાજા-તમારી પુત્રી સત્યવતીને પરણવાની હું ચાહના કરું છું, તે મારી ઈચ્છા પૂર્ણ કરવી જોયે. નાવિક–હે દેવ, આપના જેવા યાચકને કોણ ના કહેનારે છે? હું આપની યાચના ( માન્ય કરવાને રાજી છું. પરંતુ એ વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાને ) નિશ્ચય કરે છે માટે તેની ઉપર મારી સત્તા નથી. બીજી અડચણ એ છે કે, આપના પુત્ર ગાં- ) ગેયની કીર્તિ આખા જગતમાં વિખ્યાત થઈ છે, તથા તેણે ઘણું શત્રુઓ જીત્યા છે. એવા કે પુત્રને મૂકીને મારી છોકરીને જે પુત્ર થાય તેને તમારાથી રાજ્ય અપાય નહી. એ કારણથી હું તો મારી પુત્રીને દુઃખી કરવા ચાહત નથી. રાજના જનાનામાં જ રહેવું તે બંદીખાનાની માફક છે. વળી રાજને પરણીને તેને પિટથી પુત્રની ઉત્પત્તિ થઈ છતાં તે પુત્ર જે રાજય ભોગવવા યોગ્ય ન થયો તો તે મંદ ભાગિણું સ્ત્રીને તે પુત્ર પ્રાપ્તિથી તથા સજાને પરણવાથી પણ શું ફળ થાય? મારી પુત્રીના પેટે જે પુત્ર થાય તો તેને રાજ્યપદ પ્રાપ્તિ તો થાય જ નહી, માટે હે રાજા, તમે મારી ઊપર કૃપા કરી કોઈ બીજી કન્યાને શોધ કરો, આપના જેવા પથ્થી પતિને કોઈના જ આ કહેનાર નથી. ગમે તેટલી કન્યા મળી શકશે. આ પ્રસંગે મુજ ગરીબ ઉપર ક્ષમા કરવી જોયે છે. કે રાજએ નાવિકનાં એવાં વચન સાંભળીને જેમ ધનુર્ધરને પોતાનું નિશાણુ ચુકવાથી ખેદ થાય તેમ પોતાના મનમાં ઘણો ખેદ કરો. અને પોતાની પ્રથમની યાચના નિસ્ફળ થઈ તેથી અતિ દુખિત થયો. પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે નાવિકે જે વાત કહી તે બધી સાચી છે. 5) કેમકે, એની દીકરીનો દીકરો રાજગાદી ન પામે છે અને તે પરણાવવાનું ફળ શું! અને જેમ વ G Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy