SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ tெ કૃષ્ણસહિત રાજા યુધિષ્ઠિર બેઠો હતો, ત્યાં દુર્યોધનનો પુરોચન નામનાં પુરોહિત આવ્યો ને ખોલ્યો. પુરોચન—હૈ સજ્જ, તારા દુર્યોધન બંધુમ્મે તને આમ કહેવા મને કહ્યુંછે કે હું યુધિષ્ઠિર, તું મહાન પુરૂષોમાં અગ્રેસર છે, અને અનાર્યમાં અગ્રગામી હું છેં. ગુણવાનોમાં અગ્રગામી તું છે, મેં નિર્ગુણીઓમાં અગ્રગામી હું છે. સજ્જનોમાં પ્રકાશમાન તું છે ને દુર્જનોમાં પ્રકાશમાન હું . સુબુદ્ધિઓમાં અગ્રગામી તું છે ને દુખ઼ુદ્ધિઓમાં અગ્રગામી હું . કૃતજ્ઞનો શિખર તું છે નેં કતાનો શિખર હું છે. ઉત્તમોમાં માણિકચ તું છે, ને અધમોમાં માણિકચ છે. મચ્છમાં આદિ તું છે નેં અલ્પેચ્છમાં આદી હું છો. કૃતવિદ્યાનો આદિ તું છે ને નિર્વિદ્યાનો આદિ હું છે. માટૅ હે ભાઈ, વિવેકશૂન્ય થઈ મેં પૂર્વે તારા અનધિ અપાર કર્યાંછે; તેવા અપકાર કરનારો સામાન્ય પુરૂષોમાં કોઈ શોધ્યા મળે નહીં તો પછી કુરૂકુળની શી વાત! પરંતુ હે દયાબ્ધિ! એ મારા અકારના અપરાધની તાહાર ક્ષમા કરવી યોગ્ય છે. કારણ નાહાનો ભાઈ મોટાભાઈનો કાંઈ અપરાધ કરે તોપણ મોટોભાઈ નાનાભાઈ ઉપર પ્રસન્ન રહેછે હવે તમો સર્વે મારા અપરાધ વિસરી જઈ વનવાસથી પાછા વળો અને હસ્તિનાપુરમાં આવી નિવાસ કરો; તથા તમો સુખે રાજસમૃદ્ધિનો ઉપભોગ કરો. મેં તારો પૂર્વે અપરાધ કર્યો છે તેથી મારા મસ્તકપર સર્વ પ્રજાની અને વડીલોની જે પસ્તાળરૂપી રજ પડીછે તે રજ તું કૃપા કરી મારા અધ સામું ન જોતાં અત્રે આવી માર્જન કર. માલતિપુષ્પને સર્વજન મસ્તક ઉપર ધારણ કરેછે, તેમ તારી આજ્ઞા હવે હું નિરંતર મારૂં મસ્તક ધારણ કરીશ. સત્યવ્રત વિપ થઈ જાય એવા વિચારથી તારૂં મન લજ્જિત થતું હોયતો દયા કરી ફરતા ફરતા જેમ સાધુ તથા મુનિઓ આવેછે; તેમ આપણા ગામમણી તું તારાં પવિત્ર પદ્મકમળ ધરજે; અને સ્થિર મન કરી હસ્તિનાપુરમાં આવી રહેજે હું આય, જે તમો નહાનાભાઈઓ સહિત હસ્તિનાપુરમાં આન વીને રહેશો તો તમારી મનોવૃતિ પ્રમાણે હું તમારી સેવા કરીશ. એ પ્રમાણે દુર્યોધને કહાવેલો સંદેશો યુધિષ્ઠિરને કહી પુરોહિત વળી ખોલ્યો. પુરોહિત—હે યુધિષ્ઠિર, એ પ્રમાણે તારા સંબંધી દુર્યોધને કહાળ્યું છે માટે જો તમે હસ્તિનાપુર આવશો તો હું પણ તમારી સાથેજ રહીશ. એવું કહી તે પુરોહિત છાનો રહ્યો, કૃષ્ણાદિકોને આ વૃત્તાંત સાંભળી બહુ આનંદ થયો અને સવળાંએ જાણ્યું કે હવે આપણને સુખતો થશે અને આપણો નિર્વાહ તો ચાલશે? સર્વનાં મન એ વાતમાં લાગ્યાં. ત્યાર પછી રાજા યુધિષ્ઠિર પુરોહિત પ્રત્યે ખોલ્યો. યુધષ્ઠિર—હે પુરોહિત, તેં જે કહ્યું તે બહુ સારૂં છે, અમારે દુર્યોધન સાથે કાંઈપણ દ્વેષ નથી. પુરોહિતને એ પ્રમાણે કહીને કોઈ હાથી ઉપર અને કોઈ અલોપર બેઠેલા એવા કૃષ્ણાદિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy