SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ છેરાદિ પ્રમુખ ચારે પુત્રો સહિત અશ્રુના યોગે માર્ગને કર્દમયુક્ત કરતી કુંતી વનમાં આવી. ફળ Sકુલથી દેખાતા રમણીક વન ઉપર ભીમના વિયોગથી તેઓમાંના કોઇની પ્રતિ થાય નહીં. નાગ- ૨) કેસરના વૃક્ષ નીચે બેસી જ્યાં દેવરામ શેક કરતો હતો, ત્યાં આવી દૌપદી તથા ચાર પુત્રો સ4 હિત કુંતી શેક કરવા લાગ્યાં. તેઓ સર્વનાં નેત્રોમાં જળ આવી ગયાં. તે સમયે મહા નગ્ન થઈ 9) દેવામાં યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો : દેવશમાં–હે મહારાજ, વિશ્વની રક્ષા કરનાર તમે છો. મારા પ્રાણની રક્ષા કરવા સારું M તમારો ભાઈ રાક્ષસનો ભોગ થઈ પડશે. એ તેણે બહુ ખોટું કર્મ કર્યું, અરે હું કુળદેવતાને ન- ) મસ્કાર કરવા શું કરવા ગયો? હું ત્યાં ગયો તે અવકાશનો લાભ લઈ દયાળુવતિને તમારો ભાઈ મારી વતીનો રાક્ષસનો ભોગ થવા ચાલી નિકળ્યો, જે હં દેવતાને નમસ્કાર કરવા સારું ન ગયે હોતતો આમાંનું કઈ થાત નહીં. (તે સાંભળી યુધિષ્ઠિર બોલે છે) યુધિષ્ઠિર હે બ્રાહ્મણ તું પશ્ચાતાપ પામીશ નહીં અને કોઈપણ ભય ધરીશ નહીં. મારા ૭) ભાઈને રાક્ષસ કાંઈપણ કરી શકે એવું તે રાક્ષસનામાં સામર્થ્ય નથી. અંધકાર તે શું સૂર્યને દબાવી હ છે. શકશે? હે બ્રાહ્મણ ભીમસેનના ભુપાશમાં લીલામા કરી દબાઈ બકરાક્ષસ બગલાની જેમ જમ- પુરીમાં પહોચશે એ વાત નિશ્ચય છે. એ પ્રમાણે યુધિષ્ઠિર દેવશર્મા પ્રત્યે બોલતા હતા. એવામાં ) | આકાશથી રમકારદનિ કરતું પ્રર્વતપ્રાય એક મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તેના પડવાથી પૃથ્વી અને પર્વત લાયમાન થયાં, તથા સર્વ ક્ષોભ પામ્યા કે આ શું થયું? તે મસ્તકને વારંવાર જોતા જ હતા. તેમાં ભીમના મસ્તકનાં ચિન્હ દેખાતાં હતાં તે જોઈ સર્વ રોવા લાગ્યાં. યુધિષ્ઠિર તે મુ સ્તક પાસે જઈ વિલાપ કરવા લાગ્યા. છે યુધિષ્ટિર–અરે હે પુરૂષ શ્રેટ આ હેબને વિડંબન કરવાવાળા બળવાનને બક રાક્ષસે કે શી રીતે માર્યો! મહા મદોન્મત્ત હસ્તિ સમાન મોટા મોટા રાક્ષસોને જેણે મારી નાખ્યા તેણે આ બક રાક્ષસથી કેમ હાર ખાધી. અરે તું બક રાક્ષસને હાથે મર્ણ પા એ શું વિધાતાએ (iતને વિડંબન કર્યો? હા ભાઈ માર્ગે ચાલતાં અમે થાકી જતા ત્યારે તું અને તારી ખાંધ ઉપર Tો ચઢાવી આગળ ચાલતો તેવું હવે તારા વિના કોણ કરશે? સાગરરૂપી પંથમાં તું અમારે વહાણરૂપ હતો. હવે તહાવિના તમે શું કરશું? અરે ભાઈ ભીમસેન તે આજ મારો ત્યાગ કર્યો તેથી છે જેમ ચંદ્રને રાહુ ગ્રહણ કરી પીડા કરે છે તેમ ક્રૂર દુર્યોધનરૂપી રાહુ અમોને પીડા કરશે. અરે છે વિરોધમાં સાવધાન વિધાતા તું શું દુર્યોધનરૂપે અમને થયો . એ પ્રમાણે રાજ યુધિષ્ઠિર વિલાપ કરે છે તે સમયેતી પણ મુર્શીત થઈ પૃથ્વી ઉપર ઢળી પડી. તે જોઈ સારે ભાઈઓ તેને વસ્ત્ર - છ વડે વાયુ નાખવા લાગ્યા. થોડીવારે મૂચ્છથી સચેતન થઈ કુંતી રૂદન કરવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy