SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ રહી શકશે પણ કુતીતાં તમારો વિયોગ ક્ષણમાત્ર પણ નહીં સહન કરી શકે, માટે એને તમે તમારી સાથે લઈ જાઓ. એ પ્રમાણેનો નિશ્ચય કરી પાંડુપિતાને નમસ્કાર કરી નેત્રોમાં જળ લાવી યુધિષ્ઠિર વિદુર પાસે જઈ બેઠા. પુત્રોથી વિયોગ ન થયો એ પ્રમોદ અને પતિથી વિયોગ થશે એ ક્લેષ એ પ્રમાણે તે સમયે કુંતી હર્ષશોકાવસ્થાવાળી થઈ. વિદુરે યુધિષ્ઠિરને કહ્યું કે, હું કોતેય જ્યાં જાઓ ત્યાં ખાવામાં, પીવામાં, ચાલવામાં, નિદ્રામાં એમ સર્વે વાતમાં સાવધાન રહી માર્ગે ચાલો. એ પ્રમાણે મહા પ્રીતિયુક્ત થઈને યુધિષ્ઠિરને શિક્ષા દેઈને ગદ્યગઢ કંઠે થયેલી કુંતીને વિદુર નમસ્કાર ર્યો. ત્યાર પછી પાંડુ રાહ્ત યુધિષ્ઠિર પ્રત્યે ખોલ્યા. પાંડુન્હે વત્સ તું વનની ભયંકર ભોંમીમાં કુટુંબને સાથે લેઈ શી રીતે ફરીશ? અરે તારા સરખા પુત્રના વિયોગે હું એકલો શી રીતે રહી રાકીશ? તુંજ વિચાર કર કે ચંદ્રમા વિના સમુદ્રની કેવી દશા થાયછે? અરે પણ હે વત્સ તારા વચનને અન્યથા શી રીતે કરી શકું? હવે દુ:ખને દુર કરનારી આ મારી રત્નમય અંગ્રહીછે તે તું સાથે લઈજા એમ કહી મહા પ્રસન્ન થઇ પોતાના હાથની અંગુડી-યુધિષ્ઠિરને પેહેરાવી. પાંડુ રાજાએ પોતાની પ્રિયા પ્રત્યે કહ્યું. પાંડુ—હે દેવી, પુત્રપાત્રનું તું યત્ન કરજે, એ પ્રમાણે પ્રબોધ દેઇ તેની આજ્ઞા લઈ વિદુર સહિત જે સમયે પાછા વળવાની તૈયારીમાં પાંડુરાજા હતા તે સમયે માદ્ધિને નમસ્કાર કરી યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર—હે માતા, તું મારા પિતાની નિરંતર સેવા કરજે, માદ્રિએ પોતાના બંને પુત્રોની બંધુઓ પ્રત્યે અતિ પ્રીતિ જોઇ તેઓને કહ્યું. માદ્ર—હે પુત્રો, તમો મોટાભાઇની નિરંતર સેવા કરશે. પુત્રોને શિખામણ આપી માઢિ પણ પાંડુની સાથે પાછી વળી. એ પ્રમાણે સર્વને વિદ્યાય કર્યાં પછી માત્ર કૃષ્ણ અને થોડાક પ્રજાલોક તેઓ સહિત પૃથાનંદન યુધિષ્ઠિર આગળ ચાલ્યો. કોઇતો મહા વેગવાન અશ્વ ઉપર અશ્વાર થયા, કોઈ મઢોન્મત્ત હાથી ઉપર્ આરૂઢ થયા અને કોઇતો વિમાન જેવા રથ અને સુખપાલ ઉપર બેઠી. એમ વિવિધ વાહનોપર આરૂઢ થઈ સર્વે આગળ વધ્યા. કૃષ્ણ અને પોતાના સંબંધીઓ સહિત યુધિષ્ઠિર નાશીક નગરમાં આવી પહોંચ્યો. તે સ્થળે ચંદ્રપ્રભ પ્રભુની કુંતીએ પૂજા કરી. આનંદનાં જળ જેના નેત્રમાં આવી ગયાંછે એવા ગોવિંઢ પણ ચંદ્રપ્રભ પ્રભુની ઊપાસના કરવા લાગ્યા. કુંતી અને દેવકીનંદને ચંદ્રપ્રભ પ્રભુની વિચિત્ર સ્તોત્રથી સ્તુતી કરી પોતપોતાના સ્થળ ઉપર આવી ભોજન કર્યું. જિનની પ્રભાવનારંભે જેઓનાં સર્વ પાપ દૂર થઈ ગયાં છે, એવા પાંડવો કેટલાક દ્વિવસ નારાક નગરીમાં રહ્યા. એક દિવસ Jain Educationa International ૧૪ For Personal and Private Use Only ૨૧૩ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy