SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વેને ઘણા માસવિતી ગયાં, પછી એક દિવસ કુંતીએ દેવરામભાદુનિઓ વ્યાકુળ થઈ રૂદન SS કરતું સાંભળ્યું. તે સાંભળી કુંતીના મનમાં મહા કલેવ થયો. પછી વશમની પાસે જઈ કુંતીએ પુછયું. - કુંતી–હે દેવશર્મા, તને આ દુસહ દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું છે. તે .: કુંતીનાં વચન સાંભળી દેવામાં શ્રવણ કથન કહેવા લાગ્યું. દેવશર્મા–હે દેવિ આ પુરીને વિષે પૂર્વ અરિષ્ટનું અતિ કષ્ટ થયું હતું. એક સમયે આ છે નગરી ઊપર પાષાણ અને શિલાની મહા વૃષ્ટિ થવા લાગી. સર્વ સ્થળે ધુમાડાના ગોટેગોટ જ્હાવા લાગ્યા, અને પ્રલયકાળના મઘતુલ્ય મેઘ વરસવા લાગ્યો; જેથી પુરવાસીઓ સર્વ આકુળ વ્યાકુળ ) િથઈ ગયા. વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખે એવા પ્રચંડ વાયુના સુસવાટા થવા લાગ્યા; જેથી જ અદકપરચક્ર એવી આ એકચક્રનગરીના સકળ જનોને મહા અરિષ્ટ પ્રાપ્ત થયું. સ્ત્રીઓ, જ બાળક, જુવાન અને વૃદ્ધ એ સર્વને પ્રાણાન્ત ભય લાગ્યો. સ્ત્રીઓ પોતાના સ્વામિને ગળે વળગી પડીઓ, બાળકો પોતાના માબાપને ગળે વળગી પડ્યાં, અને સર્વ પોત પોતાના ઈષ્ટદેવનું તે અરિષ્ટ નિવારણર્ય સ્મરણ કરવા લાગ્યાં. ભવિષ્ય જાણનાર જતષીઓ ટીપણાં જેવા બેઠા, કે શૂકન જાણનારાએ શૂકન જેવા લાગ્યા. એ પ્રમાણે રાજા અને સર્વ લોક હાથ જોડી ધૂપ કરી 9 પ્રાર્થના કરતા હતા કે “જો રાક્ષસ હો અથવા તો યક્ષ હો ને આ નગરી ઊપર ક્રોધિત થયો છે જે પણ અમારા પર હવે દયા કર. અમાપર અનુગ્રહ કર એ પ્રમાણે સર્વ લેક સ્તુતી કરે છે એટ લામાં કાળા રંગને તે જાણે કાળરાત્રિને સહોદર (ભાઈ) હોયના! એવા એક પીળી આંખવાળા મહા ક્રૂર રાક્ષસને નગરના લોકોએ આકાશ માર્ગ દીઠો. તેને જોઈ સર્વ ભયાકુળ થઈ કંપવા ST લાગ્યા અને નગ્ન થઈ તે રાક્ષસ પ્રત્યે બેલવા લાગ્યા. - લોકો–હે મહાભાગ્ય, તમે કોણ છો! કોઈ દેવ છો કે દાનવ છો! આ પુરીને સંહારારંભ ટક શા માટે કરો છો? મડાત્મા પુરૂષ છે તે પરોપકારને માટે પોતે કલેષ પામે છે પણ પારકાને કલેષ US) પમાડતા નથી, સૂર્ય આકાશમાર્ગ ગમન કરે છે તે માત્ર પરોપકાર સિવાય અન્ય હેતુએ ફરતો જ 6 નથી; વળી જેમ પતે તાપ સહન કરીને વૃક્ષ, પંથિઓને પોતાની છાંયાનું સુખ આપે છે તેમ છે છે મહાત્મા પુરૂષ તે દુઃખ સહન કરે છે પણ પરને દુઃખ દેતા નથી. માટે હે મહાભાગ્ય, મહાત્મ છે જ તો પારકાનું સારું કરે છે તે તમને આમ અનુચિત કરવું યોગ્ય છે? SB તે સાંભળી આકાશથી તે બોલ્યો કે, હે લોકો હું બક વિદ્યાધરાધીશ છું. મેં અનેક પ્રકા રની દુકસાથે વિદ્યા સાથે કરી છે; તેનું કૌતુક જેવા આ નગરીનો સંહાર કરવો ધાર્યો છે, માટે તક હે કળ લોકો તમે સર્વ પોતપોતાના ઈષ્ટ દેવની આરાધના કરી લે. હવે થોડા વખતમાં શિછ લાઓના પ્રહથી તમે સર્વ ચૂર્ણ થઈ જશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy