SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ - કુંતી–ણ મારે સત્યોદર વૃકોદર પુત્ર મુનિઓએ તો તારું શરીર વક્રતુલ્ય છે એમ કહ્યું કે SIC હતું ત્યારે જેમકમળના પુષ્પને કમળનાથીજ તોડી પાડે છે તેમ બક રાક્ષસે તારા મસ્તકને શી રીતે ? છે તોડી નાખ્યું. અરે તું જ્યારે ન્હાનો હતો ને પર્વતના શિખર ઉપરથી એકવાર ઢળી પડ્યો હતો ત્યારે તો પર્વતની શિલાઓને ચૂર્ણ કરી નાખી હતી. વળી પૂર્વે અંધારી રાત્રીમાં તું અમને નેગના પ્રકાશે પોતાની પીઠ ઉપર લઈને ચાલતો હતો અને હવે ઉત્તર કેમ આપતો નથી તથા તે નેએ કરી અમારી ભણું કેમ જોતો નથી? વારંવાર તારા મસ્તકને હું ચુંબન કરતી હતી તે મસ્તક આજ પૃથ્વી ઉપર આમ કેમ પડયું છે. એ પ્રમાણે કુંતી વારંવાર રૂદન કરતી હતી. વળી તે મસ્તકને દ્રોપદીએ પોતાના હદય SS સાથે લગાવીને ત્યાંથી થોડે દૂર બેસીને વિલાપ કરવા લાગી. દ્રૌપદી–હે નાથ, હે પ્રિય, શત્રુઓને મર્દન કરવાવાળા મારા પ્રાણનાથ તમે મને ત્યાગીને ક્યાં ગયા. હે પ્રાણેશ આ જે તમારા કરે છે તેનો હું સુંદર વેશ બનાવતી હતી તે કેશ ) આજ ધળી ધસર થઈ રહ્યા છે. જેમ અમૃત આસ્વાદન કરે તેમ મેં તમારા અધર આસ્વાદન A કરેલા તે અધર આજ રજથી ભરાઈ ગયા છે. અરે વિધિ તને ધિકાર છે કે મારા નાથના મુખ છે છેકમળની શેભાને તે પ્લાન કરી નાખી. હા સ્વામિ, જ્યારે તમને સૂવાની ઈચ્છા થતી હતી ત્યારે આ કે મારા ખામાં માથુ મેલી સુઈ જતા, તે આજ હવે નિરાંતવાળી નિશ્ચિત થઈ પૃથ્વી ઉપર પડ્યા ન આ છો. હે નાથ, હમણાં હું તમારી પાસે આવીછું તે તમે જાણો છો એમ વિલાપ કરી પદ્દી છે સમયે સહગમનાર્થ ચિતા રચવા લાગી. ભીમસેનવિના રાજ્યભ્રંશાનું દુઃખ અને પ્રવાસ કરવો , એ અતિ દુસહ છે “એ નિશ્ચય કરી ધર્મરાજદિક પાંડવો તથા કુંતી મરવા તૈયાર થયાં. વલી આ લોકોને આવું સંકટ પ્રાપ્ત થયું તેનો હેતુ હું છું એવો નિશ્ચય કરી દેવશર્મા પણ મરવા તઇયાર શએમ તવનની ગુફામાંથી મહાઘોર શબ્દ સંભળાવા લાગ્યો. તે સાંભળી યુધિષ્ઠિરે વિચાર્યું. યધિષ્ઠિર (મનમાં ભીમસેનને મારીને અમને મારવા સારૂં એ રાક્ષસ આવે છે; પણ જે ( એ અહિયાં આવશે તે ભાઇને મારચાનું વૈર લીધાવિના રહીશું નહીં. અવશ્ય એ રાક્ષસને છે શિરચ્છેદ કરી ભીમસેનનું ઈષ્ટ કરશું એમ વિચારી (ધનંજ્યને) હે પ્રિય અર્જુન, એ પેલો રાક્ષસ I આવે છે એ જીવ લઈને તે જીવિતવડે ભીમસેનને આપણે સજીવન કરો. - અધિકિરની એવી આજ્ઞા થતાંજ ધનુષ્ય ઉપર બાણ સંધાણ કરી જે દિશાભણીથી તે રા- છે, ક્ષસ આવતો હતો તે દિશાભણી અનુલક્ષીને અર્જુન ઉભો. તે સમયે કુંતી મનમાં ચિંતન કરવા લાગી. - તી રાક્ષસાધમ બકાસુરના હૃદયમાંથી આ અર્જુન ભીમસેનનું આકર્ષણ કરે છે. આ જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy