SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ કયા હૈએ. માતા અને સ્ત્રીને પગે ચાલતાં જોઈ મનમાં મહા ખિન્ન થઈ વિધ્વંભરાધિ ધર્મરાજ અને પોતાના મન સાથે બોલે છે કે દુઃખદ અવસ્થામાં જેઓ માતા પિતાની સેવા ન કરે એજ તેઓને માથે ભણે છે. (દ્રૌપદીને ચાલતાં જેઈ) અરે આ દ્રોપદી અમ સરખાનું પાણિ 4. ગ્રહણ કરી જેમ દરિદીની સ્ત્રી ચાલે તેમ ચાલી જાય છે. • પાંડવોના દેખતાં દ્રૌપદીના કોમળપત્ર તુલ્ય પદકમળમાં જેવી લોહની સોયો હોયના! એવાં હે કરાગ્ર ઘોચાતાં જાય છે તેથી તેમાંથી લોહીની ધારાઓ વહે છે તે જોઈ ધર્મરાજા મનમાં કહે છે. ) . યુધિષ્ઠિર–જેને એકપતિ હોય છે તેને કષ્ટ નથી હોતું ને આ પાંચ પતિવાળી પંચાળીને ) આજ આવું કષ્ટ પ્રાપ્ત થયું. એવી રીતે યુધિષ્ઠિરરાજા મન સાથે ચિંતન કરતા માર્ગમાં ચાલતા પ હતા. આગળ ચાલતાં ચાલતાં કતી અને દ્રૌપદી પરિશ્રમથી પૃથ્વી ઉપર ઢળી પડ્યાં. પછ- Y વાડે રાજભ્રંશને ભય છે ને આ બન્નેની આ અવસ્થા થઈ તે જોઈ ધર્મરાજ બોલ્યા. યુધિષ્ઠિર–અરે જે વિધિએ પાંડવોને આવી મહા વિપત્તિ પાડી તે વિધિને પણ ધિક્કાર છે. - જેમ માથે સૂર્યને ઉગ્રતાપ તપતો હોય ને છત્ર તે મળે નહીં, ટાઢ લાગતી હોય પણ પાસે ( વસ્ત્ર મળે નહીં, સુધાતુર થઈ રહ્યાં હોય પણ ખાવાને મળે નહીંએવાં પથિકને માર્ગે ચાલવાનું છે શ, મહા વિપત્તિ ભર્યું થઈ પડે છે. તેમ સરીસનાં પુષ્પ જેવાં જેમનાં કોમળ શરીર છે એવી તથા જેઓ આ Tો ચાલતાં ચાલતાં પગલે પગલે પૃથ્વીપર અખાઈ પડે છે તેવી સ્ત્રીઓ ભયંકર વનના રસ્તાને પાર તો શી રીતે પામશે? (એવી રીતે યુધિષ્ઠિરને ખેદાયમાન થએલો જોઈ વૃકોદર તેની પ્રત્યે બોલ્યો કે ભીમસેન - હે ભાઈ, તમે વ્યાકુળ થશે નહીં હું છતાં તમારે શી ચિંતા છે. છે એમ કહી કૃતીને ડાબા ખંભા પર બેસાડી અને દ્રૌપદીને જમણા ખભા પર બેસાડી ભીમસેન રા આગળ ચાલ્યો. આગળ ચાલતાં નિકુળ સહદેવને પણ આકુળ વ્યાકુળ થતા જોઈ ભીમસેને તેમને પોતાની પીઠ પાછળ બેસાડી લીધા. વળી થોડે દૂર ચાલ્યા પછી અર્જુન તથા યુધિષ્ઠિરને પણ માર્ગ શ્રમથી આકુળ વ્યાકુળ થતા જોઈ તેમને પણ પીઠ પાછળ બેસાડી ભીમસેન આગળ ચાલ્યો તે સમયે જેમ અથાગ જળમાંથી નૈકાપાર ઉતારનાર હોય છે તેમ ભીમસેન સર્વને ત્યાં કાનૂલ્ય થશે. સર્વને લઈને ભીમસેન મહા વેગથી આગળ ચાલ્યો તેને વેગ જોઈ અંધકાર નાશી ગયું. સર પ્રાયશ્ચિત્ત કરવાથી જેમ પાપ દૂર થઈ જાય છે તેમ રાત્રી પણ દૂર થઈ ગઈ; ને વનમાં જ્યાં જ્યાં ૩ અંધકાર હતો, ત્યાં ત્યાંથી તથા પર્વતની ગુફાઓમાંથી ભીમસેનને ઉજવલ યશ વિસ્તાર હોવાને લીધે તે નાશ પામ્યો. ભીમસેન સરખા મહાત્મા નરનું પ્રાતઃકાળમાં ઉઠીને મોં જોવું જોઈએ છે માટે સર્ચ પણ ઉદયાચળ ઉપર આવ્યો. વળી સંબંધીઓને દૂરથી આવતાં જોઈ જેમ બોલાવે તો Sી છે તેમ પંખીઓ પણ શબ્દ ભીમસેનને જાણે બોલાવતાં હોયના! એમ દિસવા લાગ્યું. પાં- ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy