SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ સંબંધીઓને સાથે લઈ યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરમાં આવવા નિકળ્યા. પુરવાસિઓ યુધિષ્ઠિરને , હસ્તિનાપુર આવતો જાણી પ્રસન્ન થઈ નજરાણાં લઈ તેની સામે ગયા. તેઓની ભેટ અંગિકાર કરી કૃષ્ણાદિક સંબંધીઓ સહિત રાજા જેમ પોતાની રાજધાનીમાં પ્રવેશ કરે છે તેમ યુધિટિરે હસ્તિનાપુરની બહાર વારણાવતપરામાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ જેમાં ઉત્તમ અને વિચિત્ર રચના કરી છે એવા મહેલમાં નિવાસ કર્યો. અનેક સામગ્રીથી ભરપૂર એવો તે મેહેલ રાજા યુધિ ટિરને પુરોહિત વારંવાર બતાવતો હતો. યુધિષ્ઠિરને જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુઓ દુર્યો, ધન તેને પહોચાડવા લાગ્યો. હસ્તિનાપુર બાહાર વારણાવતમાં યુધિષ્ઠિરને આવ્યા સાંભળી છે. જેટલા રાજાઓ હતા તે મળવા સારું ત્યાં આવવા લાગ્યા. તે રાજાને તથા યુધિષ્ઠિરને દુર્યો- ઉ Sઈ ધને સેવાથી એવા પ્રસન્ન કર્યા કે સો પોતાનાં ઘર પણ વિસરી ગયા. સ્થિત મન કરી આનંદ- પર પૂર્વક સંબધીઓ સહિત યુધિષ્ઠિર ત્યાં રહ્યો. પાંડવોનું સુખ અને તેમને ડરી ડેકાણે પડેલા જોઈ ( કચ્છ પોતાની રાજધાનીના દારામતી શહેરમાં જવા તૈયાર થયા. તે સમયે માતાને મળવા સારૂ છે. અતિ ઉત્કંઠિત એવી સુભદાને કૃષ્ણની સાથે દ્વારિકા મોકલી. તથા જેટલા લોકો ત્યાં મળવા ણ ( સારૂં આવ્યા હતા તેમને સર્વને રાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં વિદાય કર્યો. ( એક સમયે વિદુરના મોકલેલા પ્રિયંવદ નામના દૂત ભીમાર્જન સહિત રાજા યુધિષ્ઠિરને એકાન્તમાં બોલાવી વિદુરને મોકલેલો સંદેશે કહ્યો. દૂત–હે રાજંન, વિદુરે મને આ પ્રમાણે તમને કહેવા કહ્યું છે કે હે યુધિષ્ઠિર, કર્ણ અને ૨ દુઃશાસનાદિકની સાથે દુર્યોધને સલાહ કરી પુરોચન પુરોહિતને આ પ્રમાણે કહ્યું છે તે મેં કાને- કે ST કાન સાંભળ્યું છે કે હું પુરોહિત તારી સમાન મને કોઈ બીજો પ્રિય નથી જ, તને યોગ્ય પાત્ર જાણું કહ; તે એકે આમારી ઘણી સેના છે તથાપિ જ્યાં સુધી મારા વૈરી પાંડવો જીવતા છે ત્યાં સુધી 4 મારે રાજ ગાંધર્વનગરતુલ્ય છે. માટે શાણ, તેલ અને ઘાસથી પરિપૂર્ણ એવો એક મહેલ બંધાવી હતી પછી તેમાં કોઈપણ યુક્તિથી પાંડવોને લાવી કષ્ણપક્ષની ચતુર્દશીએ તારે તે મહેલમાં આગ લગાડવી. હજી ( જેથી કરી પાન્ડવોનો નાશ થાય ને પછી હું નિર્ભય થાઊં. એ પ્રમાણે પુરોહિત સાથે દુર્યોધને તો છેકરેલી સલાહ વિરે કાનોકાન સાંભળી; તે તમને નિવેદન કરવા અને તમારી પાસે મોકલ્યો છે. 4 માટે તમો પ્રમાદ કરશો નહીં. એવાં વિષતુલ્ય પણ હિતકારક વચન સાંભળી ક્રોધે પરિપૂર્ણ થએલા સંબંધીઓ સહિત છે ધર્મસાતે ઘરની તપાસ કરવા લાગ્યો; તે માલમ પડયું કે આ ઘર શણનું બનાવેલું છે. એવું કપટમય ઘર જાણ્યા પછી રાજા યુધિષ્ઠિરે માતા સ્ત્રી તથા ભાઈઓ વિગેરે પ્રત્યેક મત લીધો. છે એવું યુધિષ્ઠિરનું વચન સાંભળી પ્રથમ મનમાં ધારીને પછી ભીમસેન બોલ્યો. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy