SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૯ @ ને ભીમસેન–હે જેઝબધુ યુધિષ્ઠિર, તું મને આજ્ઞા આપ. હું ઈદપ્રસ્થમાં જઈ દુર્યોધનનું Sખ હદય વિદ્યારણ કરી આવું. શત્રુને હણવામાં હવે આપણે વિલંબ કરો ઘટતો નથી. " અર્જુને પણ એ પ્રમાણે જ કહ્યું. નિકુળ, સહદેવ અને બીજા સંબંધીઓનું પણ એજ કહેવું હતું. સર્વનો સમ્મત સાંભળ્યા પછી યુધિષ્ઠિર બોલ્યો. * ૭) ડ યુધિષ્ઠિર-(મનમાં) દુધનને મારવાથી મારા સત્ય કરારને હાની પહોંચશે. અરે અમે ( સ સીધે રસ્તે જતા હતા ત્યાંથી પાછા વાળી નિર્લજ દુર્યોધને અમને ફરી ફાંદામાં નાખ્યા. વળી છે. હવૈ અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં અમારો શોધ કરી અમારા પર પરમ વિપત્તિ પાડશે. અમે ). છે. એકલા છે. અમારી પાસે એવી વિદ્યા પણ નથી કે જે વિદ્યાના બળથી અમે ઊડીને કોઈ જ S: અગોચર સ્થળે જતા રહીએ. અરે મારો સત્યનિયમ કેમ નભશે? હશે જે થવાનું હશે તે થશે. આ હવે અહીંયાંજ આ ઘરમાં ગુપ્તપણે રહીશું. બીજે ક્યાં જઈશું ત્યાં એ આપણી પૂઠ મૂકવાનો નથી; માટે આ ઘરને આગ લગાડવાની આજ્ઞા લેવા સારું આ પુરોહિત દુર્યોધન પાસે જ્યારે 9) જશે ત્યારે અહીંથી છાનામાના સુરંગ માર્ગે થઈ નિકળી જઈશું, તેથી દુર્યોધન પણ જાણશે કે પાંડવો બળી મુવા; માટે તે અમારી ફરી શોધ પણ નહીં કરે, જેથી કરી અને બાર વર્ષ સુખે છે વનવાસ કરશું. હવે આ ઘરમાંથી જ કોઈ સુરંગને માર્ગ જાણવામાં આવે તો ઠીક એવો માર્ગ ન જડે તો અવશ્ય કોઈ સુરંગ ખોદી આપનાર માણસને લાવવો જોઈએ. એવો વિચાર યુધિષ્ઠિર રાજા કરતો હતો તે સમયે વિદુરના મોલેલા તે પ્રિયંવદ નામના દૂતે તેમને કહ્યું. - પ્રિયંવદ-હે મહારાજ, તમારા વિદુર કાકાનું મન સંશયી થઈ રહ્યું છે કે તમારી શી વલે હું થશે? એવું જાણું તેમણે શુનક નામના સુરંગ ખોદનારને મારી સાથે મોકલ્યો છે. એવું કહી તે સુરંગ ખોદનારને રાજા યુધિષ્ઠિર પાસે આયો. તેણે આવી રાજા યુધિષ્ઠિરના ચરણે મસ્તક પર છે નમાવ્યું. તે સમે શુનકભણી આંગળી કરી પ્રિયંવદ, રાજ યુધિષ્ઠિરને કહે છે.) - પ્રિયંવદ-હે રાજન આ શુનકને તમે વિદુરનું મન સમજજો. એવું કહી તે પ્રિયંવદ, રાજને નમસ્કાર કરી ત્યાંથી ચાલતો થયો. તેના ગયા પછી તે સુરંગ ખોદનારે સુરંગ ખોદવાની જગ્યા રાજા યુધિષ્ઠિરને બતાવી. સુરંગ ખોદનારે ભીમસેનની ) શમ્યા નીચેથી ધીરે ધીરે મનોહર સુરંગ ખોદવા માંડી. પાંડવો તે મહેલમાં રહેવાને પોતાના જ SS મનને અવિશ્વાસ થઈ ગયો છે પણ વિશ્વાસ બતાવે છે. નિર્મુદ થઈ ગયા છે પણ સમુદસ્થિતિ છે? જે બતાવે છે. નિત્ય ફરવાના નિમિત્તે અશ્વારૂઢ થઈ બહાર જઈ સુરંગ ક્યાં નિકળશે? ક્યાંથી તે સીધો માર્ગ જડશે એ સર્વને ભીમસેન નિશ્ચય કરતો હતો. તથા નિકુળ અને સહદેવએ કુંતી તથા Sી દોપદીને સુરંગના માર્ગમાં ચાલવાને પરિચય પડે એવા હેતુથી તેમને નિરંતર સાથે લઈ સુરંગમાં GSR)R@ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy