SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ડુનું કુટુંબ તે માત્ર કુટુંબ છે; માટે અમને કરાલંબન દેવું જોઈએ. અમ વિચારી સૂર્ય પોતાનાં કિરણો પૃથ્વીપર લખાવ્યાં. અંધકાર નાશ પામ્યાથી પાંડવોને સુખ થયું તેમ પ્રકાશ થવાથી “ખેને કોઈ અમને ઓળખી કાઢે! ને દુર્યોધનને જઈ અમે જીવતા છેચ્યું તે વાત નિવેદન કરે એવા અતિભયથી દુ:ખ થયું. વળી પ્રકાશ થવાથી પંથ સુજ પડવાનું સુખ થયું પણ પાસે વજ્ઞ મળે નહીં તેથી તાપે હેરાન થવાનું દુ:ખ પ્રાપ્ત થયું. એમ તે સમયે પાંડવોને સુખ દુ:ખ સ માન હતું. આગળ ચાલતાં સૂર્ય પોતાની પૂર્ણ કળાસહિત જ્યારે પ્રકાશ્યો ત્યારે તાપે કરીને પાંડવો મહા વિપત્તિ પામવા લાગ્યા; તેથી તેઓ તે વનને વિષે એક એકાંત સ્થળમાં વિશ્રામ લેવા ખેડા. તે સમયે ત્યાં જેષ્ઠ બંધુ યુધિષ્ઠિર અર્જુનપ્રત્યે ખોલ્યો. યુધિષ્ઠિર—હૈ ભાઈ તમારે તમારી વિદ્યા કોઈ શંકાણે આ સમયે પ્રકાશ કરવી નહીં. કારણ વિદ્યા પ્રકારા કરવાથી આપણી પ્રસિદ્ધિ થશે તો તેથી દુર્યોધન આપણને અનેક વિપત્તિઓ પાડશે. વળી જેમ નેતરનું વૃક્ષ નદીના આવતા પુરપ્રવાહ સમયે તે પ્રવાહની સાથેજ નીચું નમી જાયછે તે પ્રવાહ ગયો કે પાછું ઊભું થઈ જાયછે; તેમ મહાત્મા પુરૂષો દેવાનુસારે પોતાની ઉપર દુ:ખ પડે તો તે સમયે પોતાનું મહાત્મ દેખાડતા નથી. દૈવાધિન થઈ દુ:ખ સહન કરેછે. આ પણે પણ તે પ્રમાણેજ વર્તવું જોઇએ. અર્જુને વનમાં જઈ ફળ ફળાદિક આણ્યાં. તેમાંથી દ્રૌપદીએ પ્રથમ પોતાની સાસુને જમાડ્યાં; પછી પાંડવોને જમાડ્યા ને ત્યારપછી જે વધ્યાં તેમાંથી પોતે જમી લીધું, એક પ્રહર સુધી ત્યાં વિશ્રામ લઈ સૌ આગળ ચાલ્યાં. તાપે કરી સર્વે મહા વ્યાકુળ થઈ ગયાં છે; સર્વેનાં મુખપણ પાણીવિના શુષ્ક થઈ ગયાં છે, ને તૃષાથી કંઠે સુકાઈ ગયા છે; અંગપર એક છાઁ વસ્ત્ર છે મવી દુ:ખી અવસ્થામાં તેઓ સર્વે આવી પડ્યાં. ભીમસેને સર્વને તૃષા જોઈ, જ્યાં જળાશય હતું ત્યાં તેને લઈ જઈ જળપાન કરાવ્યું. થોડો વિશ્રામ લઈ ત્યાંથી સૌ આગળ ચાલ્યાં. પૃથ્વી જેમાં ઊંચીં નીચી, વૃક્ષો પણ જેમાં રૌદ્રાકાર, માર્ગે મહાવિકટ અને ક્રૂર ચાપો જેમાં રહેછે એવા દારૂણ વનમાં કુંતા તથા પંચાળી સહિત પાંડવોચ્ય પ્રવેશ કર્યો. સૂર્યે તે સમયે અસ્ત થયો. યારૅ વિધિ ક્રોધ કરેછે ત્યારે પગલે પગલે કલેશ થાયછે અને વિધિ જ્યારે કૃપા કરેછે ત્યારે જેમ કાપેલા વૃક્ષને ફરી અંકુર આવેછે તેમ ગયેલું રાજ પાછું મળેછે. ભયાનક વન અને સૂયૅઅસ્તથી અંધકાર થયેલો જોઈ આગળ ન વધતાં પાંડવો ત્યાંજ રાતવાસો રહ્યા. કેંકલીના વૃક્ષ નીચે ખેશી સર્વ પંચ પરમેષ્ટીનું ધ્યાન કરવા લાગ્યાં. ભીમસેન સર્વનાસારૂ પત્રાય્યાઓ કરી. તેપર સૌ બેઠાં. મધ્યમ પાન્ડુનંદન ભીમસેન પછી જળ લેવાસારૂં ગયો. ત્યાંથી બે કોશ આગળ ગયો ત્યારે ત્યાં સારસપક્ષીઓના શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તેપથી તેણે આપ્યું Jain Educationa International For Personal and Private Use Only ૨૧૯ www.jainulltbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy