SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ' એ પ્રમાણે શ્રીકૃષ્ણના ક્રોધની શાંતી કઢ્યા પછી પોતાના ભાઈઓને સાથે લઈ યુધિષ્ટિર રાજા ભિષ્મ પિતાની પાસે ગયા. ત્યાં જઈને તેમને પ્રીતિ પૂર્વક નમસ્કાર કરી પુછવું. યધિષ્ઠિર–અમારે તે સર્વેથી મેટા ગુરૂ આપ છો. માટે વ્યસનને દૂર કરવાવાળી અને - પરમાર્થ કરવાવાળી યોગ્ય શિક્ષા આપ અમને આ સમયે આપે. યુધિષ્ઠિરના વચન સાંભળી કુરૂક્ષેત્રમાં જેમને ગૌરવર્ણ છે એવા સુંદર રૂપવાન ભિષ્મપિતા બોલ્યા. ભિષ્મપિતા – હે પાંડેય, ત્રણે લોકના જેટલા પ્રાણી છે તે સર્વ તારા ગુણને વશ થઈ રહ્યા છે ઇ છે. મિત્રામિત્રની પરીક્ષાને સારૂંજ જણે તને આ વૃત વ્યસનની આપદા આવી હોયના, નહિં ) જિતે ક્યાં વ્રત ને ક્યાં તું. જગતની સર્વ કળાઓને જીતનાર ભાઈઓ જેની સાથે તે પણ જ્યારે છે Sી ઘતમાં પરાજય પામે ત્યારે જાણવું કે એ ભાવી પ્રબલ છે. જે હોનાર છે તે નહિં હોનાર ? ન થતું નથી. હે વત્સ, વનમાં એકલાં વિચરવાના વિચારે અમને તું અહિયાંથી વિદાય કરવા તત્પર થઈ રહ્યો છે. પૂર્વ તો જે કોઈ પણ ખાવા પિવાની કે પહેરવા ઓઢવાની વસ્તુ તને પ્રાપ્ત ) થતી તો તે તારા સર્વે સંબંધીઓને સરખે ભાગે વેહેંચી આપી તું માત્ર તારા ભાગજ ઉપભોગ ૨ ' કરતો તે તું હવે વનનાં ફળ ફળાદિક એકલો શી રીતે ખાઈશ? હે વત્સ હું પણ તારી સાથે જ છે આવીશ. સ્વમસ્તકાશ્રીત ચંદને માહાદેવ પણ ત્યાગતા નથી તે તું મારો ત્યાગ શી રીતે કરીશ? 9 " એવાં ભિષ્મપિતાનાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેના ચરણુપર મસ્તક ધરી તેમને પોતાની છે. સાથે વનમાં આવતા અટકાવ્યા. વળી રાજા યુધિષ્ઠિર પ્રત્યે ભિષ્મપિતા બોલ્યા. ભિષ્મપિતા–હે પાંડેય, દાન ૧. યોગ્યજ્ઞાન ર. સત્પાત્રને પરિગ્રહ ૩ સુકત ૪. અને સુપ્રભુત્વ એ પાંચ પ્રતિભૂ છે તે ગ્રહણ કરવા જોઈએ. નિરંતર આપણું વશમાં રહેનારા એ પાંચ પ્રતિભને જે રાજા ગ્રહણ કરે છે તે રાજા ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે. કામ ક્રોધાદિ છ વરૂપ છે ચોરોને સંસર્ગ તથા સાત વ્યસન અને અજ્ઞાનતા તથા જુઠ એ પંદર ચોર છે તે યોગ કર્મની પ્રકતિને વિષે તથા ન્યાય, ધર્મ, અને પ્રતાપમાં વિમુખ અને અયોગ્ય છે, એ પંદર ચોરોમાં ( એક એક ચેર રાજશ્રી હરણ કરવાવાળો છે. માટે જે રાજા પોતાનું કલ્યાણ ઈચ્છતે હોય . છે તેણે પાંચ પ્રતિભ ગ્રહણ કરવા અને પંદર ચોરોનો નિગ્રહ કરવો. તુંજ જોકે એ પંદર વ્યસનમાંના એક જુગારરૂપી ચોરે તારા રાજ્યનું કેવી રીતે હરણ કરવું? તે કારણથી હે વત્સ એ પંદર ના નાશને અર્થ તારે નિરંતર પ્રયત્ન કરવો. તારા મનને હમેશાં સાવધાન રાખવું. જ્યારે રે વનવાસની અવધ પર્ણ થાય ત્યારે સત્વર પાછા ફરજો. એમ કહી ભિમપિતા રાજધાની ભણી જ વળ્યા. પછી યુધિષ્ઠિરે કૃપાચાર્યને તથા દેણગુરૂને વનના સર્વ સમાચાર પૂછળ્યા તે સમયે કે છે દોણારૂ મહા હિતથી બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy